શું તમને ખબર છે પદ્મ પુરસ્કારમાં શું આપવામાં આવતું હોય છે? કેવી રીતે થાય છે પસંદગી, અને કેટલા પુરસ્કાર હોય છે


  • Published By :
  • Published Date : 2023-04-07 13:25:05

રાષ્ટ્રપતિ દ્વારા દેશની વિવિધ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓને આ પુરસ્કારથી નવાઝવામાં આવે છે. ત્યારે શું તમને ખબર છે કે આ પુરસ્કારમાં હોય છે શું. રાષ્ટ્રપતિ સન્માન કરીને ફોટો પડાવે ત્યારે હાથમાં શું આપે છે. ત્યારે જોઈએ કઈ રીતે હસ્તીઓનું સિલેક્શન કરવામાં આવે છે... કેટલા પુરસ્કાર હોય છે..  

હેમંત ચૌહાણ સહિત 7 મહાનુભાવોને મળશે પદ્મ શ્રી, બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ  વિભૂષણ

કોને આપવામાં આવે છે પુરસ્કાર?  

ભારતના સર્વોચ્ચ સન્માનોમાંનો એક પુરસ્કાર છે પદ્મ પુરસ્કાર. આ પુરસ્કાર કળા, સામાજિક કાર્યો, જન જીવનના મામલા, સાયન્સ અને ટેક્નોલોજી, વેપાર અને ઉદ્યોગ, મેડિસિન, સાહિત્ય, ખેલકુદ જેવા વિવિધ વિષયો સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે. 1954માં સૌથી પહેલા પદ્મ પુરસ્કારની શરૂઆત થઈ હતી... હર વર્ષે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે સિવાય કે 1978, 79 93 અને 97. 


આ પુરસ્કારમાં જે અપાય તે શું હોય છે? અને કેટલા પ્રકારના પદ્મ પુરસ્કાર હોય છે? 

સૌથી પહેલા જાણીએ પદ્મ વિભૂષણ અંગે 

પદ્મ વિભૂષણની વાત કરીએ તો આ પુરસ્કારને ભારત રત્ન પછીનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. આ સન્માનમાં 1.3 બાય 16 ઈંચનો કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે.. આ બિલ્લાના કેન્દ્રમાં કમળનું એક ફૂલ હોય છે. કમળની પાંદડી સફેદ રંગની હોય છે જેમાં પદ્મ વિભૂષણ લખવામાં આવતું હોય છે. આ બિલ્લાની પાછળ આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિહ્ન પણ હોય છે. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મ ભૂષણ વિશે...

આ પદ્મ વિભૂષણ પછીનું સન્માન હોય છે. આ સન્માનમાં પણ કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે. આ બિલ્લાની વચ્ચે કમળનું ફૂલ હોય છે જેની ત્રણ પાંદડી હોય. આ ફૂલ પર પદ્મભૂષણ લખવામાં આવે છે.. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મશ્રી વિશે...

ત્યાર બાદનું સર્વોચ્ચ નાગરિક સન્માનમાં પદ્મશ્રીને માનવામાં આવે છે. આ સન્માન ખાલી ભારતીયોને જ આપવામાં આવે છે... આ સન્માનમાં જે કાંસાનો બિલ્લો અપાય છે તેમાં કમળનું ફૂલ બનેલું હોય છે... પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


કેવી રીતે થાય છે વ્યક્તિઓની પસંદગી 

પણ પ્રશ્ન એ થાય કે કે આ વ્યક્તિઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. લોકોની પસંદગી માટે પ્રધાનમંત્રી દ્વારા એક સમિતિ બનાવવામાં આવે છે... રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી ઉત્કૃષ્ટ સેવા આપતા વ્યક્તિઓની માહિતી મંગાવામાં આવે છે. પછી સમિતિ આ નામો પર વિચાર વિમશ કરે છે. પછી આ સમિતિ નક્કી કરાયેલા નામોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને મોકલાવે છે જે નામ પર મોહર લગાવે છે... નામ પર મોહર લાગ્યા બાદ 26મી જાન્યુઆરીની સાંજે નામની જાહેરાત થાય છે... જો કે આ સિવાય કેન્દ્ર સરકારે 2016થી એક પોર્ટલની પણ સુવિધા અપાવી છે જેમાં વ્યક્તિગત રીતે પણ કોઈ પોતાનું નામ ત્યાં અપાવી શકે છે. પછી સમિતિ તેના પર વિચાર કરતી હોય છે કે એ વ્યક્તિને પુરસ્કાર આપવો કે નહીં.


106 હસ્તીઓને અપાયો છે પદ્મ પુરસ્કાર 

આ વર્ષે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર અપાયો છે... જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે... બીજી મહત્વની વાત જાણવી જરૂરી છે કે પદ્મ પુરસ્કારમાં કોઈ પણ રોકડા રૂપિયા આપવામાં નથી આવતા... આ પુરસ્કારથી રાજ્ય સ્તરે ઓળખ મળે છે.. આ સિવાય રેલવે મુસાફરી કે વિમાન મુસાફરીમાં પણ કોઈ છૂટ નથી મળતી






આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.