ચીનમાં કોરોના કેસમાં ઉછાળો આવતા સરકારે લગાવ્યા અનેક પ્રતિબંધ, લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ


  • Published By :
  • Published Date : 2022-11-24 09:41:42

કોરોના મહામારીએ ચીનમાં ફરી માથું ઉચક્યું છે. સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોના કહેર વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના કેસ વધતા ચીનની રાજધાની બેઈજીંગમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

Lockdown imposed in China's biggest city as Omicron wave sweeps country |  Mint

કોરોના કેસ વધતા સરકારે લાદયા અનેક પ્રતિબંધ

શિયાળાની શરૂઆત થતા ચીનમાં ફરી એક વખત કોરોના કેસ એકાએક વધી રહ્યા છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવી દીધું હોય તેવા પ્રતિબંધો મૂકી દીધા છે. કોરોના કેસ વધતા ઓનલાઈન ક્લાસ લેવાના આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત અનેક લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. 

China's New Covid Outbreaks Put Millions Under Lockdown - Again

કોરોનાએ ચીનમાં ફરી ઉચક્યું માથું  

એવું માનવામાં આવી રહ્યું છે કોરોના મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી. કોરોના મહામારી ફેલાઈ જતા સમગ્ર વિશ્વમાં હાહાકાર વ્યાપી ઉઠ્યો હતો. વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે ધીરે ધીરે અનેક દેશોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ ચીનમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે. જેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. 

Lockdown in China: चीन में फ‍िर लाकडाउन, राष्‍ट्रीय कांग्रेस सम्‍मेलन की  तैयारियों के बीच Covid-19 का प्रसार - COVID lockdown in China spread of  Covid19 intensifies amid preparations for ...

અનેક જાહેર સ્થળોને કરાયા બંધ

ચીનમાં એવા સમયે કેસો વધી રહ્યા છે જ્યારે ચીનમાં ઝીરો કોવિડ પોલીસીનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા સરકારે અનેક મોટા શહેરોમાં ટૂરિસ્ટ સ્પોટ તેમજ પાર્કને બંધ કરી દેવામાં આવ્યા છે.  




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?