મતગણતરી દરમિયાન લાગતું હતું કે Patanમાં ચંદનજી ઠાકોર જીતી શકે છે પરંતુ એકાએક પરિણામ બદલાયું અને...


  • Published By :
  • Published Date : 2024-06-04 19:01:34

ચૂંટણીના સમય દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારોની, બેઠકની ચર્ચા થઈ.. જેમાં આણંદ લોકસભા, ભરૂચ લોકસભા બેઠક, બનાસકાંઠા લોકસભા સીટ ચર્ચામાં રહી. બધાની નજર આ બેઠકો પર હતી પરંતુ પરિણામ જ્યારે સામે આવ્યું ત્યારે પાટણના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચંદનજી ઠાકોર અનેક સમય સુધી આગળ રહ્યા, ભરતસિંહ ડાભી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ એકાએક ભાજપના ઉમેદવાર આગળ આવી ગયા અને અંતે ભરતસિંહ ડાભીની જીત થઈ....


એવું લાગતું હતું કે ઈન્ડિ ગઠબંધનને બે સીટો મળી શકે છે.

ગુજરાતના પરિણામો આવી ગયા છે.. 25 બેઠકો પર કેસરિયો લહેરાયો છે પરંતુ બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. પરિણામો જ્યારે સામે આવી રહ્યા હતા તે વખતે એવું લાગતું હતું કે ચંદનજી ઠાકોર બાજી મારી શકે છે.. ગુજરાતમાં બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આવી શકે છે. પ્રથમ 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. 15 રાઉન્ડ બાદ એકાએક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બાજી મારી હતી. 31000થી વધારેના મતથી ભરતસિંહ ડાભી જીત્યા..


પાટણમાં ભરતસિંહ ડાભીની થઈ જીત

ગુજરાતમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ખૂબ ઓછી રેલી કરી, પ્રચાર કર્યો ઉમેદવારોનો.. પાટણથી ઈન્ડિયાના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આ બેઠક પર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો થયો હતો. ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું. ભાજપના ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે એકદમ રસપ્રદ જંગ જામી હતી. એવું લાગતું હતું કે આ બેઠક કોંગ્રેસના ફાળે આવી શકે છે પરંતુ છેલ્લા સમયે આખેઆખી બાજી પલટાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના માટે મત માંગ્યા હતા. આ રીતનો અનોખો પ્રચાર પણ તેમને જીત અપાવી શક્યો નથી. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે