ગોંડલમાં રીબડાનાં એક યુવકના મૃત્યુના કેસથી મચી ચકચારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-05 14:19:16

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે . 

રાજકોટનું ગોંડલ જે અવારનવાર સમાચારોમાં આવતું જ રહે છે. થોડાક સમય પેહલા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથીરિયા અને જિગીષા પટેલ ગોંડલ ગયા ત્યારે જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. આ પેહલા રાજકુમાર જાટ કેસમાં પણ ગોંડલ પ્રકાશમાં આવ્યું હતું . રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા, હવે  તે યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.  પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટની એક સગીરાને રીબડાનો યુવાન જ્યુસ પીવા લઈ ગયો હતો . ત્યારબાદ તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સગીરાની મિત્રએ મીડિયા સામે હકીકત બહાર રાખી હતી . આ ઘટના ત્યારે ઘટી હતી જયારે ૧૭ વર્ષની સગીરા બે મહિના પેહલા જ રાજકોટમાં આવી હતી . તે દરમ્યાન સગીરા મોડલિંગ પણ કરતા હતા . આ દરમ્યાન સગીરા રીબડાનાં યુવાન અમિત ખુટ સાથે સોશ્યિલ મિડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. એક વીકમાં પરિચય થયો આ પછી સગીરા તેને મળવા ગઈ હતી . થોડાક સમય પેહલા જ શુક્રવારના દિવસે રીબડાનાં યુવક અમિત ફૂટ સાથે સગીરા યાજ્ઞિક રોડ પર જ્યુસ પીવા ગયા હતા . જ્યાં બનેએ જ્યુસ પીધો આ પછી રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ ગયો હતો . ગાડીમાં સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું . 

આ દુષકર્મ પછી રીબડાનાં યુવકે સગીરાને રાજકોટના મોવડી ચોક પાસે ઉતારી દીધી હતી. આ પછી સગીરાએ તેની મિત્રને ફોન કરીને બોલાવી હતી . આ પછી સગીરા અને તેના મિત્ર સારવાર અર્થે જનતા હોસ્પિટલ પહોંચ્યા હતા . આ પછી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો રાજકોટ એ ડિવિઝનમાં પહોંચ્યો હતો . પોલીસે શનિવારના રોજ અમિત ખુટ સામે ફરિયાદ નોંધી હતી. તે પછી એક દિવસ બાદ રીબડાનાં આ યુવક અમિત ખૂંટે પોતાની વાડીએ આત્મહત્યા કરી લીધી છે. હવે પોલીસ તપાસ એ પણ શરુ થઈ ગઈ છે કે આ યુવકે કેમ પોતાનો જીવ ટૂંકાવ્યો છે . તો આ મામલે ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત રીબડા ગામના અગ્રણી ગોવિંદ સકપરીયા છે તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા સામે આરોપો લગાવતા કહ્યું છે કે આ બધું જ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવડાવ્યું છે અને આ એમનું જ કાવતરું છે સાથે જ તેમણે છોકરાનો આપઘાત કરાવડાવ્યો છે. એણે  જ છોકરીને પૈસા આપ્યા હતા અને ખોટી ફરિયાદ કરાવડાવી હતી . 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.