આખરે ભારતે USના F-35 વિમાન ખરીદવાની ના પાડી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-01 19:12:33

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે . 

Lockheed Martin F-35 Lightning II - Wikipedia

૩૧મી જુલાઈના રોજ , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર જે ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવી તેનાથી ભારતથી અમેરિકામાં થતી નિકાસોને ફટકો પડી શકે છે. તેના કારણે નવી દિલ્હીમાં વહીવટદારોને ઝાટકો લાગ્યો હતો , પરંતુ તેમણે હજુ સુધી કોઈ પણ પગલાં કે નિવેદનો જાહેર નથી કર્યા. સરકારનું માનવું છે કે ટ્રમ્પના ટેરિફ પર ઈમિજિયેટ રિટેલીએશન કરવા પર કોઈ વિચાર નથી. હાલમાં તો સરકારનું પૂરું ફોકસ , અમેરિકા સાથે દ્વિપક્ષીય કરારોને લઇને વાર્તાલાપ કરવાનું છે . આ માટે હવે ઓગસ્ટના અંતમાં અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ ભારત પણ આવી શકે છે .પરંતુ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે , ભારત અમેરિકા સાથે કોઈ પણ ડિફેન્સ રિલેટેડ ડીલને લઇને નથી વિચારી રહ્યું. તેમાં ફિફ્થ જનરેશનના એફ ૩૫ લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે . 

F-35 Lightning II Takeoff and Landing from Aircraft Carriers | SchoolTube

ભારત પાસે હાલમાં લેટેસ્ટ વિમાનો છે રફાલ છે તે ૪.૫ જનરેશનના છે . પરંતુ ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માંગે છે. આ માટે ફેબ્રુઆરી મહિનામાં જયારે , વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે , અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ એફ ૩૫ આપવાની ઓફર રાખી હતી . પરંતુ તેમાં પીએમ મોદીએ પોતાની મંજૂરી ના આપી . હવે ફાઇનાન્શ્યલ એક્સપ્રેસની રિપોર્ટ મુજબ ભારત સરકારે વ્હાઇટહાઉસને કહી દીધું છે કે , ભારતને તેમના એફ ૩૫ સ્ટીલ ફાઈટર જેટમાં કોઈ જ રસ નથી . જો રક્ષાના ક્ષેત્રમાં કોઈ પણ ડીલ થશે તો , તેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે જ તેનો સોદો થશે . એટલેકે , ડિફેન્સ ટેક્નોલોજીને મળીને ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે . આઝાદી પછી ભારત ટેક્નોલોજી ટ્રાન્સફર પર તેનો ભરોસો રહ્યો છે . પણ અમેરિકન આર્મ ઇન્ડસ્ટ્રી આના વિરુદ્ધમાં રહી છે. તો હવે , ભારત પાંચમી જનરેશનના વિમાન ખરીદવા માટે બીજા દેશ પર નજર કરી શકે છે . 

 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે