મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો માટે યુનિક આઈડી અનિવાર્ય, નેશનલ મેડિકલ કમિશને જાહેર કર્યું નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-15 15:26:30

દેશના ડોક્ટરોને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે.  ડોક્ટરોને હવે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) મેળવવો અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ડોકટરો માટેનો આ UID NMC એથિક્સ બોર્ડ તરફથી જારી કરવામાં આવશે. આ UID ડોકટરોને NMRમાં નોંધણી કરવાની અને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની સુવિધા આપશે.


નેશનલ મેડિકલ રજિસ્ટર શા માટે?


નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નવા નોટિફિકેશન મુજબ દેશના તમામ રજિસ્ટર્ડ ડોક્ટરો માટે એક કોમન નેશનલ મેડિકલ રજિસ્ટર હશે. NMC હેઠળના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) દ્વારા તેની જાળવણી કરવામાં આવશે. આ રજિસ્ટરમાં વિવિધ રાજ્યોની મેડિકલ કાઉન્સિલના તમામ રજિસ્ટર્ડ ડૉક્ટરોની માહિતી સામેલ હશે અને તેમાં ડૉક્ટર વિશેની તમામ જરૂરી માહિતી હશે.


લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય


કેન્દ્ર સરકારના નવો કાયદો  'મેડિકલ પ્રેક્ટિશનર્સની નોંધણી અને પ્રેક્ટિસ મેડિસિન રેગ્યુલેશન્સ માટે લાઇસન્સ, 2023' જણાવે છે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને જારી કરાયેલ મેડિસિન પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. જે બાદ મેડિકલ પ્રેક્ટિશનરે સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં અરજી કરીને લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહેશે. લાયસન્સની માન્યતા સમાપ્ત થયાના ત્રણ મહિના પહેલા લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરી શકાય છે.


મોદી સરકારની મોટી પહેલ


નરેન્દ્ર મોદી સરકારની જન આરોગ્ય યોજના માટે અમલીકરણ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ આ પહેલ કરી છે.છેલ્લા કેટલાક મહિનાઓથી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવા પર કામ કરી રહી છે. દરેક ભારતીય ડોક્ટર માટે યુનિક આઈડી આપવાની યોજના આમાં સૌથી મહત્વપૂર્ણ હતી.આ ડેટાબેઝ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) હેઠળ લાવવામાં આવી રહેલી નવી સુવિધાઓનો એક ભાગ છે. હવે દરેક માહિતી એપ કે વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.