મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો માટે યુનિક આઈડી અનિવાર્ય, નેશનલ મેડિકલ કમિશને જાહેર કર્યું નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-15 15:26:30

દેશના ડોક્ટરોને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે.  ડોક્ટરોને હવે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) મેળવવો અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ડોકટરો માટેનો આ UID NMC એથિક્સ બોર્ડ તરફથી જારી કરવામાં આવશે. આ UID ડોકટરોને NMRમાં નોંધણી કરવાની અને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની સુવિધા આપશે.


નેશનલ મેડિકલ રજિસ્ટર શા માટે?


નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નવા નોટિફિકેશન મુજબ દેશના તમામ રજિસ્ટર્ડ ડોક્ટરો માટે એક કોમન નેશનલ મેડિકલ રજિસ્ટર હશે. NMC હેઠળના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) દ્વારા તેની જાળવણી કરવામાં આવશે. આ રજિસ્ટરમાં વિવિધ રાજ્યોની મેડિકલ કાઉન્સિલના તમામ રજિસ્ટર્ડ ડૉક્ટરોની માહિતી સામેલ હશે અને તેમાં ડૉક્ટર વિશેની તમામ જરૂરી માહિતી હશે.


લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય


કેન્દ્ર સરકારના નવો કાયદો  'મેડિકલ પ્રેક્ટિશનર્સની નોંધણી અને પ્રેક્ટિસ મેડિસિન રેગ્યુલેશન્સ માટે લાઇસન્સ, 2023' જણાવે છે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને જારી કરાયેલ મેડિસિન પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. જે બાદ મેડિકલ પ્રેક્ટિશનરે સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં અરજી કરીને લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહેશે. લાયસન્સની માન્યતા સમાપ્ત થયાના ત્રણ મહિના પહેલા લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરી શકાય છે.


મોદી સરકારની મોટી પહેલ


નરેન્દ્ર મોદી સરકારની જન આરોગ્ય યોજના માટે અમલીકરણ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ આ પહેલ કરી છે.છેલ્લા કેટલાક મહિનાઓથી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવા પર કામ કરી રહી છે. દરેક ભારતીય ડોક્ટર માટે યુનિક આઈડી આપવાની યોજના આમાં સૌથી મહત્વપૂર્ણ હતી.આ ડેટાબેઝ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) હેઠળ લાવવામાં આવી રહેલી નવી સુવિધાઓનો એક ભાગ છે. હવે દરેક માહિતી એપ કે વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.