મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો માટે યુનિક આઈડી અનિવાર્ય, નેશનલ મેડિકલ કમિશને જાહેર કર્યું નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-15 15:26:30

દેશના ડોક્ટરોને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે.  ડોક્ટરોને હવે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) મેળવવો અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ડોકટરો માટેનો આ UID NMC એથિક્સ બોર્ડ તરફથી જારી કરવામાં આવશે. આ UID ડોકટરોને NMRમાં નોંધણી કરવાની અને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની સુવિધા આપશે.


નેશનલ મેડિકલ રજિસ્ટર શા માટે?


નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નવા નોટિફિકેશન મુજબ દેશના તમામ રજિસ્ટર્ડ ડોક્ટરો માટે એક કોમન નેશનલ મેડિકલ રજિસ્ટર હશે. NMC હેઠળના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) દ્વારા તેની જાળવણી કરવામાં આવશે. આ રજિસ્ટરમાં વિવિધ રાજ્યોની મેડિકલ કાઉન્સિલના તમામ રજિસ્ટર્ડ ડૉક્ટરોની માહિતી સામેલ હશે અને તેમાં ડૉક્ટર વિશેની તમામ જરૂરી માહિતી હશે.


લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય


કેન્દ્ર સરકારના નવો કાયદો  'મેડિકલ પ્રેક્ટિશનર્સની નોંધણી અને પ્રેક્ટિસ મેડિસિન રેગ્યુલેશન્સ માટે લાઇસન્સ, 2023' જણાવે છે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને જારી કરાયેલ મેડિસિન પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. જે બાદ મેડિકલ પ્રેક્ટિશનરે સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં અરજી કરીને લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહેશે. લાયસન્સની માન્યતા સમાપ્ત થયાના ત્રણ મહિના પહેલા લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરી શકાય છે.


મોદી સરકારની મોટી પહેલ


નરેન્દ્ર મોદી સરકારની જન આરોગ્ય યોજના માટે અમલીકરણ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ આ પહેલ કરી છે.છેલ્લા કેટલાક મહિનાઓથી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવા પર કામ કરી રહી છે. દરેક ભારતીય ડોક્ટર માટે યુનિક આઈડી આપવાની યોજના આમાં સૌથી મહત્વપૂર્ણ હતી.આ ડેટાબેઝ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) હેઠળ લાવવામાં આવી રહેલી નવી સુવિધાઓનો એક ભાગ છે. હવે દરેક માહિતી એપ કે વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.