રશિયાએ હવે ઈઝરાયેલને ધમકાવ્યું, જો યુક્રેનને હશિયારો આપ્યા તો....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:07:50

યુક્રેન યુધ્ધમાં ફસાયેલા રશિયાની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયા હવે યુક્રેનને હથિયારોની મદદ કરતા દેશોને ધમકી આપવાનું શરૂ કર્યું છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને યુક્રેનની મદદ કરવાને લઈને ચેતવણી આપી છે. દિમિત્રીએ કહ્યું કે જો ઇઝરાયેલ યુક્રેનને હથિયારોની સપ્લાય કરશે તો રશિયા અને ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો ખતમ થઇ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિમિત્રી મેડવેડેવે હાલમાં રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન છે અને તેમને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખુબ જ વિશ્વાસુ માનવામાં આવે છે.


દિમિત્રી મેડવેડેવે શું ધમકી આપી?


રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેડવેડેવે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લખ્યું કે, 'એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ તરફથી યુક્રેનને હથિયારો મોકલવામાં આવી રહ્યા છે. આ એક બેદરકારભર્યું પગલું છે. ઈઝરાયેલના આ પગલાથી રશિયા તેની સાથેના તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરી દેશે.'


દિમિત્રી મેડવેડેવે ઈઝરાયેલને શા માટે ધમકી આપી? 


અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં ગયા અઠવાડિયે છપાયેલા અહેવાલ મુજબ, ઈઝરાયેલની એક પ્રાઈવેટ સિક્યોરિટી કંપની યુક્રેનને યુદ્ધમાં મદદ કરી રહી હતી. વળી યુદ્ધની શરૂઆતમાં વેસ્ટર્ન યુક્રેનમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવવા માટે ઇઝરાયેલે સતત 6 અઠવાડિયા સુધી 100 ટન કરતા વધુની માનવીય મદદ પણ કરી હતી. તે ઉપરાંત ઇઝરાયેલના એક મંત્રી નાચમન શાઈ (Nachman Shai)ના એક નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ યુક્રેનને સૈન્ય સહાય મોકલવાની વાત કરી હતી. ઈઝરાયેલના મંત્રી શાઈએ ટ્વિટર પર લખ્યું કે, આજે સવારે આ સમાચાર મળ્યા છે કે ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલો મોકલી રહ્યું છે. હવે આમાં કોઈ શંકા નથી કે આ યુદ્ધમાં ઈઝરાયેલને કોની બાજુ હોવું જોઈએ. અમેરિકા અને નાટો દેશની જેમ યુક્રેનને સૈન્ય મદદ મોકલવાનો સમય હવે આવી ગયો છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.