પ્રથમ દિવસે દ્રશ્યમ-2એ કરી બમ્પર કમાણી, દર્શકોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ


  • Published By :
  • Published Date : 2022-11-19 12:09:14

18 નવેમ્બરના રોજ દ્રશ્યમ 2 ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. 2015માં આ ફિલ્મનો પ્રથમ ભાગ એટલે કે દ્રશ્યમ બહાર પડ્યું હતું. ત્યારે 7 વર્ષ બાદ ફરીથી સલગાંવકર પરિવાર બોક્સ ઓફિસ પર પાછો આવ્યો છે. આ ફિલ્મની જો વાત કરીએ તો આ ફિલ્મમાં જૂના કેસને રિ-ઓપન કરવામાં આવ્યો છે. જૂની કહાનીને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો પ્રથમ દિવસે જ ફિલ્મે 15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. 

Drishyam 2 Box Office: Ajay Devgan's 'Drishyam 2' got a bumper opening, earning more than expected on the first day Drishyam 2 Box Office: અજય દેવગનની 'દ્રશ્યમ 2' ને બમ્પર ઓપનિંગ મળ્યું, પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી

ફિલ્મને મળી રહ્યો છે દર્શકોનો પ્રેમ 

આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, તબ્બુ સહિતના અનેક કલાકારોનો સમાવેશ થયો છે. જ્યારથી દ્રશ્યમ રિલીઝ થઈ હતી ત્યારથી લોકો ફિલ્મના બીજા ભાગની રાહ જોતા હતા. 7 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ બોક્સ ઓફિસ પર આવ્યો છે. મુવી રિલીઝ થયાના પ્રથમ દિવસે જ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આતુરતાથી રાહ જોતા દર્શકોએ ફિલ્મને પસંદ કરી છે.

Drishyam 2 Movie Review: Ajay Devgn's film is high on thrills but it's  still not Drishyam - India Today 

શું છે દ્રશ્યમ-2 ફિલ્મની કહાની?

દ્રશ્યમ-2નું દર્શકનો પ્રેમ મળી રહ્યો છે. લોકો અજય દેવગણને વિજય સલગાંવકર તરીકે જોવાનું પસંદ કરી રહ્યા છે. આ સ્ટોરી જૂની ફિલ્મની કહાની પર આધારીત છે. આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સમીર દેશમુખ મર્ડરકેસને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા. આ વાતને ભૂલી સલગાંવકર પરિવાર આગળ વધી ગયો છે પરંતુ આ વાતને મીરા ભૂલી શકી નથી. ડીઆજી મીરા પણ લંડન સ્થિત છે પરંતુ પુત્રની પુણ્યતિથિના સમયે ભારત આવી આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે. પુત્રના મર્ડરની વાત મીરા નથી ભૂલી જેને કારણે ફરી એક વખત પુરાવા ભેગા કરી કેસને રિ-ઓપન કરવામાં આવે છે. 

Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye Khanna Shines  As New IG -Drishyam 2 Review: Twitteratis Calls It 'Brilliant', Akshaye  Khanna Shines As New IG

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે આ ફિલ્મ

ક્રાઈમ અને થ્રિલથી ભરેલી આ ફિલ્મને લોકો પસંદ કરી રહ્યા છે. પહેલા દિવસે ફિલ્મની સારી કમાણી થતા એવું લાગી રહ્યું છે આ ફિલ્મની કમાણી 50 કરોડને પાર પહોંચી શકે છે. અજય દેવગણની ફિલ્મ એવા સમયે હિટ જઈ રહી છે જ્યારે અનેક દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ  જઈ રહી છે.   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .