પ્રથમ દિવસે દ્રશ્યમ-2એ કરી બમ્પર કમાણી, દર્શકોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ


  • Published By :
  • Published Date : 2022-11-19 12:09:14

18 નવેમ્બરના રોજ દ્રશ્યમ 2 ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. 2015માં આ ફિલ્મનો પ્રથમ ભાગ એટલે કે દ્રશ્યમ બહાર પડ્યું હતું. ત્યારે 7 વર્ષ બાદ ફરીથી સલગાંવકર પરિવાર બોક્સ ઓફિસ પર પાછો આવ્યો છે. આ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મમાં જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યો છે. જૂની કહાનીને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો પ્રથમ દિવસે જ ફિલ્મે 15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 

Drishyam 2 Box Office: Ajay Devgan's 'Drishyam 2' got a bumper opening, earning more than expected on the first day Drishyam 2 Box Office: અજય દેવગનની 'દ્રશ્યમ 2' ને બમ્પર ઓપનિંગ મળ્યું, પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી

ફિલ્મને મળી રહ્યો છે દર્શકોનો પ્રેમ 

આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ સહિતના અનેક કલાકારોનો સમાવેશ થયો છે. જ્યારથી દ્રશ્યમ રિલીઝ થઈ હતી ત્યારથી લોકો ફિલ્મના બીજા ભાગની રાહ જોતા હતા. 7 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ બોક્સ ઓફિસ પર આવ્યો છે. મુવી રિલીઝ થયાના પ્રથમ દિવસે જ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આતુરતાથી રાહ જોતા દર્શકોએ ફિલ્મને પસંદ કરી છે.

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today 

શું છે દ્રશ્યમ-2 ફિલ્મની કહાની?

દ્રશ્યમ-2નું દર્શકનો પ્રેમ મળી રહ્યો છે. લોકો અજય દેવગણને વિજય સલગાંવકર તરીકે જોવાનું પસંદ કરી રહ્યા છે. આ સ્ટોરી જૂની ફિલ્મની કહાની પર આધારીત છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સમીર દેશમુખ મર્ડરકેસને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા. આ વાતને ભૂલી સલગાંવકર પરિવાર આગળ વધી ગયો છે પરંતુ આ વાતને મીરા ભૂલી શકી નથી. ડીઆજી મીરા પણ લંડન સ્થિત છે પરંતુ પુત્રની પુણ્યતિથિના સમયે ભારત આવી આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે. પુત્રના મર્ડરની વાત મીરા નથી ભૂલી જેને કારણે ફરી એક વખત પુરાવા ભેગા કરી કેસને રિ-ઓપન કરવામાં આવે છે. 

Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye Khanna Shines  As New IG -Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye  Khanna Shines As New IG

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે આ ફિલ્મ

ક્રાઈમ અને થ્રિલથી ભરેલી આ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યા છે. પહેલા દિવસે ફિલ્મની સારી કમાણી થતા એવું લાગી રહ્યું છે આ ફિલ્મની કમાણી 50 કરોડને પાર પહોંચી શકે છે. અજય દેવગણની ફિલ્મ એવા સમયે હિટ જઈ રહી છે જ્યારે અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ  જઈ રહી છે.   




સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.