હનુમાન જયંતીના પ્રસંગે દીપિકા ચિખલિયાએ હનુમાન ચાલીસાનું ગાન કર્યું, Video વાયરલ થયો


  • Published By :
  • Published Date : 2023-04-06 15:02:20

'રામાયણ'માં સીતા માતાનો યાદગાર કિરદાર નિભાવી ચૂકેલા દીપિકા ચિખલિયા આજે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર આજે પણ લોકો તેમને માતા સીતા કહીને બોલાવે છે. દીપિકાની વિશાળ ફેન ફોલોઈંગ દર્શાવે છે કે તે કેટલા ફેમસ છે. હનુમાન જયંતિના અવસર પર દીપિકા ચિખલિયાનો હનુમાન ચાલીસાનું ગાન કરતો વીડિયો ખુબ જ વાયરલ થયો છે.   


દીપિકા ચિખલિયાએ વીડિયો શેર કર્યો


આજે એટલે કે 6 એપ્રિલે હનુમાન જયંતિના અવસર પર જ્યાં સામાન્ય લોકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે, ત્યાં દીપિકા કેવી રીતે પાછળ રહી જાય. દીપિકા ચિખલિયાએ એક વીડિયો શેર કર્યો અને લખ્યું- હનુમાનજીની જન્મજયંતિ પર આપ સૌને શુભકામનાઓ. આ વીડિયોમાં તે હનુમાન ચાલીસા ગાતા જોવા મળી રહ્યા છે.


વિવિધ સેલેબ્સએ પણ પાઠવી શુભેચ્છા 


અરુણ ગોવિલે પણ ટ્વિટ કર્યું – પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ સ્વરૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ  સુર ભૂપ. સંકટમોચન ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન.


પૂર્વ બિગ બોસ ફેમ શર્લિન ચોપરાએ લખ્યું – ભૂત અને પિચાસ નિકટ નહીં આવે… મહાવીર જબ નામ સુનાવે… નાસે રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમંત વીરા... હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ.


વિંદુ દારા સિંહે લખ્યું-  #hanumanjanmotsavની આપ સૌને શુભેચ્છાઓ! ભગવાન #હનુમાનજી #હનુમાનજયંતિ પર આપણા બધાને આશીર્વાદ આપે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા દારા સિંહે રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી. પિતાના મૃત્યુ પછી, વિંદુએ ટેલિવિઝન સીરીઝ 'જય વીર હનુમાન'માં હનુમાનની ભૂમિકા ભજવી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.