DIPએ આમ આદમી પાર્ટીને ફટકારી નોટિસ, 10 દિવસની અંદર 164 કરોડ ચૂકવવા કરાયો આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:27:14

આમ આદમી પાર્ટીને સૂચના અને પ્રચાર નિયામકએ 164 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ આપી છે.. આ નોટિસ એટલા માટે આપવામાં આવી છે કારણ કે સરકારી જાહેરાતોની આડમાં પાર્ટીએ પોતાની જાહેરાત કરી છે. દિલ્હીના એલ.જીએ મુખ્યસચિવને આપ પાસેથી આ રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ રકમ 10 દિવસની અંદર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

 

164 કરોડ રુપિયા ચૂકવવા આદેશ  

2015-2016 દરમિયાન આમ આદમી પાર્ટીને નોટીસ ફટકારવામાં આવી હતી. દિલ્હીના લેફટનન્ટ ગવર્નરે આ નોટીસ આપી હતી.  સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો કરવા બદલ આ આદેશ કરવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી 99.31 કરોડ રુપિયા જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ હવે આ આંકડો 164 કરોડને પાર પહોંચ્યો છે. રકમ માત્ર 99.31 કરોડ છે પરંતુ દંડના વ્યાજ પેટે બાકીની રકમ ચૂકવવી પડશે.   

વિધાનસભામાં આજે વિશ્વાસનો મત રજૂ કરશે અરવિંદ કેજરીવાલ | Delhi CM Arvind  Kejriwal to prove majority in assembly today - Gujarati Oneindia

10 દિવસની અંદર ચૂકવવો પડશે દંડ 

આ રકમ ચૂકવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ દસ દિવસની અંદર રકમની દંડના રકમની ચૂકવણી નહીં થાય તો દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના પૂર્વ આદેશ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ પાર્ટીની સંપત્તિને પણ જપ્ત થઈ શકશે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.