શું તમને ખબર છે પદ્મ પુરસ્કારમાં શું આપવામાં આવતું હોય છે? કેવી રીતે થાય છે પસંદગી, અને કેટલા પુરસ્કાર હોય છે


  • Published By :
  • Published Date : 2023-04-07 13:25:05

રાષ્ટ્રપતિ દ્વારા દેશની વિવિધ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓને આ પુરસ્કારથી નવાઝવામાં આવે છે. ત્યારે શું તમને ખબર છે કે આ પુરસ્કારમાં હોય છે શું. રાષ્ટ્રપતિ સન્માન કરીને ફોટો પડાવે ત્યારે હાથમાં શું આપે છે. ત્યારે જોઈએ કઈ રીતે હસ્તીઓનું સિલેક્શન કરવામાં આવે છે... કેટલા પુરસ્કાર હોય છે..  

હેમંત ચૌહાણ સહિત 7 મહાનુભાવોને મળશે પદ્મ શ્રી, બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ  વિભૂષણ

કોને આપવામાં આવે છે પુરસ્કાર?  

ભારતના સર્વોચ્ચ સન્માનોમાંનો એક પુરસ્કાર છે પદ્મ પુરસ્કાર. આ પુરસ્કાર કળા, સામાજિક કાર્યો, જન જીવનના મામલા, સાયન્સ અને ટેક્નોલોજી, વેપાર અને ઉદ્યોગ, મેડિસિન, સાહિત્ય, ખેલકુદ જેવા વિવિધ વિષયો સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે. 1954માં સૌથી પહેલા પદ્મ પુરસ્કારની શરૂઆત થઈ હતી... હર વર્ષે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે સિવાય કે 1978, 79 93 અને 97. 


આ પુરસ્કારમાં જે અપાય તે શું હોય છે? અને કેટલા પ્રકારના પદ્મ પુરસ્કાર હોય છે? 

સૌથી પહેલા જાણીએ પદ્મ વિભૂષણ અંગે 

પદ્મ વિભૂષણની વાત કરીએ તો આ પુરસ્કારને ભારત રત્ન પછીનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. આ સન્માનમાં 1.3 બાય 16 ઈંચનો કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે.. આ બિલ્લાના કેન્દ્રમાં કમળનું એક ફૂલ હોય છે. કમળની પાંદડી સફેદ રંગની હોય છે જેમાં પદ્મ વિભૂષણ લખવામાં આવતું હોય છે. આ બિલ્લાની પાછળ આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિહ્ન પણ હોય છે. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મ ભૂષણ વિશે...

આ પદ્મ વિભૂષણ પછીનું સન્માન હોય છે. આ સન્માનમાં પણ કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે. આ બિલ્લાની વચ્ચે કમળનું ફૂલ હોય છે જેની ત્રણ પાંદડી હોય. આ ફૂલ પર પદ્મભૂષણ લખવામાં આવે છે.. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મશ્રી વિશે...

ત્યાર બાદનું સર્વોચ્ચ નાગરિક સન્માનમાં પદ્મશ્રીને માનવામાં આવે છે. આ સન્માન ખાલી ભારતીયોને જ આપવામાં આવે છે... આ સન્માનમાં જે કાંસાનો બિલ્લો અપાય છે તેમાં કમળનું ફૂલ બનેલું હોય છે... પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


કેવી રીતે થાય છે વ્યક્તિઓની પસંદગી 

પણ પ્રશ્ન એ થાય કે કે આ વ્યક્તિઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. લોકોની પસંદગી માટે પ્રધાનમંત્રી દ્વારા એક સમિતિ બનાવવામાં આવે છે... રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી ઉત્કૃષ્ટ સેવા આપતા વ્યક્તિઓની માહિતી મંગાવામાં આવે છે. પછી સમિતિ આ નામો પર વિચાર વિમશ કરે છે. પછી આ સમિતિ નક્કી કરાયેલા નામોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને મોકલાવે છે જે નામ પર મોહર લગાવે છે... નામ પર મોહર લાગ્યા બાદ 26મી જાન્યુઆરીની સાંજે નામની જાહેરાત થાય છે... જો કે આ સિવાય કેન્દ્ર સરકારે 2016થી એક પોર્ટલની પણ સુવિધા અપાવી છે જેમાં વ્યક્તિગત રીતે પણ કોઈ પોતાનું નામ ત્યાં અપાવી શકે છે. પછી સમિતિ તેના પર વિચાર કરતી હોય છે કે એ વ્યક્તિને પુરસ્કાર આપવો કે નહીં.


106 હસ્તીઓને અપાયો છે પદ્મ પુરસ્કાર 

આ વર્ષે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર અપાયો છે... જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે... બીજી મહત્વની વાત જાણવી જરૂરી છે કે પદ્મ પુરસ્કારમાં કોઈ પણ રોકડા રૂપિયા આપવામાં નથી આવતા... આ પુરસ્કારથી રાજ્ય સ્તરે ઓળખ મળે છે.. આ સિવાય રેલવે મુસાફરી કે વિમાન મુસાફરીમાં પણ કોઈ છૂટ નથી મળતી






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.