ડોક્ટરોએ ગામડાઓમાં પોસ્ટીંગ નકારી, મહારાષ્ટ્રમાં 66 ટકા ડોક્ટરોએ રૂ.10 લાખનો દંડ ભર્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 14:50:47

દેશમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે MBBSની ડિગ્રી મેળવ્યા બાદ ગામડામાં એક વર્ષ સુધી સેવા આપવી ફરજીયાત છે. જો કે આ સરકારી નિયમનું મેડિકલના બહુ ઓછા વિદ્યાર્થીઓ પાલન કરે છે. ગાંમડામાં સેવા આપવાના બદલે મેડિકલ વિદ્યાર્થીઓ 10 લાખ જેટલો દંડ ભરવા માટે તૈયાર થઈ જાય છે.


જે.જે.હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યા


મેડિકલ વિદ્યાર્થીઓ અંગેની આ ચોંકાવનારી વિગતો મહારાષ્ટ્રની સૌથી મોટી મેડિકલ કોલેજ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (GMC) અથવા  જે.જે.હૉસ્પિટલમાંથી સામે આવી છે આ મેડિકલ કોલેજમાં 2015 થી 2021 દરમ્યાન  MBBS થયેલાં રાજ્યના આશરે બે તૃતીયાંશ વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા ને નકારી તેને બદલે દંડ ભરવાનું પસંદ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યાં છે, જેમાંના કેટલાંક વિદ્યાર્થીઓની દંડની ચૂકવણી હજી બાકી છે.


મહારાષ્ટ્ર સરકારે નિયમ બદલ્યો


વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને દર એક હજાર વ્યક્તિએ એક ડૉક્ટરનો ગુણોત્તર દર્શાવ્યો છે. મહારાષ્ટ્રમાં આ ગુણોત્તર દર હજાર વ્યક્તિએ 0.84 ડૉક્ટરનો છે. વળી ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તરમાં વધુ અંતર જોવા મળે છે. આ અંતરને ઘટાડવા રાજ્ય સરકારે વર્ષો પહેલાં MBBS કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે એક વર્ષ ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટિંગ કે જેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સર્વિસ પણ કહે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે આ મેન્ડન્ટરી હેલ્થ સર્વિસનો નિયમ બદલતા આજે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓ ના બરાબર છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.