કર્ણાટકમાં પ્રચાર દરમિયાન પીએમ મોદીએ વિતાવ્યો બાળકો સાથે સમય! પીએમએ બાળકોને પૂછ્યું, 'શું તમે વડાપ્રધાન નથી બનવા માગતા?'


  • Published By :
  • Published Date : 2023-05-03 11:51:31

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે અનેક જગ્યાઓ પર રેલી કરી હતી. પરંતુ સૌથી વધારે ધ્યાન પ્રધાનમંત્રીએ બાળકો સાથે કરેલી મસ્તીએ ખેંચ્યું હતું. પીએમએ કલબુર્ગીના નાના ભૂલકાઓ સાથે વાત કરી હતી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી કરતા પણ દેખાયા હતા. 


બાળકો સાથે વડાપ્રધાન મોદીએ કરી મસ્તી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કર્ણાટકની ચૂંટણીમાં વ્યસ્ત છે. અનેક જગ્યાઓ પર પીએમ મોદી આજે રેલી સંબોધવાના છે. ત્યારે ગઈકાલે પણ અનેક રેલીમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે ચાલતા ઝેરીલા ભાષણોની વચ્ચે પીએમ મોદીએ બાળકો સાથે વાત કરી હતી. કલબુર્ગીમાં રોડ શો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો સાથે મસ્તી અને મજાક કરતા દેખાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાથથી બાળકો સાથે રમત પણ રમી હતી અને બાળકોને શું કરે છે ક્યાં ભણે છે તેવા પ્રશ્નો પણ કર્યા હતા. બધાએ અલગ અલગ જવાબ આપ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે કોઈને પ્રધાનમંત્રી બનવાનું મન નથી થતું? 


જવાહરલાલ નહેરૂને પણ પ્રિય હતા બાળકો!

આ વીડિયોની વાત કરીએ તો આ ઘટનાથી જવાહર લાલ નહેરુની યાદ આવી જાય છે. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને પણ બાળકો અતિ પ્રિય હતા. તેમને પ્રેમથી ચાચા નહેરૂ પણ સંબોધવામાં આવતા હતા. એટલે જ તેમના જન્મ દિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે... આ આપણા દેશના રાજનેતાઓની સુંદરતા છે કે તે આટલા વ્યસ્ત સમયમાં પણ દેશના ભવિષ્ય સાથે સમય વિતાવી લે છે અને તેમને દેશ માટે કંઈક કરી બતાવાની અપ્રત્યક્ષ રીતે પ્રેરણા આપે છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.