હનુમાન જયંતીના પ્રસંગે દીપિકા ચિખલિયાએ હનુમાન ચાલીસાનું ગાન કર્યું, Video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-06 15:02:20

'રામાયણ'માં સીતા માતાનો યાદગાર કિરદાર નિભાવી ચૂકેલા દીપિકા ચિખલિયા આજે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર આજે પણ લોકો તેમને માતા સીતા કહીને બોલાવે છે. દીપિકાની વિશાળ ફેન ફોલોઈંગ દર્શાવે છે કે તે કેટલા ફેમસ છે. હનુમાન જયંતિના અવસર પર દીપિકા ચિખલિયાનો હનુમાન ચાલીસાનું ગાન કરતો વીડિયો ખુબ જ વાયરલ થયો છે.   


દીપિકા ચિખલિયાએ વીડિયો શેર કર્યો


આજે એટલે કે 6 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર જ્યાં સામાન્ય લોકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે, ત્યાં દીપિકા કેવી રીતે પાછળ રહી જાય. દીપિકા ચિખલિયાએ એક વીડિયો શેર કર્યો અને લખ્યું- હનુમાનજીની જન્મજયંતિ પર આપ સૌને શુભકામનાઓ. આ વીડિયોમાં તે હનુમાન ચાલીસા ગાતા જોવા મળી રહ્યા છે.


વિવિધ સેલેબ્સએ પણ પાઠવી શુભેચ્છા 


અરુણ ગોવિલે પણ ટ્વિટ કર્યું – પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ સ્વરૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ  સુર ભૂપ. સંકટમોચન ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન.


પૂર્વ બિગ બોસ ફેમ શર્લિન ચોપરાએ લખ્યું – ભૂત અને પિચાસ નિકટ નહીં આવે… મહાવીર જબ નામ સુનાવે… નાસે રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમંત વીરા... હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ.


વિંદુ દારા સિંહે લખ્યું-  #hanumanjanmotsavની આપ સૌને શુભેચ્છાઓ! ભગવાન #હનુમાનજી #હનુમાનજયંતિ પર આપણા બધાને આશીર્વાદ આપે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા દારા સિંહે રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી. પિતાના મૃત્યુ પછી, વિંદુએ ટેલિવિઝન સીરીઝ 'જય વીર હનુમાન'માં હનુમાનની ભૂમિકા ભજવી હતી.



પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.