ડી વાય ચંદ્રચૂડ બન્યા દેશના 50મા CJI, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ લેવડાવ્યા હોદ્દાના શપથ


  • Published By :
  • Published Date : 2022-11-09 11:52:58


સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે ધનંજય વાય ચંદ્રચૂડ આજે બુધવારે (9 ઓક્ટોબર) શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપશવિધી સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના 50મા CJI ચંદ્રચૂડને પદના શપથ લેવડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે તેમના પિતા પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ 22 ફેબ્રુઆરી 1978થી 11 જૂલાઈ 1985 સુધી દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે. 


જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ રહેશે


સુપ્રીમ કોર્ટના નવા CJI જસ્ટિસ ચંદ્રચુડે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લીધું છે. જેમણે 11 ઓક્ટોબરે જસ્ટિસ ચંદ્રચુડને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી હતી. તેઓ 10 નવેમ્બર 2024 સુધી એટલે કે બે વર્ષ માટે CJI તરીકે કામ કરશે.


જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડનો અભ્યાસ


CJI ડી.વાય ચંદ્રચૂડએ દિલ્હીની વિખ્યાત સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ ઑનર્સનો અભ્યાસ કર્યો છે. કાયદાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટરમાં કર્યો હતો ત્યાથી તેમણે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેમણે વધુ અભ્યાસ અમેરિકાની હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી કર્યો છે. અને ત્યાંથી એલએલએમ અને લો સાયન્સમાં ડૉક્ટરેટ કર્યું છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે