Dileep Sanghani બન્યા IFFCOના ચેરમેન, ફરી એક વખત બિનહરીફ થઈ વરણી, વાઈસ ચેરમેન પદે બલવિંદરસિંઘ બિનહરીફ


  • Published By :
  • Published Date : 2024-05-10 13:29:48

ઈફ્કોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે હવે ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે.. સતત બીજી વખત ચેરમેન તરીકે તેમની નિયુક્તિ થઈ છે. સાથે સાથે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે.. ઈફ્કોના ચેરમેનની તેમજ વાઈસ ચેરમેનની નિયુક્તિ બિન હરીફ થઈ છે. દિલીપ સંઘાણી સતત બીજી વખત ઈફ્કોના ચેરમેન તરીકે નિમણૂંક પામ્યા છે.. મહત્વનું છે કે જયેશ રાદિડયાની જીત બાદ રાજકારણ ગરમાયું હતું.. 

સી.આર.પાટીલે આપી હતી પ્રતિક્રિયા

મહત્વનું છે કે ગઈકાલે જ્યારે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે સી.આર.પાટીલની તેમજ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી હતી. ઇફ્કોની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા રહી છે, કે કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ. છતાં રાજ્યમાં બે-ત્રણ એવા બનાવ બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે તે પાર્ટીની નીતિ રહી છે. 



વધુમાં કહ્યું કે, લગભગ 350 વધુ ઈલેક્શનોમાંથી 349 ચૂંટણી આ મેન્ડેટ આધારે જીતી છે. કેટલાય લોકો સહકારના નામે ઈલુઈલુ કરતા હતાં. અલગ અલગ પાર્ટીના મેળાપ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતાં જેના કારણે આટલી સિટો ક્યારે જીતતા ન હતાં. જો કે, અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહકારી સંસ્થાઓમાં કાર્યભાર સંભાળી સારી રીતે સેવા આપી રહ્યાં છે. જેના માટે જ અમે મેન્ડેટની પ્રક્રિયા સ્વાકારી છે.  


ભારતીય જનતા પાર્ટીએ બિપીન પટેલને આપ્યું હતું મેન્ડેટ

ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. અને એ જીત્યા પણ હવે ભાજપ આગળ શું કરે છે તે જોવાનું રહ્યું.  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.