DIPએ આમ આદમી પાર્ટીને ફટકારી નોટિસ, 10 દિવસની અંદર 164 કરોડ ચૂકવવા કરાયો આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:27:14

આમ આદમી પાર્ટીને સૂચના અને પ્રચાર નિયામકએ 164 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ આપી છે.. આ નોટિસ એટલા માટે આપવામાં આવી છે કારણ કે સરકારી જાહેરાતોની આડમાં પાર્ટીએ પોતાની જાહેરાત કરી છે. દિલ્હીના એલ.જીએ મુખ્યસચિવને આપ પાસેથી આ રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ રકમ 10 દિવસની અંદર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

 

164 કરોડ રુપિયા ચૂકવવા આદેશ  

2015-2016 દરમિયાન આમ આદમી પાર્ટીને નોટીસ ફટકારવામાં આવી હતી. દિલ્હીના લેફટનન્ટ ગવર્નરે આ નોટીસ આપી હતી.  સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો કરવા બદલ આ આદેશ કરવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી 99.31 કરોડ રુપિયા જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ હવે આ આંકડો 164 કરોડને પાર પહોંચ્યો છે. રકમ માત્ર 99.31 કરોડ છે પરંતુ દંડના વ્યાજ પેટે બાકીની રકમ ચૂકવવી પડશે.   

વિધાનસભામાં આજે વિશ્વાસનો મત રજૂ કરશે અરવિંદ કેજરીવાલ | Delhi CM Arvind  Kejriwal to prove majority in assembly today - Gujarati Oneindia

10 દિવસની અંદર ચૂકવવો પડશે દંડ 

આ રકમ ચૂકવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ દસ દિવસની અંદર રકમની દંડના રકમની ચૂકવણી નહીં થાય તો દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના પૂર્વ આદેશ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ પાર્ટીની સંપત્તિને પણ જપ્ત થઈ શકશે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.