જોશીમઠમાં આવેલી આપદાને કારણે લોકો પોતાનું ઘર છોડવા બન્યા મજબુર


  • Published By :
  • Published Date : 2023-01-10 09:12:04

ઉત્તરાખંડના જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. જોશીમઠમાં સતત ભૂસ્ખલન થવાને પગલે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવી દીધા છે. સતત વધતા ખતરાને લઈને કેન્દ્ર સરકાર પણ આની પર ધ્યાન આપી રહી છે. કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેશે. ભૂસ્ખલનને પગલે અસુરક્ષિત મકાનોને પાડવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. મુખ્યસચિવ ડો.એસએસ સંધુએ અસુરક્ષિત ભવનોને તોડવાનો આદેશ આપ્યો છે.


કેન્દ્રની ટીમ જોશીમઠની મુલાકાત લેશે  

છેલ્લા ઘણા દિવસોથી જોશીમઠમાં જમીન ઘસી રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી સતત આ ઘટના પર ધ્યાન આપી રહ્યા છે. અનેક વખત જોશીમઠની મુલાકાત પણ લીધી છે. વડાપ્રધાન મોદીએ પણ જોશીમઠની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ઉપરાંત PMOમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

જર્જરિત ઈમારતોને તોડવાની કરાશે કામગીરી 

કેન્દ્રની ટીમ આજે જોશીમઠની મુલાકાત લેવાના છે. હિમાંશુ ખુરાનાએ માહિતી આપતા કહ્યું કે જળ શક્તિ મંત્રાલયની એક ટીમ અહીંયા આવી હતી અને મંગળવારે કેન્દ્રની ટીમ અહીંની મુલાકાત લેવા આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ભવન અનુસાધન સંસ્થાની દેખરેખ હેઠળ ઘરો તેમજ ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 


લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા 

વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાઓ પર ઈમારતોને તોડવાની કામગીરી કરવામાં આવશે તે જગ્યાને પ્રશાસને અસુરક્ષિત ઝોન જાહેર કરી ખાલી કરાવી દીધું છે. ઘર છોડતા લોકો ભાવુક પણ થયા હતા. આ કામમાં હવામાન સૌથી મોટી ચૂનોતી સાબિત થઈ શકે છે. વરસાદ અથવા તો હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે સૌથી વધારે અસરગ્રસ્ત છે ઈમારતોને સૌથી પહેલા તોડવામાં આવશે. 678 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.