હિમવર્ષાને કારણે કેદારનાથ અને ગંગોત્રી ધામ પર જોવા મળી બરફની ચાદર


  • Published By :
  • Published Date : 2023-01-20 11:39:31

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ચારેય તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને પગલે ગંગોત્રી ધામ, કેદારનાથ ધામ બરફથી  છુપાઈ ગયું છે.

  

સતત ઘટતો તાપમાનનો પારો   

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગએ એલર્ટ જાહેર કર્યું છે. આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. પંજાબમાં, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. 


ગંગોત્રી ધામમાં થતી હિમવર્ષા

ઉત્તરાખંડમાં તો સતત હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે સમગ્ર વિસ્તાર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. ઘરો પર બરફ જોવા મળી રહ્યો છે. ઉપરાંત યાત્રાધામ ગંગોત્રી ધામ પર પણ બરફ જોવા મળ્યો હતો. કેદારનાથ ધામ પર પણ બરફ જામી ગયો હતો. સતત હિમવર્ષા થવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આસપાસના અનેક રાજ્યોમાં પણ આને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.