તુર્કી-સીરિયામાં ભૂકંપે સર્જી તારાજી, ધરતીકંપને કારણે 8000 જેટલા લોકોએ ગુમાવ્યા જીવ!


  • Published By :
  • Published Date : 2023-02-08 10:43:38

સોમવારના રોજ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7ની તીવ્રતા વાળા ભૂકંપ અંદાજીત ત્રણથી ચાર વખત આવ્યા હતા. આટલી તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. શરૂઆતમાં મૃત્યુઅંક માત્ર પાંચ સામે આવ્યો હતો પરંતુ જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ મરનાર લોકોનો આંક પણ વધી રહ્યો છે.

 


6 હજાર જેટલી બિલ્ડીંગ થઈ ધરાશાયી 

બંને જગ્યાના મૃત્યુઆંકની વાત કરીએ તો  8000ની આસપાસ આ આંકડો પહોંચવા આવ્યો છે. તે સિવાય ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ભૂકંપથી પ્રભાવિત દેશના 10 પ્રાંતમાં ત્રણ મહિના માટે આપાતકાલની ઘોષણ કરી છે. વિશ્વના અનેક દેશોએ મદદનો હાથ આગળ વધાર્યો છે. કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપને કારણે 6 હજાર જેટલી ઈમારતો પડી ગઈ છે.     


ભારતે મોકલી મદદ માટે ટીમ  

દુનિયા અનેક દેશોમાં વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે. ત્યારે તુર્કી અને સીરિયામાં પણ ભયંકર તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ સોમવારના દિવસે થયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7ની આસપાસ નોંધાયો હતો. બીજા દિવસે પણ ધરા ધ્રુજી હતી. બિલ્ડીંગો પડી જવાથી અનેક લોકો ઈમારતો નીચે દબાઈ ગયા હતા. રેસ્ક્યુની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતે પણ ટીમને મદદ માટે મોકલી દીધી છે. આ ઘટનામાં અંદાજીત 8000 લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ મોટો છે. 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવી છે.         




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .