ડી વાય ચંદ્રચૂડ બન્યા દેશના 50મા CJI, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ લેવડાવ્યા હોદ્દાના શપથ


  • Published By :
  • Published Date : 2022-11-09 11:52:58


સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે ધનંજય વાય ચંદ્રચૂડ આજે બુધવારે (9 ઓક્ટોબર) શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપશવિધી સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના 50મા CJI ચંદ્રચૂડને પદના શપથ લેવડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ 22 ફેબ્રુઆરી 1978થી 11 જૂલાઈ 1985 સુધી દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે. 


જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ રહેશે


સુપ્રીમ કોર્ટના નવા CJI જસ્ટિસ ચંદ્રચુડે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લીધું છે. જેમણે 11 ઓક્ટોબરે જસ્ટિસ ચંદ્રચુડને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી હતી. તેઓ 10 નવેમ્બર 2024 સુધી એટલે કે બે વર્ષ માટે CJI તરીકે કામ કરશે.


જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડનો અભ્યાસ


CJI ડી.વાય ચંદ્રચૂડએ દિલ્હીની વિખ્યાત સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ ઑનર્સનો અભ્યાસ કર્યો છે. કાયદાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટરમાં કર્યો હતો ત્યાથી તેમણે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેમણે વધુ અભ્યાસ અમેરિકાની હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી કર્યો છે. અને ત્યાંથી એલએલએમ અને લો સાયન્સમાં ડૉક્ટરેટ કર્યું છે.




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.