ડોક્ટરોએ ગામડાઓમાં પોસ્ટીંગ નકારી, મહારાષ્ટ્રમાં 66 ટકા ડોક્ટરોએ રૂ.10 લાખનો દંડ ભર્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 14:50:47

દેશમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે MBBSની ડિગ્રી મેળવ્યા બાદ ગામડામાં એક વર્ષ સુધી સેવા આપવી ફરજીયાત છે. જો કે આ સરકારી નિયમનું મેડિકલના બહુ ઓછા વિદ્યાર્થીઓ પાલન કરે છે. ગાંમડામાં સેવા આપવાના બદલે મેડિકલ વિદ્યાર્થીઓ 10 લાખ જેટલો દંડ ભરવા માટે તૈયાર થઈ જાય છે.


જે.જે.હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યા


મેડિકલ વિદ્યાર્થીઓ અંગેની આ ચોંકાવનારી વિગતો મહારાષ્ટ્રની સૌથી મોટી મેડિકલ કોલેજ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (GMC) અથવા  જે.જે.હૉસ્પિટલમાંથી સામે આવી છે આ મેડિકલ કોલેજમાં 2015 થી 2021 દરમ્યાન  MBBS થયેલાં રાજ્યના આશરે બે તૃતીયાંશ વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા ને નકારી તેને બદલે દંડ ભરવાનું પસંદ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યાં છે, જેમાંના કેટલાંક વિદ્યાર્થીઓની દંડની ચૂકવણી હજી બાકી છે.


મહારાષ્ટ્ર સરકારે નિયમ બદલ્યો


વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને દર એક હજાર વ્યક્તિએ એક ડૉક્ટરનો ગુણોત્તર દર્શાવ્યો છે. મહારાષ્ટ્રમાં આ ગુણોત્તર દર હજાર વ્યક્તિએ 0.84 ડૉક્ટરનો છે. વળી ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તરમાં વધુ અંતર જોવા મળે છે. આ અંતરને ઘટાડવા રાજ્ય સરકારે વર્ષો પહેલાં MBBS કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે એક વર્ષ ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટિંગ કે જેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સર્વિસ પણ કહે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે આ મેન્ડન્ટરી હેલ્થ સર્વિસનો નિયમ બદલતા આજે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓ ના બરાબર છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.