હિમવર્ષાને કારણે કેદારનાથ અને ગંગોત્રી ધામ પર જોવા મળી બરફની ચાદર


  • Published By :
  • Published Date : 2023-01-20 11:39:31

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ચારેય તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને પગલે ગંગોત્રી ધામ, કેદારનાથ ધામ બરફથી  છુપાઈ ગયું છે.

  

સતત ઘટતો તાપમાનનો પારો   

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગએ એલર્ટ જાહેર કર્યું છે. આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. પંજાબમાં, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. 


ગંગોત્રી ધામમાં થતી હિમવર્ષા

ઉત્તરાખંડમાં તો સતત હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે સમગ્ર વિસ્તાર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. ઘરો પર બરફ જોવા મળી રહ્યો છે. ઉપરાંત યાત્રાધામ ગંગોત્રી ધામ પર પણ બરફ જોવા મળ્યો હતો. કેદારનાથ ધામ પર પણ બરફ જામી ગયો હતો. સતત હિમવર્ષા થવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આસપાસના અનેક રાજ્યોમાં પણ આને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.