આખરે ભારતે USના F-35 વિમાન ખરીદવાની ના પાડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-01 19:12:33

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે . 

Lockheed Martin F-35 Lightning II - Wikipedia

૩૧મી જુલાઈના રોજ , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર જે ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવી તેનાથી ભારતથી અમેરિકામાં થતી નિકાસોને ફટકો પડી શકે છે. તેના કારણે નવી દિલ્હીમાં વહીવટદારોને ઝાટકો લાગ્યો હતો , પરંતુ તેમણે હજુ સુધી કોઈ પણ પગલાં કે નિવેદનો જાહેર નથી કર્યા. સરકારનું માનવું છે કે ટ્રમ્પના ટેરિફ પર ઈમિજિયેટ રિટેલીએશન કરવા પર કોઈ વિચાર નથી. હાલમાં તો સરકારનું પૂરું ફોકસ , અમેરિકા સાથે દ્વિપક્ષીય કરારોને લઇને વાર્તાલાપ કરવાનું છે . આ માટે હવે ઓગસ્ટના અંતમાં અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારત પણ આવી શકે છે .પરંતુ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે , ભારત અમેરિકા સાથે કોઈ પણ ડિફેન્સ રિલેટેડ ડીલને લઇને નથી વિચારી રહ્યું. તેમાં ફિફ્થ જનરેશનના એફ ૩૫ લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે . 

F-35 Lightning II Takeoff and Landing from Aircraft Carriers | SchoolTube

ભારત પાસે હાલમાં લેટેસ્ટ વિમાનો છે રફાલ છે તે ૪.૫ જનરેશનના છે . પરંતુ ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માંગે છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં જયારે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે , અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ એફ ૩૫ આપવાની ઓફર રાખી હતી . પરંતુ તેમાં પીએમ મોદીએ પોતાની મંજૂરી ના આપી . હવે ફાઇનાન્શ્યલ એક્સપ્રેસની રિપોર્ટ મુજબ ભારત સરકારે વ્હાઇટહાઉસને કહી દીધું છે કે , ભારતને તેમના એફ ૩૫ સ્ટીલ ફાઈટર જેટમાં કોઈ જ રસ નથી . જો રક્ષાના ક્ષેત્રમાં કોઈ પણ ડીલ થશે તો , તેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે જ તેનો સોદો થશે . એટલેકે , ડિફેન્સ ટેક્નોલોજીને મળીને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે . આઝાદી પછી ભારત ટેક્નોલોજી ટ્રાન્સફર પર તેનો ભરોસો રહ્યો છે . પણ અમેરિકન આર્મ ઇન્ડસ્ટ્રી આના વિરુદ્ધમાં રહી છે. તો હવે , ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માટે બીજા દેશ પર નજર કરી શકે છે . 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.