ગોંડલમાં રીબડાનાં એક યુવકના મૃત્યુના કેસથી મચી ચકચારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-05 14:19:16

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે . 

રાજકોટનું ગોંડલ જે અવારનવાર સમાચારોમાં આવતું જ રહે છે. થોડાક સમય પેહલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ ગોંડલ ગયા ત્યારે જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. આ પેહલા રાજકુમાર જાટ કેસમાં પણ ગોંડલ પ્રકાશમાં આવ્યું હતું . રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા, હવે  તે યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.  પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટની એક સગીરાને રીબડાનો યુવાન જ્યુસ પીવા લઈ ગયો હતો . ત્યારબાદ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સગીરાની મિત્રએ મીડિયા સામે હકીકત બહાર રાખી હતી . આ ઘટના ત્યારે ઘટી હતી જયારે ૧૭ વર્ષની સગીરા બે મહિના પેહલા જ રાજકોટમાં આવી હતી . તે દરમ્યાન સગીરા મોડલિંગ પણ કરતા હતા . આ દરમ્યાન સગીરા રીબડાનાં યુવાન અમિત ખુટ સાથે સોશ્યિલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. એક વીકમાં પરિચય થયો આ પછી સગીરા તેને મળવા ગઈ હતી . થોડાક સમય પેહલા જ શુક્રવારના દિવસે રીબડાનાં યુવક અમિત ફૂટ સાથે સગીરા યાજ્ઞિક રોડ પર જ્યુસ પીવા ગયા હતા . જ્યાં બનેએ જ્યુસ પીધો આ પછી રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ ગયો હતો . ગાડીમાં સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું . 

આ દુષકર્મ પછી રીબડાનાં યુવકે સગીરાને રાજકોટના મોવડી ચોક પાસે ઉતારી દીધી હતી. આ પછી સગીરાએ તેની મિત્રને ફોન કરીને બોલાવી હતી . આ પછી સગીરા અને તેના મિત્ર સારવાર અર્થે જનતા હોસ્પિટલ પહોંચ્યા હતા . આ પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો રાજકોટ એ ડિવિઝનમાં પહોંચ્યો હતો . પોલીસે શનિવારના રોજ અમિત ખુટ સામે ફરિયાદ નોંધી હતી. તે પછી એક દિવસ બાદ રીબડાનાં આ યુવક અમિત ખૂંટે પોતાની વાડીએ આત્મહત્યા કરી લીધી છે. હવે પોલીસ તપાસ એ પણ શરુ થઈ ગઈ છે કે આ યુવકે કેમ પોતાનો જીવ ટૂંકાવ્યો છે . તો આ મામલે ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત રીબડા ગામના અગ્રણી ગોવિંદ સકપરીયા છે તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે આરોપો લગાવતા કહ્યું છે કે આ બધું જ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવડાવ્યું છે અને આ એમનું જ કાવતરું છે સાથે જ તેમણે છોકરાનો આપઘાત કરાવડાવ્યો છે. એણે  જ છોકરીને પૈસા આપ્યા હતા અને ખોટી ફરિયાદ કરાવડાવી હતી . 

 



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.