આખરે ભારતે USના F-35 વિમાન ખરીદવાની ના પાડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-01 19:12:33

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે . 

Lockheed Martin F-35 Lightning II - Wikipedia

૩૧મી જુલાઈના રોજ , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર જે ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવી તેનાથી ભારતથી અમેરિકામાં થતી નિકાસોને ફટકો પડી શકે છે. તેના કારણે નવી દિલ્હીમાં વહીવટદારોને ઝાટકો લાગ્યો હતો , પરંતુ તેમણે હજુ સુધી કોઈ પણ પગલાં કે નિવેદનો જાહેર નથી કર્યા. સરકારનું માનવું છે કે ટ્રમ્પના ટેરિફ પર ઈમિજિયેટ રિટેલીએશન કરવા પર કોઈ વિચાર નથી. હાલમાં તો સરકારનું પૂરું ફોકસ , અમેરિકા સાથે દ્વિપક્ષીય કરારોને લઇને વાર્તાલાપ કરવાનું છે . આ માટે હવે ઓગસ્ટના અંતમાં અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારત પણ આવી શકે છે .પરંતુ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે , ભારત અમેરિકા સાથે કોઈ પણ ડિફેન્સ રિલેટેડ ડીલને લઇને નથી વિચારી રહ્યું. તેમાં ફિફ્થ જનરેશનના એફ ૩૫ લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે . 

F-35 Lightning II Takeoff and Landing from Aircraft Carriers | SchoolTube

ભારત પાસે હાલમાં લેટેસ્ટ વિમાનો છે રફાલ છે તે ૪.૫ જનરેશનના છે . પરંતુ ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માંગે છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં જયારે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે , અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ એફ ૩૫ આપવાની ઓફર રાખી હતી . પરંતુ તેમાં પીએમ મોદીએ પોતાની મંજૂરી ના આપી . હવે ફાઇનાન્શ્યલ એક્સપ્રેસની રિપોર્ટ મુજબ ભારત સરકારે વ્હાઇટહાઉસને કહી દીધું છે કે , ભારતને તેમના એફ ૩૫ સ્ટીલ ફાઈટર જેટમાં કોઈ જ રસ નથી . જો રક્ષાના ક્ષેત્રમાં કોઈ પણ ડીલ થશે તો , તેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે જ તેનો સોદો થશે . એટલેકે , ડિફેન્સ ટેક્નોલોજીને મળીને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે . આઝાદી પછી ભારત ટેક્નોલોજી ટ્રાન્સફર પર તેનો ભરોસો રહ્યો છે . પણ અમેરિકન આર્મ ઇન્ડસ્ટ્રી આના વિરુદ્ધમાં રહી છે. તો હવે , ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માટે બીજા દેશ પર નજર કરી શકે છે . 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.