મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે કરી જોરદાર જાહેરાતો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-04 16:17:40

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે . 

Dudhsagar Dairy plant - Wikidata

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ડેરીની  ૬૫મી સાધારણ સભામાં ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ૬૫મી સાધારણ સભામાં દૂધના ભાવ ફેરમાં વધારાની સાથે અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે પણ વધારાની જાહેરાત પણ કરવામાં આવી છે.આ જાહેરાત અંતર્ગત દૂધસાગર ડેરીના પશુપાલકોને કુલ ૪૩૭ કરોડનો ભાવફેર આપવામાં આવશે . આ ભાવફેરમાં વધારાથી પશુપાલકોને તેમના દૂધના ઉત્પાદન પર વધુ સારું વળતર મળશે, જે તેમની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે . આ સાથેજ ડેરીએ પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની વાત પણ કરી છે . 

Dudhsagar Dairy has increased the purchase price of dairy farmers' milk by  Rs 10 per kilofeet | પશુપાલકોને મોટી ભેટ: દૂધસાગર ડેરીએ પશુપાલકોના દૂધના  ખરીદી ભાવમાં પ્રતિ કિલોફેટે 10 ...

દુધસાગર ડેરીમાં ભાવફેરની સાથે , અન્ય જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમ કે , ડેરીએ અકસ્માત વિમાની રકમ પણ વધારી છે . અકસ્માતે મરણ વિમાની રકમ ૨ લાખ રૂપિયાથી વધારીને ૪ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય પશુપાલકોના પરિવાર માટે એક મોટી આર્થિક સુરક્ષા પ્રદાન કરશે . આજકાલ આમ તો , ગુજરાતનું સહકારી ક્ષેત્ર ખુબ જ ઉતારચઢાવમાંથી પસાર થઇ રહ્યું છે . થોડાક સમય પેહલા , સાબર ડેરીમાં પશુપાલકોએ ભાવફેરની માંગણીને લઇને હિંસક દેખાવો કર્યા હતા જેમાં એક પશુપાલકનું મૃત્યુ થયું હતું . આ પછી હવે અમુલ ડેરીની સામે પણ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.