રશિયાએ હવે ઈઝરાયેલને ધમકાવ્યું, જો યુક્રેનને હશિયારો આપ્યા તો....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:07:50

યુક્રેન યુધ્ધમાં ફસાયેલા રશિયાની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા હવે યુક્રેનને હથિયારોની મદદ કરતા દેશોને ધમકી આપવાનું શરૂ કર્યું છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને યુક્રેનની મદદ કરવાને લઈને ચેતવણી આપી છે. દિમિત્રીએ કહ્યું કે જો ઇઝરાયેલ યુક્રેનને હથિયારોની સપ્લાય કરશે તો રશિયા અને ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો ખતમ થઇ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિમિત્રી મેડવેડેવે હાલમાં રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન છે અને તેમને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખુબ જ વિશ્વાસુ માનવામાં આવે છે.


દિમિત્રી મેડવેડેવે શું ધમકી આપી?


રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લખ્યું કે, 'એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ તરફથી યુક્રેનને હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ એક બેદરકારભર્યું પગલું છે. ઈઝરાયેલના આ પગલાથી રશિયા તેની સાથેના તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરી દેશે.'


દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને શા માટે ધમકી આપી? 


અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ગયા અઠવાડિયે છપાયેલા અહેવાલ મુજબ, ઈઝરાયેલની એક પ્રાઈવેટ સિક્યોરિટી કંપની યુક્રેનને યુદ્ધમાં મદદ કરી રહી હતી. વળી યુદ્ધની શરૂઆતમાં વેસ્ટર્ન યુક્રેનમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવવા માટે ઇઝરાયેલે સતત 6 અઠવાડિયા સુધી 100 ટન કરતા વધુની માનવીય મદદ પણ કરી હતી. તે ઉપરાંત ઇઝરાયેલના એક મંત્રી નાચમન શાઈ (Nachman Shai)ના એક નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ યુક્રેનને સૈન્ય સહાય મોકલવાની વાત કરી હતી. ઈઝરાયેલના મંત્રી શાઈએ ટ્વિટર પર લખ્યું કે, આજે સવારે આ સમાચાર મળ્યા છે કે ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલો મોકલી રહ્યું છે. હવે આમાં કોઈ શંકા નથી કે આ યુદ્ધમાં ઈઝરાયેલને કોની બાજુ હોવું જોઈએ. અમેરિકા અને નાટો દેશની જેમ યુક્રેનને સૈન્ય મદદ મોકલવાનો સમય હવે આવી ગયો છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.