જોશીમઠમાં આવેલી આપદાને કારણે લોકો પોતાનું ઘર છોડવા બન્યા મજબુર


  • Published By :
  • Published Date : 2023-01-10 09:12:04

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જોશીમઠમાં સતત ભૂસ્ખલન થવાને પગલે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવી દીધા છે. સતત વધતા ખતરાને લઈને કેન્દ્ર સરકાર પણ આની પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેશે. ભૂસ્ખલનને પગલે અસુરક્ષિત મકાનોને પાડવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. મુખ્યસચિવ ડો.એસએસ સંધુએ અસુરક્ષિત ભવનોને તોડવાનો આદેશ આપ્યો છે.


કેન્દ્રની ટીમ જોશીમઠની મુલાકાત લેશે  

છેલ્લા ઘણા દિવસોથી જોશીમઠમાં જમીન ઘસી રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી સતત આ ઘટના પર ધ્યાન આપી રહ્યા છે. અનેક વખત જોશીમઠની મુલાકાત પણ લીધી છે. વડાપ્રધાન મોદીએ પણ જોશીમઠની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ઉપરાંત PMOમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

જર્જરિત ઈમારતોને તોડવાની કરાશે કામગીરી 

કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેવાના છે. હિમાંશુ ખુરાનાએ માહિતી આપતા કહ્યું કે જળ શક્તિ મંત્રાલયની એક ટીમ અહીંયા આવી હતી અને મંગળવારે કેન્દ્રની ટીમ અહીંની મુલાકાત લેવા આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ભવન અનુસાધન સંસ્થાની દેખરેખ હેઠળ ઘરો તેમજ ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 


લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા 

વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાઓ પર ઈમારતોને તોડવાની કામગીરી કરવામાં આવશે તે જગ્યાને પ્રશાસને અસુરક્ષિત ઝોન જાહેર કરી ખાલી કરાવી દીધું છે. ઘર છોડતા લોકો ભાવુક પણ થયા હતા. આ કામમાં હવામાન સૌથી મોટી ચૂનોતી સાબિત થઈ શકે છે. વરસાદ અથવા તો હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે સૌથી વધારે અસરગ્રસ્ત છે ઈમારતોને સૌથી પહેલા તોડવામાં આવશે. 678 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.