પ્રથમ દિવસે દ્રશ્યમ-2એ કરી બમ્પર કમાણી, દર્શકોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ


  • Published By :
  • Published Date : 2022-11-19 12:09:14

18 નવેમ્બરના રોજ દ્રશ્યમ 2 ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. 2015માં આ ફિલ્મનો પ્રથમ ભાગ એટલે કે દ્રશ્યમ બહાર પડ્યું હતું. ત્યારે 7 વર્ષ બાદ ફરીથી સલગાંવકર પરિવાર બોક્સ ઓફિસ પર પાછો આવ્યો છે. આ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મમાં જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યો છે. જૂની કહાનીને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો પ્રથમ દિવસે જ ફિલ્મે 15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 

Drishyam 2 Box Office: Ajay Devgan's 'Drishyam 2' got a bumper opening, earning more than expected on the first day Drishyam 2 Box Office: અજય દેવગનની 'દ્રશ્યમ 2' ને બમ્પર ઓપનિંગ મળ્યું, પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી

ફિલ્મને મળી રહ્યો છે દર્શકોનો પ્રેમ 

આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ સહિતના અનેક કલાકારોનો સમાવેશ થયો છે. જ્યારથી દ્રશ્યમ રિલીઝ થઈ હતી ત્યારથી લોકો ફિલ્મના બીજા ભાગની રાહ જોતા હતા. 7 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ બોક્સ ઓફિસ પર આવ્યો છે. મુવી રિલીઝ થયાના પ્રથમ દિવસે જ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આતુરતાથી રાહ જોતા દર્શકોએ ફિલ્મને પસંદ કરી છે.

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today 

શું છે દ્રશ્યમ-2 ફિલ્મની કહાની?

દ્રશ્યમ-2નું દર્શકનો પ્રેમ મળી રહ્યો છે. લોકો અજય દેવગણને વિજય સલગાંવકર તરીકે જોવાનું પસંદ કરી રહ્યા છે. આ સ્ટોરી જૂની ફિલ્મની કહાની પર આધારીત છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સમીર દેશમુખ મર્ડરકેસને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા. આ વાતને ભૂલી સલગાંવકર પરિવાર આગળ વધી ગયો છે પરંતુ આ વાતને મીરા ભૂલી શકી નથી. ડીઆજી મીરા પણ લંડન સ્થિત છે પરંતુ પુત્રની પુણ્યતિથિના સમયે ભારત આવી આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે. પુત્રના મર્ડરની વાત મીરા નથી ભૂલી જેને કારણે ફરી એક વખત પુરાવા ભેગા કરી કેસને રિ-ઓપન કરવામાં આવે છે. 

Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye Khanna Shines  As New IG -Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye  Khanna Shines As New IG

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે આ ફિલ્મ

ક્રાઈમ અને થ્રિલથી ભરેલી આ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યા છે. પહેલા દિવસે ફિલ્મની સારી કમાણી થતા એવું લાગી રહ્યું છે આ ફિલ્મની કમાણી 50 કરોડને પાર પહોંચી શકે છે. અજય દેવગણની ફિલ્મ એવા સમયે હિટ જઈ રહી છે જ્યારે અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ  જઈ રહી છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.