તુર્કી-સીરિયામાં ભૂકંપે સર્જી તારાજી, ધરતીકંપને કારણે 8000 જેટલા લોકોએ ગુમાવ્યા જીવ!


  • Published By :
  • Published Date : 2023-02-08 10:43:38

સોમવારના રોજ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7ની તીવ્રતા વાળા ભૂકંપ અંદાજીત ત્રણથી ચાર વખત આવ્યા હતા. આટલી તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. શરૂઆતમાં મૃત્યુઅંક માત્ર પાંચ સામે આવ્યો હતો પરંતુ જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ મરનાર લોકોનો આંક પણ વધી રહ્યો છે.

 


6 હજાર જેટલી બિલ્ડીંગ થઈ ધરાશાયી 

બંને જગ્યાના મૃત્યુઆંકની વાત કરીએ તો  8000ની આસપાસ આ આંકડો પહોંચવા આવ્યો છે. તે સિવાય ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ભૂકંપથી પ્રભાવિત દેશના 10 પ્રાંતમાં ત્રણ મહિના માટે આપાતકાલની ઘોષણ કરી છે. વિશ્વના અનેક દેશોએ મદદનો હાથ આગળ વધાર્યો છે. કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપને કારણે 6 હજાર જેટલી ઈમારતો પડી ગઈ છે.     


ભારતે મોકલી મદદ માટે ટીમ  

દુનિયા અનેક દેશોમાં વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે. ત્યારે તુર્કી અને સીરિયામાં પણ ભયંકર તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ સોમવારના દિવસે થયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ નોંધાયો હતો. બીજા દિવસે પણ ધરા ધ્રુજી હતી. બિલ્ડીંગો પડી જવાથી અનેક લોકો ઈમારતો નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતે પણ ટીમને મદદ માટે મોકલી દીધી છે. આ ઘટનામાં અંદાજીત 8000 લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ મોટો છે. 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે.         




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .