આખરે ટ્રમ્પએ ઈરાન અને ઇઝરાયેલને કરી સીઝફાયરની ઓફર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-24 15:37:16

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી.  ઈરાને થોડાક સમય પેહલા કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. જેનાથી ઘણાય અખાતી દેશોમાં તણાવ વધી ગયો છે . જેના લીધે , કેટલાય અખાતી દેશોમાં એર સ્પેસ બંધ કરવાની ફરજ પડી હતી . ઈરાને કતારમાં આવેલા અલ ઉદ્દેઇડ એર બેઝ પર ૬ મિસાઇલો દ્વારા હુમલો કર્યો હતો . ઇરાનના આ અટેક પછી , દોહામાં ઘણા ધડાકા સંભળાયાં હતા . 

Donald Trump: Presidency, Family, Education | HISTORY

આ હુમલો ઈરાન દ્વારા એટલે , કરવામાં આવ્યો હતો કેમ કે , યુએસએ જૂનની ૨૨મી એ મોડી રાતે , ઇરાનના પરમાણુ મથકો પર બી ટુ સ્ટીલ્થ બોમ્બર મદદથી હુમલો કર્યો હતો. અમેરિકાના આ હુમલાના બદલા રૂપ , ઈરાને છ મિસાઇલો દ્વારા કતારમાં આવેલા અમેરિકન એરબેઝ અલ ઉદ્દેઇડ પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી હતી , જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું  છે કે , "ઇઝરાયેલ અને ઈરાન બેઉ મારી જોડે આવ્યા , બેઉ એ એક સાથે કહ્યું "શાંતિ" . હું જાણતો જ હતો કે તે સમય આવી ગયો . વિશ્વ અને પશ્ચિમ એશિયા ખરા વીજેતા છે. બેઉ દેશો ઈરાન અને ઇઝરાયેલ નજીકના ભવિષ્યમાં ઘણો પ્રેમ , શાંતિ અને સમૃદ્ધિ જોશે. બેઉ દેશોને ઘણું મેળવવાનું છે પરંતુ બેઉ દેશોએ જો શાંતિ અને સત્યનો રસ્તો છોડ્યો તો , ઘણુંબધું ગુમાવવું પડશે. ઈરાન અને ઇઝરાયેલનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે. " તો હવે આ બાબતે ઇરાનના વિદેશ મંત્રી , સયદ અબ્બાસ અરાઘચીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે , " ઈરાને ઘણી વાર રિપીટ કર્યું છે કે , ઇઝરાયેલએ ઈરાનની વિરુદ્ધમાં યુદ્ધની શરૂઆત કરી છે . હાલમાં કોઈ જ એગ્રીમેન્ટ સીઝફાયર માટે થયા નથી . ઇઝરાયેલને તેના આક્રમણની સજા આપવા માટે , અમારા શક્તિશાળી સશસ્ત્ર બળોનુ અભિયાન સવારે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે ." આમ ઈરાને સાફ રીતે આ શાંતિકરારો માટેની ટ્રમ્પની ઓફરને નકારી દીધી છે . 

Iran country profile - BBC News

જોકે હાલમાં હોર્મુઝની સમુદ્રધુનીમાં તણાવ વધી ગયો છે. જોકે ઓઇલ ટેંકર્સનું આવાગમન હજુ પણ યથાવત છે. ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધમાં , ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો છે , તે ઇઝરાયેલના આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. તેના લીધે આ વખતે ઇઝરાયેલમાં ભારે તબાહી મચી જવા પામી છે. તો હવે જોવાનું એ છે કે , ઈરાન આગળ શું કરે છે? કારણકે , જો ઈરાન અમેરિકાની આ ઓફર ઠુકરાવી દે તો , ખુબ મોટા પાયે પ્રાદેશિક યુદ્ધની સંભાવના વધી જશે .




ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે .