મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે કરી જોરદાર જાહેરાતો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-04 16:17:40

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે . 

Dudhsagar Dairy plant - Wikidata

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ડેરીની  ૬૫મી સાધારણ સભામાં ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ૬૫મી સાધારણ સભામાં દૂધના ભાવ ફેરમાં વધારાની સાથે અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે પણ વધારાની જાહેરાત પણ કરવામાં આવી છે.આ જાહેરાત અંતર્ગત દૂધસાગર ડેરીના પશુપાલકોને કુલ ૪૩૭ કરોડનો ભાવફેર આપવામાં આવશે . આ ભાવફેરમાં વધારાથી પશુપાલકોને તેમના દૂધના ઉત્પાદન પર વધુ સારું વળતર મળશે, જે તેમની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે . આ સાથેજ ડેરીએ પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની વાત પણ કરી છે . 

Dudhsagar Dairy has increased the purchase price of dairy farmers' milk by  Rs 10 per kilofeet | પશુપાલકોને મોટી ભેટ: દૂધસાગર ડેરીએ પશુપાલકોના દૂધના  ખરીદી ભાવમાં પ્રતિ કિલોફેટે 10 ...

દુધસાગર ડેરીમાં ભાવફેરની સાથે , અન્ય જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમ કે , ડેરીએ અકસ્માત વિમાની રકમ પણ વધારી છે . અકસ્માતે મરણ વિમાની રકમ ૨ લાખ રૂપિયાથી વધારીને ૪ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય પશુપાલકોના પરિવાર માટે એક મોટી આર્થિક સુરક્ષા પ્રદાન કરશે . આજકાલ આમ તો , ગુજરાતનું સહકારી ક્ષેત્ર ખુબ જ ઉતારચઢાવમાંથી પસાર થઇ રહ્યું છે . થોડાક સમય પેહલા , સાબર ડેરીમાં પશુપાલકોએ ભાવફેરની માંગણીને લઇને હિંસક દેખાવો કર્યા હતા જેમાં એક પશુપાલકનું મૃત્યુ થયું હતું . આ પછી હવે અમુલ ડેરીની સામે પણ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.  




મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે .

વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી જ જનતાના પ્રશ્નોને લઇને ખુબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પછી હવે તેમણે વિસાવદરના ભેંસાણમાં જે મોટાપાયે અનાજ ચોરી થઇ રહી છે તેની સામે જંગે ચઢવાનું નક્કી કર્યું છે. કેમ કે , મોટા મોટા અનાજ માફિયાઓ સરકાર તરફથી આવતું અનાજ લઇ લે છે. તેના કારણે ગરીબોના ફાળે થોડુંક જ અનાજ પહોંચે છે . આમ હવે વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા ભેંસાણમાં મોટા મોટા અનાજ માફિયાઓની સામે પડ્યા છે .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે .

જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.