ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટર ઠાર, અનિલ દુજાના સામે 62 કેસ અને 75 હજારનું ઈનામ હતું


  • Published By :
  • Published Date : 2023-05-04 17:02:15

ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી અને એનસીઆરના ખતરનાક ગેંગસ્ટર અનિલ દુજાનાને યુપી એસટીએફએ મેરઠના જાની વિસ્તારમાં ઠાર માર્યો છે. અનિલ દુજાના સામે લગભગ 18 તો ખુન કેસ હતા, તે ઉપરાંત ખંડણી, લૂંટ, જમીન પર કબ્જો, આર્મ્સ એક્ટ સહિતના 62થી વધુ ગુના નોંધાયા હતા, તે અનેક કેસમાંફરાર હતો. અનિલ દુજાના પર 75 હજારનું ઈનામ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અનિલ દુજાના ગૌતમ બુધ્ધ નગરના બાદલપુરનો હિસ્ટ્રીશીટર હતો. તે બાદલપુરના દુજાના ગામનો વતની હતો. તેનું નામ ઉત્તર પ્રદેશના ટોચના ગેંગસ્ટરોની યાદીમાં આવતું હતું.  

 

પોલીસને મળી મોટી સફળતા


અનિલ દુજાના થોડા સમય પહેલા જ જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવ્યો હતો. તે જેલમાંથી આવતા જ જયચંદ પ્રધાન હત્યાકેસમાં તેમની પત્ની અને મુખ્ય સાક્ષી સંગીતાને મોતની ધમકી આપી હતી. આ કારણે પોલીસ એક્શનમાં આવી હતી. અનિલ દુજાનાની ધરપકડ માટે નોઈડા પોલીસ અને  UP ATF આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. થોડા દિવસોથી પોલીસની સાત ટીમે 20થી વધુ સ્થળો પર છાપા માર્યા હતા. અનિલ દુજાના જેલમાંથી બહાર આવતા સાક્ષીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.