આખરે ટ્રમ્પએ ઈરાન અને ઇઝરાયેલને કરી સીઝફાયરની ઓફર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-24 15:37:16

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી.  ઈરાને થોડાક સમય પેહલા કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. જેનાથી ઘણાય અખાતી દેશોમાં તણાવ વધી ગયો છે . જેના લીધે , કેટલાય અખાતી દેશોમાં એર સ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી . ઈરાને કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર ૬ મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો . ઇરાનના આ અટેક પછી , દોહામાં ઘણા ધડાકા સંભળાયાં હતા . 

Donald Trump: Presidency, Family, Education | HISTORY

આ હુમલો ઈરાન દ્વારા એટલે , કરવામાં આવ્યો હતો કેમ કે , યુએસએ જૂનની ૨૨મી એ મોડી રાતે , ઇરાનના પરમાણુ મથકો પર બી ટુ સ્ટીલ્થ બોમ્બર મદદથી હુમલો કર્યો હતો. અમેરિકાના આ હુમલાના બદલા રૂપ , ઈરાને છ મિસાઇલો દ્વારા કતારમાં આવેલા અમેરિકન એરબેઝ અલ ઉદ્દેઇડ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી હતી , જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું  છે કે , "ઇઝરાયેલ અને ઈરાન બેઉ મારી જોડે આવ્યા , બેઉ એ એક સાથે કહ્યું "શાંતિ" . હું જાણતો જ હતો કે તે સમય આવી ગયો . વિશ્વ અને પશ્ચિમ એશિયા ખરા વીજેતા છે. બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ નજીકના ભવિષ્યમાં ઘણો પ્રેમ , શાંતિ અને સમૃદ્ધિ જોશે. બેઉ દેશોને ઘણું મેળવવાનું છે પરંતુ બેઉ દેશોએ જો શાંતિ અને સત્યનો રસ્તો છોડ્યો તો , ઘણુંબધું ગુમાવવું પડશે. ઈરાન અને ઇઝરાયેલનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. " તો હવે આ બાબતે ઇરાનના વિદેશ મંત્રી , સયદ અબ્બાસ અરાઘચીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે , " ઈરાને ઘણી વાર રિપીટ કર્યું છે કે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં યુદ્ધની શરૂઆત કરી છે . હાલમાં કોઈ જ એગ્રીમેન્ટ સીઝફાયર માટે થયા નથી . ઇઝરાયેલને તેના આક્રમણની સજા આપવા માટે , અમારા શક્તિશાળી સશસ્ત્ર બળોનુ અભિયાન સવારે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે ." આમ ઈરાને સાફ રીતે આ શાંતિકરારો માટેની ટ્રમ્પની ઓફરને નકારી દીધી છે . 

Iran country profile - BBC News

જોકે હાલમાં હોર્મુઝની સમુદ્રધુનીમાં તણાવ વધી ગયો છે. જોકે ઓઇલ ટેંકર્સનું આવાગમન હજુ પણ યથાવત છે. ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધમાં , ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો છે , તે ઇઝરાયેલના આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. તેના લીધે આ વખતે ઇઝરાયેલમાં ભારે તબાહી મચી જવા પામી છે. તો હવે જોવાનું એ છે કે , ઈરાન આગળ શું કરે છે? કારણકે , જો ઈરાન અમેરિકાની આ ઓફર ઠુકરાવી દે તો , ખુબ મોટા પાયે પ્રાદેશિક યુદ્ધની સંભાવના વધી જશે .




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.