ગોંડલમાં રીબડાનાં એક યુવકના મૃત્યુના કેસથી મચી ચકચારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-05 14:19:16

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે . 

રાજકોટનું ગોંડલ જે અવારનવાર સમાચારોમાં આવતું જ રહે છે. થોડાક સમય પેહલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ ગોંડલ ગયા ત્યારે જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. આ પેહલા રાજકુમાર જાટ કેસમાં પણ ગોંડલ પ્રકાશમાં આવ્યું હતું . રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા, હવે  તે યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.  પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટની એક સગીરાને રીબડાનો યુવાન જ્યુસ પીવા લઈ ગયો હતો . ત્યારબાદ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સગીરાની મિત્રએ મીડિયા સામે હકીકત બહાર રાખી હતી . આ ઘટના ત્યારે ઘટી હતી જયારે ૧૭ વર્ષની સગીરા બે મહિના પેહલા જ રાજકોટમાં આવી હતી . તે દરમ્યાન સગીરા મોડલિંગ પણ કરતા હતા . આ દરમ્યાન સગીરા રીબડાનાં યુવાન અમિત ખુટ સાથે સોશ્યિલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. એક વીકમાં પરિચય થયો આ પછી સગીરા તેને મળવા ગઈ હતી . થોડાક સમય પેહલા જ શુક્રવારના દિવસે રીબડાનાં યુવક અમિત ફૂટ સાથે સગીરા યાજ્ઞિક રોડ પર જ્યુસ પીવા ગયા હતા . જ્યાં બનેએ જ્યુસ પીધો આ પછી રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ ગયો હતો . ગાડીમાં સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું . 

આ દુષકર્મ પછી રીબડાનાં યુવકે સગીરાને રાજકોટના મોવડી ચોક પાસે ઉતારી દીધી હતી. આ પછી સગીરાએ તેની મિત્રને ફોન કરીને બોલાવી હતી . આ પછી સગીરા અને તેના મિત્ર સારવાર અર્થે જનતા હોસ્પિટલ પહોંચ્યા હતા . આ પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો રાજકોટ એ ડિવિઝનમાં પહોંચ્યો હતો . પોલીસે શનિવારના રોજ અમિત ખુટ સામે ફરિયાદ નોંધી હતી. તે પછી એક દિવસ બાદ રીબડાનાં આ યુવક અમિત ખૂંટે પોતાની વાડીએ આત્મહત્યા કરી લીધી છે. હવે પોલીસ તપાસ એ પણ શરુ થઈ ગઈ છે કે આ યુવકે કેમ પોતાનો જીવ ટૂંકાવ્યો છે . તો આ મામલે ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત રીબડા ગામના અગ્રણી ગોવિંદ સકપરીયા છે તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે આરોપો લગાવતા કહ્યું છે કે આ બધું જ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવડાવ્યું છે અને આ એમનું જ કાવતરું છે સાથે જ તેમણે છોકરાનો આપઘાત કરાવડાવ્યો છે. એણે  જ છોકરીને પૈસા આપ્યા હતા અને ખોટી ફરિયાદ કરાવડાવી હતી . 

 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.