ફરી એક વખત ધ્રુજી ઈન્ડોનેશિયાની ધરા


  • Published By :
  • Published Date : 2022-11-21 16:04:36

ઈન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપના આંચકાઓના અનુભવ થતા હોય છે. ત્યારે સોમવારે ઈન્ડોનેશિયાના પ્રશ્ચિમ જાવા પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા અનુસાર આ ભૂંકપ 5.6 તીવ્રતાનો આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ભૂકંપના આંચકાને કારણે 44 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ જાવાના શહેર સિઆનજુરને આ ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે.

 


300 લોકો ઘાયલ થયા

ભૂકંપના આંચકા આવવાને કારણે ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ ઈસ્લામિક બોડિંગ સ્કુલ, હોસ્પિટલ તેમજ જાહેર સુવિધાઓ સહિતની ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. જાનહાની ના થાય તે માટે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. અનેક સ્થાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે.




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.