તુર્કી-સીરિયામાં ભૂકંપે સર્જી તારાજી, ધરતીકંપને કારણે 8000 જેટલા લોકોએ ગુમાવ્યા જીવ!


  • Published By :
  • Published Date : 2023-02-08 10:43:38

સોમવારના રોજ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7ની તીવ્રતા વાળા ભૂકંપ અંદાજીત ત્રણથી ચાર વખત આવ્યા હતા. આટલી તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. શરૂઆતમાં મૃત્યુઅંક માત્ર પાંચ સામે આવ્યો હતો પરંતુ જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ મરનાર લોકોનો આંક પણ વધી રહ્યો છે.

 


6 હજાર જેટલી બિલ્ડીંગ થઈ ધરાશાયી 

બંને જગ્યાના મૃત્યુઆંકની વાત કરીએ તો  8000ની આસપાસ આ આંકડો પહોંચવા આવ્યો છે. તે સિવાય ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ભૂકંપથી પ્રભાવિત દેશના 10 પ્રાંતમાં ત્રણ મહિના માટે આપાતકાલની ઘોષણ કરી છે. વિશ્વના અનેક દેશોએ મદદનો હાથ આગળ વધાર્યો છે. કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપને કારણે 6 હજાર જેટલી ઈમારતો પડી ગઈ છે.     


ભારતે મોકલી મદદ માટે ટીમ  

દુનિયા અનેક દેશોમાં વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે. ત્યારે તુર્કી અને સીરિયામાં પણ ભયંકર તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ સોમવારના દિવસે થયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ નોંધાયો હતો. બીજા દિવસે પણ ધરા ધ્રુજી હતી. બિલ્ડીંગો પડી જવાથી અનેક લોકો ઈમારતો નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતે પણ ટીમને મદદ માટે મોકલી દીધી છે. આ ઘટનામાં અંદાજીત 8000 લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ મોટો છે. 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે.         




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.