ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટર ઠાર, અનિલ દુજાના સામે 62 કેસ અને 75 હજારનું ઈનામ હતું


  • Published By :
  • Published Date : 2023-05-04 17:02:15

ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી અને એનસીઆરના ખતરનાક ગેંગસ્ટર અનિલ દુજાનાને યુપી એસટીએફએ મેરઠના જાની વિસ્તારમાં ઠાર માર્યો છે. અનિલ દુજાના સામે લગભગ 18 તો ખુન કેસ હતા, તે ઉપરાંત ખંડણી, લૂંટ, જમીન પર કબ્જો, આર્મ્સ એક્ટ સહિતના 62થી વધુ ગુના નોંધાયા હતા, તે અનેક કેસમાંફરાર હતો. અનિલ દુજાના પર 75 હજારનું ઈનામ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અનિલ દુજાના ગૌતમ બુધ્ધ નગરના બાદલપુરનો હિસ્ટ્રીશીટર હતો. તે બાદલપુરના દુજાના ગામનો વતની હતો. તેનું નામ ઉત્તર પ્રદેશના ટોચના ગેંગસ્ટરોની યાદીમાં આવતું હતું.  

 

પોલીસને મળી મોટી સફળતા


અનિલ દુજાના થોડા સમય પહેલા જ જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવ્યો હતો. તે જેલમાંથી આવતા જ જયચંદ પ્રધાન હત્યાકેસમાં તેમની પત્ની અને મુખ્ય સાક્ષી સંગીતાને મોતની ધમકી આપી હતી. આ કારણે પોલીસ એક્શનમાં આવી હતી. અનિલ દુજાનાની ધરપકડ માટે નોઈડા પોલીસ અને  UP ATF આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. થોડા દિવસોથી પોલીસની સાત ટીમે 20થી વધુ સ્થળો પર છાપા માર્યા હતા. અનિલ દુજાના જેલમાંથી બહાર આવતા સાક્ષીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.