ચીનમાં કોરોના કેસમાં ઉછાળો આવતા સરકારે લગાવ્યા અનેક પ્રતિબંધ, લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ


  • Published By :
  • Published Date : 2022-11-24 09:41:42

કોરોના મહામારીએ ચીનમાં ફરી માથું ઉચક્યું છે. સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોના કહેર વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના કેસ વધતા ચીનની રાજધાની બેઈજીંગમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

Lockdown imposed in China's biggest city as Omicron wave sweeps country |  Mint

કોરોના કેસ વધતા સરકારે લાદયા અનેક પ્રતિબંધ

શિયાળાની શરૂઆત થતા ચીનમાં ફરી એક વખત કોરોના કેસ એકાએક વધી રહ્યા છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવી દીધું હોય તેવા પ્રતિબંધો મૂકી દીધા છે. કોરોના કેસ વધતા ઓનલાઈન ક્લાસ લેવાના આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત અનેક લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. 

China's New Covid Outbreaks Put Millions Under Lockdown - Again

કોરોનાએ ચીનમાં ફરી ઉચક્યું માથું  

એવું માનવામાં આવી રહ્યું છે કોરોના મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી. કોરોના મહામારી ફેલાઈ જતા સમગ્ર વિશ્વમાં હાહાકાર વ્યાપી ઉઠ્યો હતો. વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે ધીરે ધીરે અનેક દેશોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ ચીનમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે. જેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. 

Lockdown in China: चीन में फ‍िर लाकडाउन, राष्‍ट्रीय कांग्रेस सम्‍मेलन की  तैयारियों के बीच Covid-19 का प्रसार - COVID lockdown in China spread of  Covid19 intensifies amid preparations for ...

અનેક જાહેર સ્થળોને કરાયા બંધ

ચીનમાં એવા સમયે કેસો વધી રહ્યા છે જ્યારે ચીનમાં ઝીરો કોવિડ પોલીસીનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા સરકારે અનેક મોટા શહેરોમાં ટૂરિસ્ટ સ્પોટ તેમજ પાર્કને બંધ કરી દેવામાં આવ્યા છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.