રાજ્યમાં પાછોતરા વરસાદના કારણે જગતના તાતની થઈ કફોડી હાલત, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હાલ થયા બેહાલ


  • Published By :
  • Published Date : 2024-10-21 16:44:12

આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે કોઈ વખત ખેડૂતનો આભાર માન્યો છે ખરો? ખેડૂત ખેતરમાં ખેતી કરે છે માટે જ આપણી થાળીમાં જમવાનું છે... અનેક લોકો એવા હોય છે જે જમવાનું અધૂરૂં મૂકે છે.. અન્નનો બગાડ કરે છે.. આપણે ક્યારેય ખેડૂતોની સ્થિતિ વિશે વિચાર્યું છે ખરૂં કે કેવી પરિસ્થિતિમાં તેઓ રહેતા હશે.. આજે વાત ખેડૂતોની એટલા માટે કરવી છે કારણ કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.. ઉભો થયેલો પાક નિષ્ફળ જાય ત્યારે શું હાલત થાય તેની વ્યથા ખેડૂતને પૂછવી.. હાલ પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે..

વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી!

રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરોમાં મગફળીના તૈયાર થયેલા પાક પર જ આફતરૂપી વરસાદ વરસતા સેંકડો ખેડૂતોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરી છે.. ભારે વરસાદ આવવાને કારણે પાકો પાણીમાં તણાઈ રહ્યા છે... 



મગફળીના પાકને થયું મોટું નુકસાન

વરસાદની રાહ સૌથી વધારે ખેડૂતો જોતા હોય છે.. સારો વરસાદ થાય તેવી આશા રહેલી હોય છે.. જો વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે અને ઓછો થાય તો પણ જગતના તાતને રડવાનો વારો આવે છે.. હાલ પડી રહેલા વરસાદને કારણે તેમના પાક નિષ્ફળ જઈ રહ્યા છે.. મગફળી તેમજ કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું છે.. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ખેડૂતોનો આક્રંદ ચરમસીમા પર પહોંચ્યો છે.. ખેડૂતો સરકાર પાસેથી આશા રાખીને બેઠા છે કે સરકાર જલ્દી સર્વે કરાવે અને નુકસાનીની સહાય આપે.. ત્યારે જોવું રહ્યું સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે ખેડૂતોને સહાયના રૂપિયા મળે છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.