આખરે સિદ્ધારમૈયા બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી, ડીકે શિવકુમારે ડેપ્યુટી CMનું પદ સ્વીકાર્યું


  • Published By :
  • Published Date : 2023-05-18 12:55:35

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને પાંચ દિવસથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. આખરે કોંગ્રેસે કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કર્યું છે.સીએમની ખુરશી માટે ચાલી રહેલી ખેંચતાણમાં સિદ્ધારમૈયા બાજી મારી ગયા છે અને ડેપ્યુટી સીએમનું પદ ડીકે શિવકુમારના હાથમાં આવ્યું છે. બંનેને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ અંતે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને સીએમની રેસમાં પાછળ છોડી દીધા છે. સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાના પાછળના કારણોની  હાલ સર્વત્ર ચર્ચા થઈ રહી છે, ત્યારે આવો જાણીએ કે તે કારણો કયા હતા.


સિદ્ધારમૈયાને બહુમતી ધારાસભ્યોનું સમર્થન 


આ ચૂંટણીમાં કોંગ્રેસે 135 સીટો જીતી છે. કહેવાય છે કે વિધાનમંડળ દળની બેઠકમાં 95 ધારાસભ્યોએ ખુલ્લેઆમ સિદ્ધારમૈયાનું નામ લીધું હતું. મતલબ એ કે ધારાસભ્યો સિદ્ધારમૈયાને જ મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને બદલે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો શક્ય છે કે સિદ્ધારમૈયા પાછળથી બળવો કરી શક્યા હોત.


ડીકે શિવકુમારને કોર્ટ કેસ નડ્યા


બીજું સૌથી મોટું કારણ ડીકે શિવકુમાર સામે ચાલી રહેલા કેસ છે. કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતા એ હકીકત હતી કે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ નોંધાયેલા છે. આ દરમિયાન કર્ણાટકના ડીજીપીને પણ સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે CBIના નવા ડાયરેક્ટર ડીકે શિવકુમારને નજીકથી જાણે છે. બંને વચ્ચે બિલકુલ સંવાદિતા નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગ્યું કે જો ડીકે શિવકુમારને સીએમ બનાવવામાં આવશે તો CBI તેમની જૂની ફાઈલો ખોલશે, સરકારને નુકસાન સહન કરવું પડશે.


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા


પછાત વર્ગમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે. સમાજના દરેક વર્ગમાં સિદ્ધારમૈયાની પકડ ઘણી સારી છે. તેઓ ખાસ કરીને દલિતો, ઓબીસી અને મુસ્લિમોમાં લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, જો કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી ન બનાવ્યા હોત, તો શક્ય છે કે તેઓ પાર્ટીની વિરુદ્ધ જઈ શક્યા હોત. આવી સ્થિતિમાં દલિતો, પછાત વર્ગો અને લઘુમતીઓની મોટી વોટબેંક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે.





અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.