હનુમાન જયંતીના પ્રસંગે દીપિકા ચિખલિયાએ હનુમાન ચાલીસાનું ગાન કર્યું, Video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-06 15:02:20

'રામાયણ'માં સીતા માતાનો યાદગાર કિરદાર નિભાવી ચૂકેલા દીપિકા ચિખલિયા આજે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર આજે પણ લોકો તેમને માતા સીતા કહીને બોલાવે છે. દીપિકાની વિશાળ ફેન ફોલોઈંગ દર્શાવે છે કે તે કેટલા ફેમસ છે. હનુમાન જયંતિના અવસર પર દીપિકા ચિખલિયાનો હનુમાન ચાલીસાનું ગાન કરતો વીડિયો ખુબ જ વાયરલ થયો છે.   


દીપિકા ચિખલિયાએ વીડિયો શેર કર્યો


આજે એટલે કે 6 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર જ્યાં સામાન્ય લોકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે, ત્યાં દીપિકા કેવી રીતે પાછળ રહી જાય. દીપિકા ચિખલિયાએ એક વીડિયો શેર કર્યો અને લખ્યું- હનુમાનજીની જન્મજયંતિ પર આપ સૌને શુભકામનાઓ. આ વીડિયોમાં તે હનુમાન ચાલીસા ગાતા જોવા મળી રહ્યા છે.


વિવિધ સેલેબ્સએ પણ પાઠવી શુભેચ્છા 


અરુણ ગોવિલે પણ ટ્વિટ કર્યું – પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ સ્વરૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ  સુર ભૂપ. સંકટમોચન ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન.


પૂર્વ બિગ બોસ ફેમ શર્લિન ચોપરાએ લખ્યું – ભૂત અને પિચાસ નિકટ નહીં આવે… મહાવીર જબ નામ સુનાવે… નાસે રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમંત વીરા... હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ.


વિંદુ દારા સિંહે લખ્યું-  #hanumanjanmotsavની આપ સૌને શુભેચ્છાઓ! ભગવાન #હનુમાનજી #હનુમાનજયંતિ પર આપણા બધાને આશીર્વાદ આપે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા દારા સિંહે રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી. પિતાના મૃત્યુ પછી, વિંદુએ ટેલિવિઝન સીરીઝ 'જય વીર હનુમાન'માં હનુમાનની ભૂમિકા ભજવી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી