શું તમને ખબર છે પદ્મ પુરસ્કારમાં શું આપવામાં આવતું હોય છે? કેવી રીતે થાય છે પસંદગી, અને કેટલા પુરસ્કાર હોય છે


  • Published By :
  • Published Date : 2023-04-07 13:25:05

રાષ્ટ્રપતિ દ્વારા દેશની વિવિધ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓને આ પુરસ્કારથી નવાઝવામાં આવે છે. ત્યારે શું તમને ખબર છે કે આ પુરસ્કારમાં હોય છે શું. રાષ્ટ્રપતિ સન્માન કરીને ફોટો પડાવે ત્યારે હાથમાં શું આપે છે. ત્યારે જોઈએ કઈ રીતે હસ્તીઓનું સિલેક્શન કરવામાં આવે છે... કેટલા પુરસ્કાર હોય છે..  

હેમંત ચૌહાણ સહિત 7 મહાનુભાવોને મળશે પદ્મ શ્રી, બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ  વિભૂષણ

કોને આપવામાં આવે છે પુરસ્કાર?  

ભારતના સર્વોચ્ચ સન્માનોમાંનો એક પુરસ્કાર છે પદ્મ પુરસ્કાર. આ પુરસ્કાર કળા, સામાજિક કાર્યો, જન જીવનના મામલા, સાયન્સ અને ટેક્નોલોજી, વેપાર અને ઉદ્યોગ, મેડિસિન, સાહિત્ય, ખેલકુદ જેવા વિવિધ વિષયો સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે. 1954માં સૌથી પહેલા પદ્મ પુરસ્કારની શરૂઆત થઈ હતી... હર વર્ષે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે સિવાય કે 1978, 79 93 અને 97. 


આ પુરસ્કારમાં જે અપાય તે શું હોય છે? અને કેટલા પ્રકારના પદ્મ પુરસ્કાર હોય છે? 

સૌથી પહેલા જાણીએ પદ્મ વિભૂષણ અંગે 

પદ્મ વિભૂષણની વાત કરીએ તો આ પુરસ્કારને ભારત રત્ન પછીનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. આ સન્માનમાં 1.3 બાય 16 ઈંચનો કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે.. આ બિલ્લાના કેન્દ્રમાં કમળનું એક ફૂલ હોય છે. કમળની પાંદડી સફેદ રંગની હોય છે જેમાં પદ્મ વિભૂષણ લખવામાં આવતું હોય છે. આ બિલ્લાની પાછળ આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિહ્ન પણ હોય છે. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મ ભૂષણ વિશે...

આ પદ્મ વિભૂષણ પછીનું સન્માન હોય છે. આ સન્માનમાં પણ કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે. આ બિલ્લાની વચ્ચે કમળનું ફૂલ હોય છે જેની ત્રણ પાંદડી હોય. આ ફૂલ પર પદ્મભૂષણ લખવામાં આવે છે.. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મશ્રી વિશે...

ત્યાર બાદનું સર્વોચ્ચ નાગરિક સન્માનમાં પદ્મશ્રીને માનવામાં આવે છે. આ સન્માન ખાલી ભારતીયોને જ આપવામાં આવે છે... આ સન્માનમાં જે કાંસાનો બિલ્લો અપાય છે તેમાં કમળનું ફૂલ બનેલું હોય છે... પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


કેવી રીતે થાય છે વ્યક્તિઓની પસંદગી 

પણ પ્રશ્ન એ થાય કે કે આ વ્યક્તિઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. લોકોની પસંદગી માટે પ્રધાનમંત્રી દ્વારા એક સમિતિ બનાવવામાં આવે છે... રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી ઉત્કૃષ્ટ સેવા આપતા વ્યક્તિઓની માહિતી મંગાવામાં આવે છે. પછી સમિતિ આ નામો પર વિચાર વિમશ કરે છે. પછી આ સમિતિ નક્કી કરાયેલા નામોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને મોકલાવે છે જે નામ પર મોહર લગાવે છે... નામ પર મોહર લાગ્યા બાદ 26મી જાન્યુઆરીની સાંજે નામની જાહેરાત થાય છે... જો કે આ સિવાય કેન્દ્ર સરકારે 2016થી એક પોર્ટલની પણ સુવિધા અપાવી છે જેમાં વ્યક્તિગત રીતે પણ કોઈ પોતાનું નામ ત્યાં અપાવી શકે છે. પછી સમિતિ તેના પર વિચાર કરતી હોય છે કે એ વ્યક્તિને પુરસ્કાર આપવો કે નહીં.


106 હસ્તીઓને અપાયો છે પદ્મ પુરસ્કાર 

આ વર્ષે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર અપાયો છે... જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે... બીજી મહત્વની વાત જાણવી જરૂરી છે કે પદ્મ પુરસ્કારમાં કોઈ પણ રોકડા રૂપિયા આપવામાં નથી આવતા... આ પુરસ્કારથી રાજ્ય સ્તરે ઓળખ મળે છે.. આ સિવાય રેલવે મુસાફરી કે વિમાન મુસાફરીમાં પણ કોઈ છૂટ નથી મળતી






ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.