ભૂકંપ અંગે NGRIના વૈજ્ઞાનિકની ચેતવણી, હિમાયલ વિસ્તારમાં ગમે ત્યારે આવી શકે છે ધરતીકંપ?,


  • Published By :
  • Published Date : 2023-02-22 13:05:51

કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપને લોકો આજે પણ નથી ભૂલી શક્યા, તાજેતારમાં જ તુર્કી અને સિરિયામાં ધરતીકંપે જે તબાહી સર્જી છે, તેમાંથી ઉભા થતાં આ બંને દેશને વર્ષો વતી જશે. જો  કે ભારત માટે પણ ખતરાની ઘંટડી રણકી છે. હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓ ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે ઉત્તર ભારતમાં ધરતીકંપની આશંકા વ્યક્ત કરી છે.  


શું કહ્યું ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે?


NGRIના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું કે, "ધરતીની સપાટી અનેક પ્લેટ્સ સાથે મળીને બને છે અને આ પ્લેટ્સમાં સતત હલચલ થતી રહે છે. ભારતીય પ્લેટ્સ દર વર્ષે પાંચ સેન્ટિમીટર સુધી ખસી રહી છે. આ કારણે હિમાલય ક્ષેત્રમાં ખુબ જ દબાણ સર્જાઈ રહ્યું છે, આ જ કારણે હિમાલય વિસ્તારમાં ભારે ભૂકંપ આવી શકે છે.  ભારતીય ટેકટોનિક પ્લેટ છે, દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે." તેમણે વધુમાં જણાવ્યું કે હિમાલય વિસ્તારમાં ભૂગર્ભીય સ્થિતી પર નજર રાખવા માટે ઉત્તરાખંડમાં 18 સિસ્મોગ્રાફ સ્ટેશનોનું મજબૂત નેટવર્ક  તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રદેશને હિમાચલ અને નેપાળના પશ્ચિમ ભાગ વચ્ચેના સિસ્મિક ગેપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઉત્તરાખંડનો સમાવેશ થાય છે." જો કે તેમણે તેમ પણ કહ્યું કે ઈમારતોનું બાંધકામ મજબુત બનાવીને જાન-માલના નુકસાનને ઘટાડી શકાય છે. 


8 મેગ્નિટ્યુડના ભૂકંપની આશંકા


ડો.પૂર્ણચંદ્ર રાવે કહ્યું કે હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગમાં અને ઉત્તરાખંડમાં ભૂકંપ આવી શકે છે. ડો.રાવે કહ્યું કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 હોઈ શકે છે. ડો.રાવે કહ્યું કે તુર્કીમાં આવેલા ભૂકંપમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ સરેરાશ બાંધકામ હતું. તેમણે કહ્યું કે આપણે ભૂકંપને રોકી શકતા નથી પરંતુ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને મજબૂત ઈમારતોનું નિર્માણ કરવું જોઈએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.