ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટર ઠાર, અનિલ દુજાના સામે 62 કેસ અને 75 હજારનું ઈનામ હતું


  • Published By :
  • Published Date : 2023-05-04 17:02:15

ઉત્તર પ્રદેશમાં વધુ એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પશ્ચિમ યુપી અને એનસીઆરના ખતરનાક ગેંગસ્ટર અનિલ દુજાનાને યુપી એસટીએફએ મેરઠના જાની વિસ્તારમાં ઠાર માર્યો છે. અનિલ દુજાના સામે લગભગ 18 તો ખુન કેસ હતા, તે ઉપરાંત ખંડણી, લૂંટ, જમીન પર કબ્જો, આર્મ્સ એક્ટ સહિતના 62થી વધુ ગુના નોંધાયા હતા, તે અનેક કેસમાંફરાર હતો. અનિલ દુજાના પર 75 હજારનું ઈનામ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અનિલ દુજાના ગૌતમ બુધ્ધ નગરના બાદલપુરનો હિસ્ટ્રીશીટર હતો. તે બાદલપુરના દુજાના ગામનો વતની હતો. તેનું નામ ઉત્તર પ્રદેશના ટોચના ગેંગસ્ટરોની યાદીમાં આવતું હતું.  

 

પોલીસને મળી મોટી સફળતા


અનિલ દુજાના થોડા સમય પહેલા જ જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવ્યો હતો. તે જેલમાંથી આવતા જ જયચંદ પ્રધાન હત્યાકેસમાં તેમની પત્ની અને મુખ્ય સાક્ષી સંગીતાને મોતની ધમકી આપી હતી. આ કારણે પોલીસ એક્શનમાં આવી હતી. અનિલ દુજાનાની ધરપકડ માટે નોઈડા પોલીસ અને  UP ATF આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. થોડા દિવસોથી પોલીસની સાત ટીમે 20થી વધુ સ્થળો પર છાપા માર્યા હતા. અનિલ દુજાના જેલમાંથી બહાર આવતા સાક્ષીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.