આખરે ભારતે USના F-35 વિમાન ખરીદવાની ના પાડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-01 19:12:33

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે . 

Lockheed Martin F-35 Lightning II - Wikipedia

૩૧મી જુલાઈના રોજ , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર જે ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવી તેનાથી ભારતથી અમેરિકામાં થતી નિકાસોને ફટકો પડી શકે છે. તેના કારણે નવી દિલ્હીમાં વહીવટદારોને ઝાટકો લાગ્યો હતો , પરંતુ તેમણે હજુ સુધી કોઈ પણ પગલાં કે નિવેદનો જાહેર નથી કર્યા. સરકારનું માનવું છે કે ટ્રમ્પના ટેરિફ પર ઈમિજિયેટ રિટેલીએશન કરવા પર કોઈ વિચાર નથી. હાલમાં તો સરકારનું પૂરું ફોકસ , અમેરિકા સાથે દ્વિપક્ષીય કરારોને લઇને વાર્તાલાપ કરવાનું છે . આ માટે હવે ઓગસ્ટના અંતમાં અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારત પણ આવી શકે છે .પરંતુ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે , ભારત અમેરિકા સાથે કોઈ પણ ડિફેન્સ રિલેટેડ ડીલને લઇને નથી વિચારી રહ્યું. તેમાં ફિફ્થ જનરેશનના એફ ૩૫ લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે . 

F-35 Lightning II Takeoff and Landing from Aircraft Carriers | SchoolTube

ભારત પાસે હાલમાં લેટેસ્ટ વિમાનો છે રફાલ છે તે ૪.૫ જનરેશનના છે . પરંતુ ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માંગે છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં જયારે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે , અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ એફ ૩૫ આપવાની ઓફર રાખી હતી . પરંતુ તેમાં પીએમ મોદીએ પોતાની મંજૂરી ના આપી . હવે ફાઇનાન્શ્યલ એક્સપ્રેસની રિપોર્ટ મુજબ ભારત સરકારે વ્હાઇટહાઉસને કહી દીધું છે કે , ભારતને તેમના એફ ૩૫ સ્ટીલ ફાઈટર જેટમાં કોઈ જ રસ નથી . જો રક્ષાના ક્ષેત્રમાં કોઈ પણ ડીલ થશે તો , તેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે જ તેનો સોદો થશે . એટલેકે , ડિફેન્સ ટેક્નોલોજીને મળીને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે . આઝાદી પછી ભારત ટેક્નોલોજી ટ્રાન્સફર પર તેનો ભરોસો રહ્યો છે . પણ અમેરિકન આર્મ ઇન્ડસ્ટ્રી આના વિરુદ્ધમાં રહી છે. તો હવે , ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માટે બીજા દેશ પર નજર કરી શકે છે . 

 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.