જોશીમઠમાં આવેલી આપદાને કારણે લોકો પોતાનું ઘર છોડવા બન્યા મજબુર


  • Published By :
  • Published Date : 2023-01-10 09:12:04

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જોશીમઠમાં સતત ભૂસ્ખલન થવાને પગલે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવી દીધા છે. સતત વધતા ખતરાને લઈને કેન્દ્ર સરકાર પણ આની પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેશે. ભૂસ્ખલનને પગલે અસુરક્ષિત મકાનોને પાડવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. મુખ્યસચિવ ડો.એસએસ સંધુએ અસુરક્ષિત ભવનોને તોડવાનો આદેશ આપ્યો છે.


કેન્દ્રની ટીમ જોશીમઠની મુલાકાત લેશે  

છેલ્લા ઘણા દિવસોથી જોશીમઠમાં જમીન ઘસી રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી સતત આ ઘટના પર ધ્યાન આપી રહ્યા છે. અનેક વખત જોશીમઠની મુલાકાત પણ લીધી છે. વડાપ્રધાન મોદીએ પણ જોશીમઠની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ઉપરાંત PMOમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

જર્જરિત ઈમારતોને તોડવાની કરાશે કામગીરી 

કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેવાના છે. હિમાંશુ ખુરાનાએ માહિતી આપતા કહ્યું કે જળ શક્તિ મંત્રાલયની એક ટીમ અહીંયા આવી હતી અને મંગળવારે કેન્દ્રની ટીમ અહીંની મુલાકાત લેવા આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ભવન અનુસાધન સંસ્થાની દેખરેખ હેઠળ ઘરો તેમજ ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 


લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા 

વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાઓ પર ઈમારતોને તોડવાની કામગીરી કરવામાં આવશે તે જગ્યાને પ્રશાસને અસુરક્ષિત ઝોન જાહેર કરી ખાલી કરાવી દીધું છે. ઘર છોડતા લોકો ભાવુક પણ થયા હતા. આ કામમાં હવામાન સૌથી મોટી ચૂનોતી સાબિત થઈ શકે છે. વરસાદ અથવા તો હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે સૌથી વધારે અસરગ્રસ્ત છે ઈમારતોને સૌથી પહેલા તોડવામાં આવશે. 678 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.