મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો માટે યુનિક આઈડી અનિવાર્ય, નેશનલ મેડિકલ કમિશને જાહેર કર્યું નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-15 15:26:30

દેશના ડોક્ટરોને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે.  ડોક્ટરોને હવે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) મેળવવો અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ડોકટરો માટેનો આ UID NMC એથિક્સ બોર્ડ તરફથી જારી કરવામાં આવશે. આ UID ડોકટરોને NMRમાં નોંધણી કરવાની અને ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવાની સુવિધા આપશે.


નેશનલ મેડિકલ રજિસ્ટર શા માટે?


નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નવા નોટિફિકેશન મુજબ દેશના તમામ રજિસ્ટર્ડ ડોક્ટરો માટે એક કોમન નેશનલ મેડિકલ રજિસ્ટર હશે. NMC હેઠળના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) દ્વારા તેની જાળવણી કરવામાં આવશે. આ રજિસ્ટરમાં વિવિધ રાજ્યોની મેડિકલ કાઉન્સિલના તમામ રજિસ્ટર્ડ ડૉક્ટરોની માહિતી સામેલ હશે અને તેમાં ડૉક્ટર વિશેની તમામ જરૂરી માહિતી હશે.


લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય


કેન્દ્ર સરકારના નવો કાયદો  'મેડિકલ પ્રેક્ટિશનર્સની નોંધણી અને પ્રેક્ટિસ મેડિસિન રેગ્યુલેશન્સ માટે લાઇસન્સ, 2023' જણાવે છે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને જારી કરાયેલ મેડિસિન પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ પાંચ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે. જે બાદ મેડિકલ પ્રેક્ટિશનરે સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં અરજી કરીને લાઇસન્સ રિન્યુ કરાવવાનું રહેશે. લાયસન્સની માન્યતા સમાપ્ત થયાના ત્રણ મહિના પહેલા લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરી શકાય છે.


મોદી સરકારની મોટી પહેલ


નરેન્દ્ર મોદી સરકારની જન આરોગ્ય યોજના માટે અમલીકરણ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ આ પહેલ કરી છે.છેલ્લા કેટલાક મહિનાઓથી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવા પર કામ કરી રહી છે. દરેક ભારતીય ડોક્ટર માટે યુનિક આઈડી આપવાની યોજના આમાં સૌથી મહત્વપૂર્ણ હતી.આ ડેટાબેઝ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) હેઠળ લાવવામાં આવી રહેલી નવી સુવિધાઓનો એક ભાગ છે. હવે દરેક માહિતી એપ કે વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.