કર્ણાટકમાં પ્રચાર દરમિયાન પીએમ મોદીએ વિતાવ્યો બાળકો સાથે સમય! પીએમએ બાળકોને પૂછ્યું, 'શું તમે વડાપ્રધાન નથી બનવા માગતા?'


  • Published By :
  • Published Date : 2023-05-03 11:51:31

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે અનેક જગ્યાઓ પર રેલી કરી હતી. પરંતુ સૌથી વધારે ધ્યાન પ્રધાનમંત્રીએ બાળકો સાથે કરેલી મસ્તીએ ખેંચ્યું હતું. પીએમએ કલબુર્ગીના નાના ભૂલકાઓ સાથે વાત કરી હતી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી કરતા પણ દેખાયા હતા. 


બાળકો સાથે વડાપ્રધાન મોદીએ કરી મસ્તી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કર્ણાટકની ચૂંટણીમાં વ્યસ્ત છે. અનેક જગ્યાઓ પર પીએમ મોદી આજે રેલી સંબોધવાના છે. ત્યારે ગઈકાલે પણ અનેક રેલીમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે ચાલતા ઝેરીલા ભાષણોની વચ્ચે પીએમ મોદીએ બાળકો સાથે વાત કરી હતી. કલબુર્ગીમાં રોડ શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી અને મજાક કરતા દેખાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથથી બાળકો સાથે રમત પણ રમી હતી અને બાળકોને શું કરે છે ક્યાં ભણે છે તેવા પ્રશ્નો પણ કર્યા હતા. બધાએ અલગ અલગ જવાબ આપ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે કોઈને પ્રધાનમંત્રી બનવાનું મન નથી થતું? 


જવાહરલાલ નહેરૂને પણ પ્રિય હતા બાળકો!

આ વીડિયોની વાત કરીએ તો આ ઘટનાથી જવાહર લાલ નહેરુની યાદ આવી જાય છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પણ બાળકો અતિ પ્રિય હતા. તેમને પ્રેમથી ચાચા નહેરૂ પણ સંબોધવામાં આવતા હતા. એટલે જ તેમના જન્મ દિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે... આ આપણા દેશના રાજનેતાઓની સુંદરતા છે કે તે આટલા વ્યસ્ત સમયમાં પણ દેશના ભવિષ્ય સાથે સમય વિતાવી લે છે અને તેમને દેશ માટે કંઈક કરી બતાવાની અપ્રત્યક્ષ રીતે પ્રેરણા આપે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.