શું તમને ખબર છે પદ્મ પુરસ્કારમાં શું આપવામાં આવતું હોય છે? કેવી રીતે થાય છે પસંદગી, અને કેટલા પુરસ્કાર હોય છે


  • Published By :
  • Published Date : 2023-04-07 13:25:05

રાષ્ટ્રપતિ દ્વારા દેશની વિવિધ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓને આ પુરસ્કારથી નવાઝવામાં આવે છે. ત્યારે શું તમને ખબર છે કે આ પુરસ્કારમાં હોય છે શું. રાષ્ટ્રપતિ સન્માન કરીને ફોટો પડાવે ત્યારે હાથમાં શું આપે છે. ત્યારે જોઈએ કઈ રીતે હસ્તીઓનું સિલેક્શન કરવામાં આવે છે... કેટલા પુરસ્કાર હોય છે..  

હેમંત ચૌહાણ સહિત 7 મહાનુભાવોને મળશે પદ્મ શ્રી, બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ  વિભૂષણ

કોને આપવામાં આવે છે પુરસ્કાર?  

ભારતના સર્વોચ્ચ સન્માનોમાંનો એક પુરસ્કાર છે પદ્મ પુરસ્કાર. આ પુરસ્કાર કળા, સામાજિક કાર્યો, જન જીવનના મામલા, સાયન્સ અને ટેક્નોલોજી, વેપાર અને ઉદ્યોગ, મેડિસિન, સાહિત્ય, ખેલકુદ જેવા વિવિધ વિષયો સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે. 1954માં સૌથી પહેલા પદ્મ પુરસ્કારની શરૂઆત થઈ હતી... હર વર્ષે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે સિવાય કે 1978, 79 93 અને 97. 


આ પુરસ્કારમાં જે અપાય તે શું હોય છે? અને કેટલા પ્રકારના પદ્મ પુરસ્કાર હોય છે? 

સૌથી પહેલા જાણીએ પદ્મ વિભૂષણ અંગે 

પદ્મ વિભૂષણની વાત કરીએ તો આ પુરસ્કારને ભારત રત્ન પછીનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. આ સન્માનમાં 1.3 બાય 16 ઈંચનો કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે.. આ બિલ્લાના કેન્દ્રમાં કમળનું એક ફૂલ હોય છે. કમળની પાંદડી સફેદ રંગની હોય છે જેમાં પદ્મ વિભૂષણ લખવામાં આવતું હોય છે. આ બિલ્લાની પાછળ આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિહ્ન પણ હોય છે. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મ ભૂષણ વિશે...

આ પદ્મ વિભૂષણ પછીનું સન્માન હોય છે. આ સન્માનમાં પણ કાંસાનો એક બિલ્લો આપવામાં આવે છે. આ બિલ્લાની વચ્ચે કમળનું ફૂલ હોય છે જેની ત્રણ પાંદડી હોય. આ ફૂલ પર પદ્મભૂષણ લખવામાં આવે છે.. પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


જાણીએ પદ્મશ્રી વિશે...

ત્યાર બાદનું સર્વોચ્ચ નાગરિક સન્માનમાં પદ્મશ્રીને માનવામાં આવે છે. આ સન્માન ખાલી ભારતીયોને જ આપવામાં આવે છે... આ સન્માનમાં જે કાંસાનો બિલ્લો અપાય છે તેમાં કમળનું ફૂલ બનેલું હોય છે... પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિની સહી વાળું એક પ્રમાણ પત્ર પણ મળે છે.


કેવી રીતે થાય છે વ્યક્તિઓની પસંદગી 

પણ પ્રશ્ન એ થાય કે કે આ વ્યક્તિઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. લોકોની પસંદગી માટે પ્રધાનમંત્રી દ્વારા એક સમિતિ બનાવવામાં આવે છે... રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી ઉત્કૃષ્ટ સેવા આપતા વ્યક્તિઓની માહિતી મંગાવામાં આવે છે. પછી સમિતિ આ નામો પર વિચાર વિમશ કરે છે. પછી આ સમિતિ નક્કી કરાયેલા નામોને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને મોકલાવે છે જે નામ પર મોહર લગાવે છે... નામ પર મોહર લાગ્યા બાદ 26મી જાન્યુઆરીની સાંજે નામની જાહેરાત થાય છે... જો કે આ સિવાય કેન્દ્ર સરકારે 2016થી એક પોર્ટલની પણ સુવિધા અપાવી છે જેમાં વ્યક્તિગત રીતે પણ કોઈ પોતાનું નામ ત્યાં અપાવી શકે છે. પછી સમિતિ તેના પર વિચાર કરતી હોય છે કે એ વ્યક્તિને પુરસ્કાર આપવો કે નહીં.


106 હસ્તીઓને અપાયો છે પદ્મ પુરસ્કાર 

આ વર્ષે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર અપાયો છે... જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે... બીજી મહત્વની વાત જાણવી જરૂરી છે કે પદ્મ પુરસ્કારમાં કોઈ પણ રોકડા રૂપિયા આપવામાં નથી આવતા... આ પુરસ્કારથી રાજ્ય સ્તરે ઓળખ મળે છે.. આ સિવાય રેલવે મુસાફરી કે વિમાન મુસાફરીમાં પણ કોઈ છૂટ નથી મળતી






હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.