પ્રથમ દિવસે દ્રશ્યમ-2એ કરી બમ્પર કમાણી, દર્શકોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ


  • Published By :
  • Published Date : 2022-11-19 12:09:14

18 નવેમ્બરના રોજ દ્રશ્યમ 2 ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. 2015માં આ ફિલ્મનો પ્રથમ ભાગ એટલે કે દ્રશ્યમ બહાર પડ્યું હતું. ત્યારે 7 વર્ષ બાદ ફરીથી સલગાંવકર પરિવાર બોક્સ ઓફિસ પર પાછો આવ્યો છે. આ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મમાં જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યો છે. જૂની કહાનીને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો પ્રથમ દિવસે જ ફિલ્મે 15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 

Drishyam 2 Box Office: Ajay Devgan's 'Drishyam 2' got a bumper opening, earning more than expected on the first day Drishyam 2 Box Office: અજય દેવગનની 'દ્રશ્યમ 2' ને બમ્પર ઓપનિંગ મળ્યું, પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી

ફિલ્મને મળી રહ્યો છે દર્શકોનો પ્રેમ 

આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ સહિતના અનેક કલાકારોનો સમાવેશ થયો છે. જ્યારથી દ્રશ્યમ રિલીઝ થઈ હતી ત્યારથી લોકો ફિલ્મના બીજા ભાગની રાહ જોતા હતા. 7 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ બોક્સ ઓફિસ પર આવ્યો છે. મુવી રિલીઝ થયાના પ્રથમ દિવસે જ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આતુરતાથી રાહ જોતા દર્શકોએ ફિલ્મને પસંદ કરી છે.

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today 

શું છે દ્રશ્યમ-2 ફિલ્મની કહાની?

દ્રશ્યમ-2નું દર્શકનો પ્રેમ મળી રહ્યો છે. લોકો અજય દેવગણને વિજય સલગાંવકર તરીકે જોવાનું પસંદ કરી રહ્યા છે. આ સ્ટોરી જૂની ફિલ્મની કહાની પર આધારીત છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સમીર દેશમુખ મર્ડરકેસને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા. આ વાતને ભૂલી સલગાંવકર પરિવાર આગળ વધી ગયો છે પરંતુ આ વાતને મીરા ભૂલી શકી નથી. ડીઆજી મીરા પણ લંડન સ્થિત છે પરંતુ પુત્રની પુણ્યતિથિના સમયે ભારત આવી આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે. પુત્રના મર્ડરની વાત મીરા નથી ભૂલી જેને કારણે ફરી એક વખત પુરાવા ભેગા કરી કેસને રિ-ઓપન કરવામાં આવે છે. 

Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye Khanna Shines  As New IG -Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye  Khanna Shines As New IG

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે આ ફિલ્મ

ક્રાઈમ અને થ્રિલથી ભરેલી આ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યા છે. પહેલા દિવસે ફિલ્મની સારી કમાણી થતા એવું લાગી રહ્યું છે આ ફિલ્મની કમાણી 50 કરોડને પાર પહોંચી શકે છે. અજય દેવગણની ફિલ્મ એવા સમયે હિટ જઈ રહી છે જ્યારે અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ  જઈ રહી છે.   




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.