અમરેલીમાં રેતી ચોરી રેકેટનો ભાજપના જ નેતાએ જ કર્યો પર્દાફાશ, એક ટ્વિટથી રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-14 21:12:22

અમરેલી જિલ્લામાં રેતી ચોરી મોટી સમસ્યા બની છે, રેતી માફિયાઓ નિચિંત બનીને રેતી ચોરી કરતા રહે છે. તેમની ધાક એવી છે કે સ્થાનિક લોકો પણ હરફ ઉચ્ચારી શકતા નથી. જો કે ભાજપના મોટા ગજાના સ્થાનિક નેતા ડોક્ટર ભરત કાનાબારે હિંમત કરીને ખુલ્લેઆમ ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામે પાસે ચાલી રહેલા ખનન મામલે તેમણે PM મોદીને ટેગ કરીને ટવીટ કરતા ખળભળાંટ મચી ગયો છે.


 ડો. ભરત કાનાબારે શું ટ્વીટ કર્યું?


અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં ભરત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું કે, અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ! રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત. તેમણે તે ઉપરાંત તેમણે તે પણ લખ્યું છે કે, સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોક પ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા!.


રાજકારણ ગરમાયું  


ડો. ભરત કાનાબારે તેમના ટ્વીટમાં કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો પણ ટ્વિટ મારફતે કર્યા છે. તેમણે ટ્વીટમાં સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિનો ઉલ્લેખ કરી તેમના દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ એક માત્ર ટ્વિટથી સ્થાનિક અને ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. 


મામલતદારે રેતી ચોરીનું રેકેટ પકડ્યું 


રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી થઈ રહી છે. તેની બાતમી મળતા મામલતદાર સંદીપ સિંહ જાદવ મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ પહોંચ્યા હતા. બાદમાં તેમણે 1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજારો લાખો ટન રેતી ચોરી કર્યાનું મામલતદારની તપાસમાં ખુલ્યું છે. આ રીતે મામલતદારે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેટ પકડ્યું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.