આખરે ટ્રમ્પએ ઈરાન અને ઇઝરાયેલને કરી સીઝફાયરની ઓફર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-24 15:37:16

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી.  ઈરાને થોડાક સમય પેહલા કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. જેનાથી ઘણાય અખાતી દેશોમાં તણાવ વધી ગયો છે . જેના લીધે , કેટલાય અખાતી દેશોમાં એર સ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી . ઈરાને કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર ૬ મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો . ઇરાનના આ અટેક પછી , દોહામાં ઘણા ધડાકા સંભળાયાં હતા . 

Donald Trump: Presidency, Family, Education | HISTORY

આ હુમલો ઈરાન દ્વારા એટલે , કરવામાં આવ્યો હતો કેમ કે , યુએસએ જૂનની ૨૨મી એ મોડી રાતે , ઇરાનના પરમાણુ મથકો પર બી ટુ સ્ટીલ્થ બોમ્બર મદદથી હુમલો કર્યો હતો. અમેરિકાના આ હુમલાના બદલા રૂપ , ઈરાને છ મિસાઇલો દ્વારા કતારમાં આવેલા અમેરિકન એરબેઝ અલ ઉદ્દેઇડ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી હતી , જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું  છે કે , "ઇઝરાયેલ અને ઈરાન બેઉ મારી જોડે આવ્યા , બેઉ એ એક સાથે કહ્યું "શાંતિ" . હું જાણતો જ હતો કે તે સમય આવી ગયો . વિશ્વ અને પશ્ચિમ એશિયા ખરા વીજેતા છે. બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ નજીકના ભવિષ્યમાં ઘણો પ્રેમ , શાંતિ અને સમૃદ્ધિ જોશે. બેઉ દેશોને ઘણું મેળવવાનું છે પરંતુ બેઉ દેશોએ જો શાંતિ અને સત્યનો રસ્તો છોડ્યો તો , ઘણુંબધું ગુમાવવું પડશે. ઈરાન અને ઇઝરાયેલનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. " તો હવે આ બાબતે ઇરાનના વિદેશ મંત્રી , સયદ અબ્બાસ અરાઘચીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે , " ઈરાને ઘણી વાર રિપીટ કર્યું છે કે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં યુદ્ધની શરૂઆત કરી છે . હાલમાં કોઈ જ એગ્રીમેન્ટ સીઝફાયર માટે થયા નથી . ઇઝરાયેલને તેના આક્રમણની સજા આપવા માટે , અમારા શક્તિશાળી સશસ્ત્ર બળોનુ અભિયાન સવારે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે ." આમ ઈરાને સાફ રીતે આ શાંતિકરારો માટેની ટ્રમ્પની ઓફરને નકારી દીધી છે . 

Iran country profile - BBC News

જોકે હાલમાં હોર્મુઝની સમુદ્રધુનીમાં તણાવ વધી ગયો છે. જોકે ઓઇલ ટેંકર્સનું આવાગમન હજુ પણ યથાવત છે. ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધમાં , ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો છે , તે ઇઝરાયેલના આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. તેના લીધે આ વખતે ઇઝરાયેલમાં ભારે તબાહી મચી જવા પામી છે. તો હવે જોવાનું એ છે કે , ઈરાન આગળ શું કરે છે? કારણકે , જો ઈરાન અમેરિકાની આ ઓફર ઠુકરાવી દે તો , ખુબ મોટા પાયે પ્રાદેશિક યુદ્ધની સંભાવના વધી જશે .




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.