તુર્કી-સીરિયામાં ભૂકંપે સર્જી તારાજી, ધરતીકંપને કારણે 8000 જેટલા લોકોએ ગુમાવ્યા જીવ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-08 10:43:38

સોમવારના રોજ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7ની તીવ્રતા વાળા ભૂકંપ અંદાજીત ત્રણથી ચાર વખત આવ્યા હતા. આટલી તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. શરૂઆતમાં મૃત્યુઅંક માત્ર પાંચ સામે આવ્યો હતો પરંતુ જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ મરનાર લોકોનો આંક પણ વધી રહ્યો છે.

 


6 હજાર જેટલી બિલ્ડીંગ થઈ ધરાશાયી 

બંને જગ્યાના મૃત્યુઆંકની વાત કરીએ તો  8000ની આસપાસ આ આંકડો પહોંચવા આવ્યો છે. તે સિવાય ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ભૂકંપથી પ્રભાવિત દેશના 10 પ્રાંતમાં ત્રણ મહિના માટે આપાતકાલની ઘોષણ કરી છે. વિશ્વના અનેક દેશોએ મદદનો હાથ આગળ વધાર્યો છે. કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપને કારણે 6 હજાર જેટલી ઈમારતો પડી ગઈ છે.     


ભારતે મોકલી મદદ માટે ટીમ  

દુનિયા અનેક દેશોમાં વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે. ત્યારે તુર્કી અને સીરિયામાં પણ ભયંકર તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ સોમવારના દિવસે થયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ નોંધાયો હતો. બીજા દિવસે પણ ધરા ધ્રુજી હતી. બિલ્ડીંગો પડી જવાથી અનેક લોકો ઈમારતો નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતે પણ ટીમને મદદ માટે મોકલી દીધી છે. આ ઘટનામાં અંદાજીત 8000 લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ મોટો છે. 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે.         




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..