રશિયાએ હવે ઈઝરાયેલને ધમકાવ્યું, જો યુક્રેનને હશિયારો આપ્યા તો....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:07:50

યુક્રેન યુધ્ધમાં ફસાયેલા રશિયાની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા હવે યુક્રેનને હથિયારોની મદદ કરતા દેશોને ધમકી આપવાનું શરૂ કર્યું છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને યુક્રેનની મદદ કરવાને લઈને ચેતવણી આપી છે. દિમિત્રીએ કહ્યું કે જો ઇઝરાયેલ યુક્રેનને હથિયારોની સપ્લાય કરશે તો રશિયા અને ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો ખતમ થઇ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિમિત્રી મેડવેડેવે હાલમાં રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન છે અને તેમને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખુબ જ વિશ્વાસુ માનવામાં આવે છે.


દિમિત્રી મેડવેડેવે શું ધમકી આપી?


રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લખ્યું કે, 'એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ તરફથી યુક્રેનને હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ એક બેદરકારભર્યું પગલું છે. ઈઝરાયેલના આ પગલાથી રશિયા તેની સાથેના તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરી દેશે.'


દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને શા માટે ધમકી આપી? 


અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ગયા અઠવાડિયે છપાયેલા અહેવાલ મુજબ, ઈઝરાયેલની એક પ્રાઈવેટ સિક્યોરિટી કંપની યુક્રેનને યુદ્ધમાં મદદ કરી રહી હતી. વળી યુદ્ધની શરૂઆતમાં વેસ્ટર્ન યુક્રેનમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવવા માટે ઇઝરાયેલે સતત 6 અઠવાડિયા સુધી 100 ટન કરતા વધુની માનવીય મદદ પણ કરી હતી. તે ઉપરાંત ઇઝરાયેલના એક મંત્રી નાચમન શાઈ (Nachman Shai)ના એક નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ યુક્રેનને સૈન્ય સહાય મોકલવાની વાત કરી હતી. ઈઝરાયેલના મંત્રી શાઈએ ટ્વિટર પર લખ્યું કે, આજે સવારે આ સમાચાર મળ્યા છે કે ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલો મોકલી રહ્યું છે. હવે આમાં કોઈ શંકા નથી કે આ યુદ્ધમાં ઈઝરાયેલને કોની બાજુ હોવું જોઈએ. અમેરિકા અને નાટો દેશની જેમ યુક્રેનને સૈન્ય મદદ મોકલવાનો સમય હવે આવી ગયો છે.   



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?