અમરેલીમાં રેતી ચોરી રેકેટનો ભાજપના જ નેતાએ જ કર્યો પર્દાફાશ, એક ટ્વિટથી રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-14 21:12:22

અમરેલી જિલ્લામાં રેતી ચોરી મોટી સમસ્યા બની છે, રેતી માફિયાઓ નિચિંત બનીને રેતી ચોરી કરતા રહે છે. તેમની ધાક એવી છે કે સ્થાનિક લોકો પણ હરફ ઉચ્ચારી શકતા નથી. જો કે ભાજપના મોટા ગજાના સ્થાનિક નેતા ડોક્ટર ભરત કાનાબારે હિંમત કરીને ખુલ્લેઆમ ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામે પાસે ચાલી રહેલા ખનન મામલે તેમણે PM મોદીને ટેગ કરીને ટવીટ કરતા ખળભળાંટ મચી ગયો છે.


 ડો. ભરત કાનાબારે શું ટ્વીટ કર્યું?


અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં ભરત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું કે, અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ! રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત. તેમણે તે ઉપરાંત તેમણે તે પણ લખ્યું છે કે, સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોક પ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા!.


રાજકારણ ગરમાયું  


ડો. ભરત કાનાબારે તેમના ટ્વીટમાં કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો પણ ટ્વિટ મારફતે કર્યા છે. તેમણે ટ્વીટમાં સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિનો ઉલ્લેખ કરી તેમના દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ એક માત્ર ટ્વિટથી સ્થાનિક અને ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. 


મામલતદારે રેતી ચોરીનું રેકેટ પકડ્યું 


રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી થઈ રહી છે. તેની બાતમી મળતા મામલતદાર સંદીપ સિંહ જાદવ મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ પહોંચ્યા હતા. બાદમાં તેમણે 1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજારો લાખો ટન રેતી ચોરી કર્યાનું મામલતદારની તપાસમાં ખુલ્યું છે. આ રીતે મામલતદારે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેટ પકડ્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.