ડી વાય ચંદ્રચૂડ બન્યા દેશના 50મા CJI, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ લેવડાવ્યા હોદ્દાના શપથ


  • Published By :
  • Published Date : 2022-11-09 11:52:58


સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે ધનંજય વાય ચંદ્રચૂડ આજે બુધવારે (9 ઓક્ટોબર) શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપશવિધી સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના 50મા CJI ચંદ્રચૂડને પદના શપથ લેવડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ 22 ફેબ્રુઆરી 1978થી 11 જૂલાઈ 1985 સુધી દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે. 


જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ રહેશે


સુપ્રીમ કોર્ટના નવા CJI જસ્ટિસ ચંદ્રચુડે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લીધું છે. જેમણે 11 ઓક્ટોબરે જસ્ટિસ ચંદ્રચુડને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી હતી. તેઓ 10 નવેમ્બર 2024 સુધી એટલે કે બે વર્ષ માટે CJI તરીકે કામ કરશે.


જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડનો અભ્યાસ


CJI ડી.વાય ચંદ્રચૂડએ દિલ્હીની વિખ્યાત સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ ઑનર્સનો અભ્યાસ કર્યો છે. કાયદાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટરમાં કર્યો હતો ત્યાથી તેમણે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેમણે વધુ અભ્યાસ અમેરિકાની હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી કર્યો છે. અને ત્યાંથી એલએલએમ અને લો સાયન્સમાં ડૉક્ટરેટ કર્યું છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.