ફરી એક વખત ધ્રુજી ઈન્ડોનેશિયાની ધરા


  • Published By :
  • Published Date : 2022-11-21 16:04:36

ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપના આંચકાઓના અનુભવ થતા હોય છે. ત્યારે સોમવારે ઈન્ડોનેશિયાના પ્રશ્ચિમ જાવા પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂંકપ 5.6 તીવ્રતાનો આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ભૂકંપના આંચકાને કારણે 44 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ જાવાના શહેર સિઆનજુરને આ ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે.

 


300 લોકો ઘાયલ થયા

ભૂકંપના આંચકા આવવાને કારણે ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ ઈસ્લામિક બોડિંગ સ્કુલ, હોસ્પિટલ તેમજ જાહેર સુવિધાઓ સહિતની ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. જાનહાની ના થાય તે માટે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અનેક સ્થાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .