મતગણતરી દરમિયાન લાગતું હતું કે Patanમાં ચંદનજી ઠાકોર જીતી શકે છે પરંતુ એકાએક પરિણામ બદલાયું અને...


  • Published By :
  • Published Date : 2024-06-04 19:01:34

ચૂંટણીના સમય દરમિયાન ગુજરાતની અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારોની, બેઠકની ચર્ચા થઈ.. જેમાં આણંદ લોકસભા, ભરૂચ લોકસભા બેઠક, બનાસકાંઠા લોકસભા સીટ ચર્ચામાં રહી. બધાની નજર આ બેઠકો પર હતી પરંતુ પરિણામ જ્યારે સામે આવ્યું ત્યારે પાટણના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચંદનજી ઠાકોર અનેક સમય સુધી આગળ રહ્યા, ભરતસિંહ ડાભી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ એકાએક ભાજપના ઉમેદવાર આગળ આવી ગયા અને અંતે ભરતસિંહ ડાભીની જીત થઈ....


એવું લાગતું હતું કે ઈન્ડિ ગઠબંધનને બે સીટો મળી શકે છે.

ગુજરાતના પરિણામો આવી ગયા છે.. 25 બેઠકો પર કેસરિયો લહેરાયો છે પરંતુ બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. પરિણામો જ્યારે સામે આવી રહ્યા હતા તે વખતે એવું લાગતું હતું કે ચંદનજી ઠાકોર બાજી મારી શકે છે.. ગુજરાતમાં બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આવી શકે છે. પ્રથમ 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. 15 રાઉન્ડ બાદ એકાએક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બાજી મારી હતી. 31000થી વધારેના મતથી ભરતસિંહ ડાભી જીત્યા..


પાટણમાં ભરતસિંહ ડાભીની થઈ જીત

ગુજરાતમાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ખૂબ ઓછી રેલી કરી, પ્રચાર કર્યો ઉમેદવારોનો.. પાટણથી ઈન્ડિયાના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. આ બેઠક પર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો થયો હતો. ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું. ભાજપના ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે એકદમ રસપ્રદ જંગ જામી હતી. એવું લાગતું હતું કે આ બેઠક કોંગ્રેસના ફાળે આવી શકે છે પરંતુ છેલ્લા સમયે આખેઆખી બાજી પલટાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના માટે મત માંગ્યા હતા. આ રીતનો અનોખો પ્રચાર પણ તેમને જીત અપાવી શક્યો નથી. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.