આખરે ટ્રમ્પએ ઈરાન અને ઇઝરાયેલને કરી સીઝફાયરની ઓફર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-24 15:37:16

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી.  ઈરાને થોડાક સમય પેહલા કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. જેનાથી ઘણાય અખાતી દેશોમાં તણાવ વધી ગયો છે . જેના લીધે , કેટલાય અખાતી દેશોમાં એર સ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી . ઈરાને કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર ૬ મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો . ઇરાનના આ અટેક પછી , દોહામાં ઘણા ધડાકા સંભળાયાં હતા . 

Donald Trump: Presidency, Family, Education | HISTORY

આ હુમલો ઈરાન દ્વારા એટલે , કરવામાં આવ્યો હતો કેમ કે , યુએસએ જૂનની ૨૨મી એ મોડી રાતે , ઇરાનના પરમાણુ મથકો પર બી ટુ સ્ટીલ્થ બોમ્બર મદદથી હુમલો કર્યો હતો. અમેરિકાના આ હુમલાના બદલા રૂપ , ઈરાને છ મિસાઇલો દ્વારા કતારમાં આવેલા અમેરિકન એરબેઝ અલ ઉદ્દેઇડ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી હતી , જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું  છે કે , "ઇઝરાયેલ અને ઈરાન બેઉ મારી જોડે આવ્યા , બેઉ એ એક સાથે કહ્યું "શાંતિ" . હું જાણતો જ હતો કે તે સમય આવી ગયો . વિશ્વ અને પશ્ચિમ એશિયા ખરા વીજેતા છે. બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ નજીકના ભવિષ્યમાં ઘણો પ્રેમ , શાંતિ અને સમૃદ્ધિ જોશે. બેઉ દેશોને ઘણું મેળવવાનું છે પરંતુ બેઉ દેશોએ જો શાંતિ અને સત્યનો રસ્તો છોડ્યો તો , ઘણુંબધું ગુમાવવું પડશે. ઈરાન અને ઇઝરાયેલનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. " તો હવે આ બાબતે ઇરાનના વિદેશ મંત્રી , સયદ અબ્બાસ અરાઘચીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે , " ઈરાને ઘણી વાર રિપીટ કર્યું છે કે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં યુદ્ધની શરૂઆત કરી છે . હાલમાં કોઈ જ એગ્રીમેન્ટ સીઝફાયર માટે થયા નથી . ઇઝરાયેલને તેના આક્રમણની સજા આપવા માટે , અમારા શક્તિશાળી સશસ્ત્ર બળોનુ અભિયાન સવારે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે ." આમ ઈરાને સાફ રીતે આ શાંતિકરારો માટેની ટ્રમ્પની ઓફરને નકારી દીધી છે . 

Iran country profile - BBC News

જોકે હાલમાં હોર્મુઝની સમુદ્રધુનીમાં તણાવ વધી ગયો છે. જોકે ઓઇલ ટેંકર્સનું આવાગમન હજુ પણ યથાવત છે. ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધમાં , ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો છે , તે ઇઝરાયેલના આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. તેના લીધે આ વખતે ઇઝરાયેલમાં ભારે તબાહી મચી જવા પામી છે. તો હવે જોવાનું એ છે કે , ઈરાન આગળ શું કરે છે? કારણકે , જો ઈરાન અમેરિકાની આ ઓફર ઠુકરાવી દે તો , ખુબ મોટા પાયે પ્રાદેશિક યુદ્ધની સંભાવના વધી જશે .




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .