રાજ્યમાં પાછોતરા વરસાદના કારણે જગતના તાતની થઈ કફોડી હાલત, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હાલ થયા બેહાલ


  • Published By :
  • Published Date : 2024-10-21 16:44:12

આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે કોઈ વખત ખેડૂતનો આભાર માન્યો છે ખરો? ખેડૂત ખેતરમાં ખેતી કરે છે માટે જ આપણી થાળીમાં જમવાનું છે... અનેક લોકો એવા હોય છે જે જમવાનું અધૂરૂં મૂકે છે.. અન્નનો બગાડ કરે છે.. આપણે ક્યારેય ખેડૂતોની સ્થિતિ વિશે વિચાર્યું છે ખરૂં કે કેવી પરિસ્થિતિમાં તેઓ રહેતા હશે.. આજે વાત ખેડૂતોની એટલા માટે કરવી છે કારણ કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.. ઉભો થયેલો પાક નિષ્ફળ જાય ત્યારે શું હાલત થાય તેની વ્યથા ખેડૂતને પૂછવી.. હાલ પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે..

વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી!

રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરોમાં મગફળીના તૈયાર થયેલા પાક પર જ આફતરૂપી વરસાદ વરસતા સેંકડો ખેડૂતોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરી છે.. ભારે વરસાદ આવવાને કારણે પાકો પાણીમાં તણાઈ રહ્યા છે... 



મગફળીના પાકને થયું મોટું નુકસાન

વરસાદની રાહ સૌથી વધારે ખેડૂતો જોતા હોય છે.. સારો વરસાદ થાય તેવી આશા રહેલી હોય છે.. જો વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે અને ઓછો થાય તો પણ જગતના તાતને રડવાનો વારો આવે છે.. હાલ પડી રહેલા વરસાદને કારણે તેમના પાક નિષ્ફળ જઈ રહ્યા છે.. મગફળી તેમજ કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું છે.. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ખેડૂતોનો આક્રંદ ચરમસીમા પર પહોંચ્યો છે.. ખેડૂતો સરકાર પાસેથી આશા રાખીને બેઠા છે કે સરકાર જલ્દી સર્વે કરાવે અને નુકસાનીની સહાય આપે.. ત્યારે જોવું રહ્યું સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે ખેડૂતોને સહાયના રૂપિયા મળે છે.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.