ગોંડલમાં રીબડાનાં એક યુવકના મૃત્યુના કેસથી મચી ચકચારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-05 14:19:16

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે . 

રાજકોટનું ગોંડલ જે અવારનવાર સમાચારોમાં આવતું જ રહે છે. થોડાક સમય પેહલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ ગોંડલ ગયા ત્યારે જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. આ પેહલા રાજકુમાર જાટ કેસમાં પણ ગોંડલ પ્રકાશમાં આવ્યું હતું . રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા, હવે  તે યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.  પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટની એક સગીરાને રીબડાનો યુવાન જ્યુસ પીવા લઈ ગયો હતો . ત્યારબાદ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સગીરાની મિત્રએ મીડિયા સામે હકીકત બહાર રાખી હતી . આ ઘટના ત્યારે ઘટી હતી જયારે ૧૭ વર્ષની સગીરા બે મહિના પેહલા જ રાજકોટમાં આવી હતી . તે દરમ્યાન સગીરા મોડલિંગ પણ કરતા હતા . આ દરમ્યાન સગીરા રીબડાનાં યુવાન અમિત ખુટ સાથે સોશ્યિલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. એક વીકમાં પરિચય થયો આ પછી સગીરા તેને મળવા ગઈ હતી . થોડાક સમય પેહલા જ શુક્રવારના દિવસે રીબડાનાં યુવક અમિત ફૂટ સાથે સગીરા યાજ્ઞિક રોડ પર જ્યુસ પીવા ગયા હતા . જ્યાં બનેએ જ્યુસ પીધો આ પછી રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ ગયો હતો . ગાડીમાં સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું . 

આ દુષકર્મ પછી રીબડાનાં યુવકે સગીરાને રાજકોટના મોવડી ચોક પાસે ઉતારી દીધી હતી. આ પછી સગીરાએ તેની મિત્રને ફોન કરીને બોલાવી હતી . આ પછી સગીરા અને તેના મિત્ર સારવાર અર્થે જનતા હોસ્પિટલ પહોંચ્યા હતા . આ પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો રાજકોટ એ ડિવિઝનમાં પહોંચ્યો હતો . પોલીસે શનિવારના રોજ અમિત ખુટ સામે ફરિયાદ નોંધી હતી. તે પછી એક દિવસ બાદ રીબડાનાં આ યુવક અમિત ખૂંટે પોતાની વાડીએ આત્મહત્યા કરી લીધી છે. હવે પોલીસ તપાસ એ પણ શરુ થઈ ગઈ છે કે આ યુવકે કેમ પોતાનો જીવ ટૂંકાવ્યો છે . તો આ મામલે ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત રીબડા ગામના અગ્રણી ગોવિંદ સકપરીયા છે તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે આરોપો લગાવતા કહ્યું છે કે આ બધું જ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવડાવ્યું છે અને આ એમનું જ કાવતરું છે સાથે જ તેમણે છોકરાનો આપઘાત કરાવડાવ્યો છે. એણે  જ છોકરીને પૈસા આપ્યા હતા અને ખોટી ફરિયાદ કરાવડાવી હતી . 

 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે .

જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .