મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે કરી જોરદાર જાહેરાતો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-04 16:17:40

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે . 

Dudhsagar Dairy plant - Wikidata

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ડેરીની  ૬૫મી સાધારણ સભામાં ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ૬૫મી સાધારણ સભામાં દૂધના ભાવ ફેરમાં વધારાની સાથે અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે પણ વધારાની જાહેરાત પણ કરવામાં આવી છે.આ જાહેરાત અંતર્ગત દૂધસાગર ડેરીના પશુપાલકોને કુલ ૪૩૭ કરોડનો ભાવફેર આપવામાં આવશે . આ ભાવફેરમાં વધારાથી પશુપાલકોને તેમના દૂધના ઉત્પાદન પર વધુ સારું વળતર મળશે, જે તેમની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે . આ સાથેજ ડેરીએ પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની વાત પણ કરી છે . 

Dudhsagar Dairy has increased the purchase price of dairy farmers' milk by  Rs 10 per kilofeet | પશુપાલકોને મોટી ભેટ: દૂધસાગર ડેરીએ પશુપાલકોના દૂધના  ખરીદી ભાવમાં પ્રતિ કિલોફેટે 10 ...

દુધસાગર ડેરીમાં ભાવફેરની સાથે , અન્ય જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમ કે , ડેરીએ અકસ્માત વિમાની રકમ પણ વધારી છે . અકસ્માતે મરણ વિમાની રકમ ૨ લાખ રૂપિયાથી વધારીને ૪ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય પશુપાલકોના પરિવાર માટે એક મોટી આર્થિક સુરક્ષા પ્રદાન કરશે . આજકાલ આમ તો , ગુજરાતનું સહકારી ક્ષેત્ર ખુબ જ ઉતારચઢાવમાંથી પસાર થઇ રહ્યું છે . થોડાક સમય પેહલા , સાબર ડેરીમાં પશુપાલકોએ ભાવફેરની માંગણીને લઇને હિંસક દેખાવો કર્યા હતા જેમાં એક પશુપાલકનું મૃત્યુ થયું હતું . આ પછી હવે અમુલ ડેરીની સામે પણ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.