આખરે સિદ્ધારમૈયા બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી, ડીકે શિવકુમારે ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્યું


  • Published By :
  • Published Date : 2023-05-18 12:55:35

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને પાંચ દિવસથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. આખરે કોંગ્રેસે કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કર્યું છે.સીએમની ખુરશી માટે ચાલી રહેલી ખેંચતાણમાં સિદ્ધારમૈયા બાજી મારી ગયા છે અને ડેપ્યુટી સીએમનું પદ ડીકે શિવકુમારના હાથમાં આવ્યું છે. બંનેને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ અંતે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને સીએમની રેસમાં પાછળ છોડી દીધા છે. સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાના પાછળના કારણોની  હાલ સર્વત્ર ચર્ચા થઈ રહી છે, ત્યારે આવો જાણીએ કે તે કારણો કયા હતા.


સિદ્ધારમૈયાને બહુમતી ધારાસભ્યોનું સમર્થન 


આ ચૂંટણીમાં કોંગ્રેસે 135 સીટો જીતી છે. કહેવાય છે કે વિધાનમંડળ દળની બેઠકમાં 95 ધારાસભ્યોએ ખુલ્લેઆમ સિદ્ધારમૈયાનું નામ લીધું હતું. મતલબ એ કે ધારાસભ્યો સિદ્ધારમૈયાને જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને બદલે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો શક્ય છે કે સિદ્ધારમૈયા પાછળથી બળવો કરી શક્યા હોત.


ડીકે શિવકુમારને કોર્ટ કેસ નડ્યા


બીજું સૌથી મોટું કારણ ડીકે શિવકુમાર સામે ચાલી રહેલા કેસ છે. કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતા એ હકીકત હતી કે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ નોંધાયેલા છે. આ દરમિયાન કર્ણાટકના ડીજીપીને પણ સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે CBIના નવા ડાયરેક્ટર ડીકે શિવકુમારને નજીકથી જાણે છે. બંને વચ્ચે બિલકુલ સંવાદિતા નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગ્યું કે જો ડીકે શિવકુમારને સીએમ બનાવવામાં આવશે તો CBI તેમની જૂની ફાઈલો ખોલશે, સરકારને નુકસાન સહન કરવું પડશે.


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે. સમાજના દરેક વર્ગમાં સિદ્ધારમૈયાની પકડ ઘણી સારી છે. તેઓ ખાસ કરીને દલિતો, ઓબીસી અને મુસ્લિમોમાં લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી ન બનાવ્યા હોત, તો શક્ય છે કે તેઓ પાર્ટીની વિરુદ્ધ જઈ શક્યા હોત. આવી સ્થિતિમાં દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની મોટી વોટબેંક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે.





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.