ડોક્ટરોએ ગામડાઓમાં પોસ્ટીંગ નકારી, મહારાષ્ટ્રમાં 66 ટકા ડોક્ટરોએ રૂ.10 લાખનો દંડ ભર્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 14:50:47

દેશમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે MBBSની ડિગ્રી મેળવ્યા બાદ ગામડામાં એક વર્ષ સુધી સેવા આપવી ફરજીયાત છે. જો કે આ સરકારી નિયમનું મેડિકલના બહુ ઓછા વિદ્યાર્થીઓ પાલન કરે છે. ગાંમડામાં સેવા આપવાના બદલે મેડિકલ વિદ્યાર્થીઓ 10 લાખ જેટલો દંડ ભરવા માટે તૈયાર થઈ જાય છે.


જે.જે.હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યા


મેડિકલ વિદ્યાર્થીઓ અંગેની આ ચોંકાવનારી વિગતો મહારાષ્ટ્રની સૌથી મોટી મેડિકલ કોલેજ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (GMC) અથવા  જે.જે.હૉસ્પિટલમાંથી સામે આવી છે આ મેડિકલ કોલેજમાં 2015 થી 2021 દરમ્યાન  MBBS થયેલાં રાજ્યના આશરે બે તૃતીયાંશ વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા ને નકારી તેને બદલે દંડ ભરવાનું પસંદ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યાં છે, જેમાંના કેટલાંક વિદ્યાર્થીઓની દંડની ચૂકવણી હજી બાકી છે.


મહારાષ્ટ્ર સરકારે નિયમ બદલ્યો


વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને દર એક હજાર વ્યક્તિએ એક ડૉક્ટરનો ગુણોત્તર દર્શાવ્યો છે. મહારાષ્ટ્રમાં આ ગુણોત્તર દર હજાર વ્યક્તિએ 0.84 ડૉક્ટરનો છે. વળી ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તરમાં વધુ અંતર જોવા મળે છે. આ અંતરને ઘટાડવા રાજ્ય સરકારે વર્ષો પહેલાં MBBS કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે એક વર્ષ ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટિંગ કે જેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સર્વિસ પણ કહે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે આ મેન્ડન્ટરી હેલ્થ સર્વિસનો નિયમ બદલતા આજે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓ ના બરાબર છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.