અમરેલીમાં રેતી ચોરી રેકેટનો ભાજપના જ નેતાએ જ કર્યો પર્દાફાશ, એક ટ્વિટથી રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-02-14 21:12:22

અમરેલી જિલ્લામાં રેતી ચોરી મોટી સમસ્યા બની છે, રેતી માફિયાઓ નિચિંત બનીને રેતી ચોરી કરતા રહે છે. તેમની ધાક એવી છે કે સ્થાનિક લોકો પણ હરફ ઉચ્ચારી શકતા નથી. જો કે ભાજપના મોટા ગજાના સ્થાનિક નેતા ડોક્ટર ભરત કાનાબારે હિંમત કરીને ખુલ્લેઆમ ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામે પાસે ચાલી રહેલા ખનન મામલે તેમણે PM મોદીને ટેગ કરીને ટવીટ કરતા ખળભળાંટ મચી ગયો છે.


 ડો. ભરત કાનાબારે શું ટ્વીટ કર્યું?


અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં ભરત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું કે, અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ! રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત. તેમણે તે ઉપરાંત તેમણે તે પણ લખ્યું છે કે, સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોક પ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા!.


રાજકારણ ગરમાયું  


ડો. ભરત કાનાબારે તેમના ટ્વીટમાં કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો પણ ટ્વિટ મારફતે કર્યા છે. તેમણે ટ્વીટમાં સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિનો ઉલ્લેખ કરી તેમના દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ એક માત્ર ટ્વિટથી સ્થાનિક અને ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. 


મામલતદારે રેતી ચોરીનું રેકેટ પકડ્યું 


રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી થઈ રહી છે. તેની બાતમી મળતા મામલતદાર સંદીપ સિંહ જાદવ મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ પહોંચ્યા હતા. બાદમાં તેમણે 1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજારો લાખો ટન રેતી ચોરી કર્યાનું મામલતદારની તપાસમાં ખુલ્યું છે. આ રીતે મામલતદારે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેટ પકડ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.