DIPએ આમ આદમી પાર્ટીને ફટકારી નોટિસ, 10 દિવસની અંદર 164 કરોડ ચૂકવવા કરાયો આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:27:14

આમ આદમી પાર્ટીને સૂચના અને પ્રચાર નિયામકએ 164 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ આપી છે.. આ નોટિસ એટલા માટે આપવામાં આવી છે કારણ કે સરકારી જાહેરાતોની આડમાં પાર્ટીએ પોતાની જાહેરાત કરી છે. દિલ્હીના એલ.જીએ મુખ્યસચિવને આપ પાસેથી આ રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ રકમ 10 દિવસની અંદર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

 

164 કરોડ રુપિયા ચૂકવવા આદેશ  

2015-2016 દરમિયાન આમ આદમી પાર્ટીને નોટીસ ફટકારવામાં આવી હતી. દિલ્હીના લેફટનન્ટ ગવર્નરે આ નોટીસ આપી હતી.  સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો કરવા બદલ આ આદેશ કરવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી 99.31 કરોડ રુપિયા જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ હવે આ આંકડો 164 કરોડને પાર પહોંચ્યો છે. રકમ માત્ર 99.31 કરોડ છે પરંતુ દંડના વ્યાજ પેટે બાકીની રકમ ચૂકવવી પડશે.   

વિધાનસભામાં આજે વિશ્વાસનો મત રજૂ કરશે અરવિંદ કેજરીવાલ | Delhi CM Arvind  Kejriwal to prove majority in assembly today - Gujarati Oneindia

10 દિવસની અંદર ચૂકવવો પડશે દંડ 

આ રકમ ચૂકવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ દસ દિવસની અંદર રકમની દંડના રકમની ચૂકવણી નહીં થાય તો દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના પૂર્વ આદેશ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ પાર્ટીની સંપત્તિને પણ જપ્ત થઈ શકશે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.