રાજ્યમાં પાછોતરા વરસાદના કારણે જગતના તાતની થઈ કફોડી હાલત, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હાલ થયા બેહાલ


  • Published By :
  • Published Date : 2024-10-21 16:44:12

આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે કોઈ વખત ખેડૂતનો આભાર માન્યો છે ખરો? ખેડૂત ખેતરમાં ખેતી કરે છે માટે જ આપણી થાળીમાં જમવાનું છે... અનેક લોકો એવા હોય છે જે જમવાનું અધૂરૂં મૂકે છે.. અન્નનો બગાડ કરે છે.. આપણે ક્યારેય ખેડૂતોની સ્થિતિ વિશે વિચાર્યું છે ખરૂં કે કેવી પરિસ્થિતિમાં તેઓ રહેતા હશે.. આજે વાત ખેડૂતોની એટલા માટે કરવી છે કારણ કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.. ઉભો થયેલો પાક નિષ્ફળ જાય ત્યારે શું હાલત થાય તેની વ્યથા ખેડૂતને પૂછવી.. હાલ પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે..

વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી!

રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરોમાં મગફળીના તૈયાર થયેલા પાક પર જ આફતરૂપી વરસાદ વરસતા સેંકડો ખેડૂતોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરી છે.. ભારે વરસાદ આવવાને કારણે પાકો પાણીમાં તણાઈ રહ્યા છે... 



મગફળીના પાકને થયું મોટું નુકસાન

વરસાદની રાહ સૌથી વધારે ખેડૂતો જોતા હોય છે.. સારો વરસાદ થાય તેવી આશા રહેલી હોય છે.. જો વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે અને ઓછો થાય તો પણ જગતના તાતને રડવાનો વારો આવે છે.. હાલ પડી રહેલા વરસાદને કારણે તેમના પાક નિષ્ફળ જઈ રહ્યા છે.. મગફળી તેમજ કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું છે.. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ખેડૂતોનો આક્રંદ ચરમસીમા પર પહોંચ્યો છે.. ખેડૂતો સરકાર પાસેથી આશા રાખીને બેઠા છે કે સરકાર જલ્દી સર્વે કરાવે અને નુકસાનીની સહાય આપે.. ત્યારે જોવું રહ્યું સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે ખેડૂતોને સહાયના રૂપિયા મળે છે.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .