હિમવર્ષાને કારણે કેદારનાથ અને ગંગોત્રી ધામ પર જોવા મળી બરફની ચાદર


  • Published By :
  • Published Date : 2023-01-20 11:39:31

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ચારેય તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને પગલે ગંગોત્રી ધામ, કેદારનાથ ધામ બરફથી  છુપાઈ ગયું છે.

  

સતત ઘટતો તાપમાનનો પારો   

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગએ એલર્ટ જાહેર કર્યું છે. આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. પંજાબમાં, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. 


ગંગોત્રી ધામમાં થતી હિમવર્ષા

ઉત્તરાખંડમાં તો સતત હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે સમગ્ર વિસ્તાર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. ઘરો પર બરફ જોવા મળી રહ્યો છે. ઉપરાંત યાત્રાધામ ગંગોત્રી ધામ પર પણ બરફ જોવા મળ્યો હતો. કેદારનાથ ધામ પર પણ બરફ જામી ગયો હતો. સતત હિમવર્ષા થવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આસપાસના અનેક રાજ્યોમાં પણ આને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.