રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે કેમ થયો હતો વિવાદ ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 08:49:55

કોર્પોરેટ જગતમાં વિવાદોની વાત કરવામાં આવે, તો રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચેનો વિવાદ સૌથી મોટો માનવામાં આવે છે

તેમના વચ્ચે વર્ષોથી વિચારો અને અન્ય કારણોસર વિવાદ ચાલતો હતો

ભારતીય ઉધોગ જગતનો વધુ એક ચમકતો તારો ખરી ગયો છે. તા.4 ના રોજ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry)નું માર્ગ અકસ્માતના કારણે નિધન થયું છે. આ માર્ગ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો. અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. કોર્પોરેટ જગતના અનેક લોકોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટ જગતમાં વિવાદોની વાત કરવામાં આવે, તો રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચેનો વિવાદ સૌથી મોટો માનવામાં આવે છે.


 Cyrus Mistry


આંતરિક ઝગડાને સૌથી મોટો વિવાદ કેમ માનવામાં આવે છે ?

તેમના વચ્ચે વર્ષોથી વિચારો અને અન્ય કારણોસર વિવાદ ચાલતો હતો. તેમના વચ્ચેના આંતરિક ઝગડાને સૌથી મોટો વિવાદ માનવામાં આવે છે. લાખ પ્રયત્નો પછી પણ તેમના વચ્ચે સુલહ થઈ ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને પક્ષ વચ્ચે તકરાર એ વાત લઈને હતો કે ટાટા ગ્રુપ ચૂંટણી માટે ફંડ કેવી રીતે આપે, ક્યાં અને કેવા પ્રોજેકટમાં પૈસાનું રોકાણ કરે વગેરે જેવા મુદ્દા પર મતભેદ અને વિવાદ હતા. આ ઝગડાઓ એટલા વધ્યા હતા કે વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો.




સાયરસ મિસ્ત્રી 2012માં બન્યા હતા ટાટાના ચેરમેન

સાયરસ મિસ્ત્રી 2012માં ટાટા સન્સ ગ્રુપના ચેરમેન બન્યા હતા. તેમને રતન ટાટાને હટાવી આ પદ પર બેસાડવામાં આવ્યા હતા. પણ 2016માં તેમને અચાનક આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ ટાટા ગ્રુપ સાથે તેમના મતભેદ અને અંતર વધવા લાગ્યુ. ટાટા ગ્રુપે તેમને તેમના હકવાળા SP ગ્રુપના શેર ખરીદીને, તેને ટાટા સન્સ ગ્રુપમાં મેળવી દેવાની ઓફર કરી હતી. પણ મિસ્ત્રી પરિવારે તેનો સ્વીકાર કર્યો ન હતો. આ કેસ કોર્ટમાં ગયો, જેમાં જીત રતના ટાટાની થઈ હતી.


મોટો પરિવાર, મોટો વિવાદ

ડોનેશનના મુદ્દો પર પણ વિવાદ થયો હતો. મોટા કોર્પોરેટ ગૃહો રાજકીય દાન આપે છે અને આ શરૂઆતથી જ એક રિવાજ છે. ટાટા સન્સનું પણ એવું જ છે. મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચે ઓડિશામાં ડોનેશનના કેસને લઈને અણબનાવ થયો હતો. સાયરસ મિસ્ત્રીના નજીકના સહયોગીએ 2014ની ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં 10 કરોડ રૂપિયાનું દાન આપવાનો અભિપ્રાય આપ્યો હતો. મિસ્ત્રી કેમ્પનું માનવું હતું કે, ઓડિશામાં ઘણું લોખંડ છે જેનો લાભ લઈ શકાય છે. પરંતુ રતન ટાટાનું બોર્ડ આ અભિપ્રાયની વિરુદ્ધ ગયું અને પોતાનો મુદ્દો રાખ્યો.


ટાટા-વેલસ્પન ડીલનો મામલો

ટાટા વેલસ્પન ડીલ મામલે પણ વિવાદ થયો હતો. ટાટા વેલસ્પન ડીલ સાયરસ મિસ્ત્રીએ કરી હોવાનું કહેવાય છે, પરંતુ આ માહિતી ટાટા સન્સના બોર્ડને આપવામાં આવી ન હતી. ટાટા સન્સના બોર્ડે તેને કોર્પોરેટ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું . કારણ કે આ સોદો એટલો મોટો હતો કે બોર્ડને જાણ કર્યા વિના તેને આગળ વધારી શકાતો ન હતો. પરંતુ સાયરસ મિસ્ત્રીએ એવું ન કર્યું. આ બાબતે પણ સાયરસ મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચે અંતર વધી ગયું હતું.


અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની વિવાદ

ટાટા કંપનીનું અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની લિટલ સીઝર્સ સાથેના જોડાણ પર પણ વિવાદ થયો હતો. સાયરસ મિસ્ત્રીની આગેવાની હેઠળના બોર્ડે અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની સાથે જોડાણ કરવાની યોજના બનાવી હતી, પરંતુ આ મામલો ટાટા સન્સના બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યો ન હતો. ટાટા સન્સે કહ્યું કે, તેની અન્ય કોઈ પણ કંપની આવા પ્રકારનો નિર્ણય લઈ શકે છે. ટાટા સન્સે એમ પણ કહ્યું હતું કે, આટલા અંતરને કારણે કંપનીની ઈમેજ ખરાબ થઈ રહી છે. મિસ્ત્રીના સહયોગીઓએ દલીલ કરી હતી કે, ટાટા ગ્રુપ પહેલેથી જ કોફી ચેઇન સ્ટારબક્સ સાથે જોડાઈ ચૂક્યું હોવાથી, ફાસ્ટ ફૂડ કંપની સાથેના બિઝનેસ સોદામાં કંઈ ખોટું નથી.




સાયરસ મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચેનો એ વિવાદ જેણે કોર્પોરેટ જગતને હચમચાવી નાખ્યું હતું 

રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા હતા. જોકે ચાર વર્ષ બાદ 2016માં તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ગયા હતા જ્યાં ચુકાદો તેમના પક્ષમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.