રશિયાએ હવે ઈઝરાયેલને ધમકાવ્યું, જો યુક્રેનને હશિયારો આપ્યા તો....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:07:50

યુક્રેન યુધ્ધમાં ફસાયેલા રશિયાની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા હવે યુક્રેનને હથિયારોની મદદ કરતા દેશોને ધમકી આપવાનું શરૂ કર્યું છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને યુક્રેનની મદદ કરવાને લઈને ચેતવણી આપી છે. દિમિત્રીએ કહ્યું કે જો ઇઝરાયેલ યુક્રેનને હથિયારોની સપ્લાય કરશે તો રશિયા અને ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો ખતમ થઇ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિમિત્રી મેડવેડેવે હાલમાં રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન છે અને તેમને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખુબ જ વિશ્વાસુ માનવામાં આવે છે.


દિમિત્રી મેડવેડેવે શું ધમકી આપી?


રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લખ્યું કે, 'એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ તરફથી યુક્રેનને હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ એક બેદરકારભર્યું પગલું છે. ઈઝરાયેલના આ પગલાથી રશિયા તેની સાથેના તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરી દેશે.'


દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને શા માટે ધમકી આપી? 


અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ગયા અઠવાડિયે છપાયેલા અહેવાલ મુજબ, ઈઝરાયેલની એક પ્રાઈવેટ સિક્યોરિટી કંપની યુક્રેનને યુદ્ધમાં મદદ કરી રહી હતી. વળી યુદ્ધની શરૂઆતમાં વેસ્ટર્ન યુક્રેનમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવવા માટે ઇઝરાયેલે સતત 6 અઠવાડિયા સુધી 100 ટન કરતા વધુની માનવીય મદદ પણ કરી હતી. તે ઉપરાંત ઇઝરાયેલના એક મંત્રી નાચમન શાઈ (Nachman Shai)ના એક નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ યુક્રેનને સૈન્ય સહાય મોકલવાની વાત કરી હતી. ઈઝરાયેલના મંત્રી શાઈએ ટ્વિટર પર લખ્યું કે, આજે સવારે આ સમાચાર મળ્યા છે કે ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલો મોકલી રહ્યું છે. હવે આમાં કોઈ શંકા નથી કે આ યુદ્ધમાં ઈઝરાયેલને કોની બાજુ હોવું જોઈએ. અમેરિકા અને નાટો દેશની જેમ યુક્રેનને સૈન્ય મદદ મોકલવાનો સમય હવે આવી ગયો છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .