ડોક્ટરોએ ગામડાઓમાં પોસ્ટીંગ નકારી, મહારાષ્ટ્રમાં 66 ટકા ડોક્ટરોએ રૂ.10 લાખનો દંડ ભર્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 14:50:47

દેશમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે MBBSની ડિગ્રી મેળવ્યા બાદ ગામડામાં એક વર્ષ સુધી સેવા આપવી ફરજીયાત છે. જો કે આ સરકારી નિયમનું મેડિકલના બહુ ઓછા વિદ્યાર્થીઓ પાલન કરે છે. ગાંમડામાં સેવા આપવાના બદલે મેડિકલ વિદ્યાર્થીઓ 10 લાખ જેટલો દંડ ભરવા માટે તૈયાર થઈ જાય છે.


જે.જે.હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યા


મેડિકલ વિદ્યાર્થીઓ અંગેની આ ચોંકાવનારી વિગતો મહારાષ્ટ્રની સૌથી મોટી મેડિકલ કોલેજ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (GMC) અથવા  જે.જે.હૉસ્પિટલમાંથી સામે આવી છે આ મેડિકલ કોલેજમાં 2015 થી 2021 દરમ્યાન  MBBS થયેલાં રાજ્યના આશરે બે તૃતીયાંશ વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા ને નકારી તેને બદલે દંડ ભરવાનું પસંદ કર્યું છે. આ સમયગાળા દરમ્યાન હૉસ્પિટલને 27 કરોડ રુપિયા દંડ પેટે મળ્યાં છે, જેમાંના કેટલાંક વિદ્યાર્થીઓની દંડની ચૂકવણી હજી બાકી છે.


મહારાષ્ટ્ર સરકારે નિયમ બદલ્યો


વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને દર એક હજાર વ્યક્તિએ એક ડૉક્ટરનો ગુણોત્તર દર્શાવ્યો છે. મહારાષ્ટ્રમાં આ ગુણોત્તર દર હજાર વ્યક્તિએ 0.84 ડૉક્ટરનો છે. વળી ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તરમાં વધુ અંતર જોવા મળે છે. આ અંતરને ઘટાડવા રાજ્ય સરકારે વર્ષો પહેલાં MBBS કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે એક વર્ષ ફરજિયાત ગ્રામીણ વિસ્તારમાં પોસ્ટિંગ કે જેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સર્વિસ પણ કહે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે આ મેન્ડન્ટરી હેલ્થ સર્વિસનો નિયમ બદલતા આજે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓ ના બરાબર છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.