મતગણતરી દરમિયાન લાગતું હતું કે Patanમાં ચંદનજી ઠાકોર જીતી શકે છે પરંતુ એકાએક પરિણામ બદલાયું અને...


  • Published By :
  • Published Date : 2024-06-04 19:01:34

ચૂંટણીના સમય દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારોની, બેઠકની ચર્ચા થઈ.. જેમાં આણંદ લોકસભા, ભરૂચ લોકસભા બેઠક, બનાસકાંઠા લોકસભા સીટ ચર્ચામાં રહી. બધાની નજર આ બેઠકો પર હતી પરંતુ પરિણામ જ્યારે સામે આવ્યું ત્યારે પાટણના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચંદનજી ઠાકોર અનેક સમય સુધી આગળ રહ્યા, ભરતસિંહ ડાભી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ એકાએક ભાજપના ઉમેદવાર આગળ આવી ગયા અને અંતે ભરતસિંહ ડાભીની જીત થઈ....


એવું લાગતું હતું કે ઈન્ડિ ગઠબંધનને બે સીટો મળી શકે છે.

ગુજરાતના પરિણામો આવી ગયા છે.. 25 બેઠકો પર કેસરિયો લહેરાયો છે પરંતુ બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. પરિણામો જ્યારે સામે આવી રહ્યા હતા તે વખતે એવું લાગતું હતું કે ચંદનજી ઠાકોર બાજી મારી શકે છે.. ગુજરાતમાં બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આવી શકે છે. પ્રથમ 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. 15 રાઉન્ડ બાદ એકાએક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બાજી મારી હતી. 31000થી વધારેના મતથી ભરતસિંહ ડાભી જીત્યા..


પાટણમાં ભરતસિંહ ડાભીની થઈ જીત

ગુજરાતમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ખૂબ ઓછી રેલી કરી, પ્રચાર કર્યો ઉમેદવારોનો.. પાટણથી ઈન્ડિયાના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આ બેઠક પર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો થયો હતો. ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું. ભાજપના ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે એકદમ રસપ્રદ જંગ જામી હતી. એવું લાગતું હતું કે આ બેઠક કોંગ્રેસના ફાળે આવી શકે છે પરંતુ છેલ્લા સમયે આખેઆખી બાજી પલટાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના માટે મત માંગ્યા હતા. આ રીતનો અનોખો પ્રચાર પણ તેમને જીત અપાવી શક્યો નથી. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.