મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો માટે યુનિક આઈડી અનિવાર્ય, નેશનલ મેડિકલ કમિશને જાહેર કર્યું નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-15 15:26:30

દેશના ડોક્ટરોને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે.  ડોક્ટરોને હવે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) મેળવવો અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ડોકટરો માટેનો આ UID NMC એથિક્સ બોર્ડ તરફથી જારી કરવામાં આવશે. આ UID ડોકટરોને NMRમાં નોંધણી કરવાની અને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની સુવિધા આપશે.


નેશનલ મેડિકલ રજિસ્ટર શા માટે?


નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નવા નોટિફિકેશન મુજબ દેશના તમામ રજિસ્ટર્ડ ડોક્ટરો માટે એક કોમન નેશનલ મેડિકલ રજિસ્ટર હશે. NMC હેઠળના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) દ્વારા તેની જાળવણી કરવામાં આવશે. આ રજિસ્ટરમાં વિવિધ રાજ્યોની મેડિકલ કાઉન્સિલના તમામ રજિસ્ટર્ડ ડૉક્ટરોની માહિતી સામેલ હશે અને તેમાં ડૉક્ટર વિશેની તમામ જરૂરી માહિતી હશે.


લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય


કેન્દ્ર સરકારના નવો કાયદો  'મેડિકલ પ્રેક્ટિશનર્સની નોંધણી અને પ્રેક્ટિસ મેડિસિન રેગ્યુલેશન્સ માટે લાઇસન્સ, 2023' જણાવે છે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને જારી કરાયેલ મેડિસિન પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. જે બાદ મેડિકલ પ્રેક્ટિશનરે સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં અરજી કરીને લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહેશે. લાયસન્સની માન્યતા સમાપ્ત થયાના ત્રણ મહિના પહેલા લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરી શકાય છે.


મોદી સરકારની મોટી પહેલ


નરેન્દ્ર મોદી સરકારની જન આરોગ્ય યોજના માટે અમલીકરણ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ આ પહેલ કરી છે.છેલ્લા કેટલાક મહિનાઓથી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવા પર કામ કરી રહી છે. દરેક ભારતીય ડોક્ટર માટે યુનિક આઈડી આપવાની યોજના આમાં સૌથી મહત્વપૂર્ણ હતી.આ ડેટાબેઝ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) હેઠળ લાવવામાં આવી રહેલી નવી સુવિધાઓનો એક ભાગ છે. હવે દરેક માહિતી એપ કે વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.