હિમવર્ષાને કારણે કેદારનાથ અને ગંગોત્રી ધામ પર જોવા મળી બરફની ચાદર


  • Published By :
  • Published Date : 2023-01-20 11:39:31

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ચારેય તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને પગલે ગંગોત્રી ધામ, કેદારનાથ ધામ બરફથી  છુપાઈ ગયું છે.

  

સતત ઘટતો તાપમાનનો પારો   

દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગએ એલર્ટ જાહેર કર્યું છે. આવનાર દિવસોમાં અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. પંજાબમાં, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. 


ગંગોત્રી ધામમાં થતી હિમવર્ષા

ઉત્તરાખંડમાં તો સતત હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે સમગ્ર વિસ્તાર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. ઘરો પર બરફ જોવા મળી રહ્યો છે. ઉપરાંત યાત્રાધામ ગંગોત્રી ધામ પર પણ બરફ જોવા મળ્યો હતો. કેદારનાથ ધામ પર પણ બરફ જામી ગયો હતો. સતત હિમવર્ષા થવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આસપાસના અનેક રાજ્યોમાં પણ આને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.