Earthquake in Nepal : વિનાશકારી ભૂકંપમાં અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-04 10:59:53

નેપાળમાં ભૂકંપે તારાજી સર્જી છે. શુક્રવાર રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ નેપાળના પશ્ચિમી વિસ્તારમાં ભારે તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં અંદાજીત 128 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણ અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. ભૂકંપ બાદ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હતી.

  

ઉત્તરભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

3 નવેમ્બરના રોજ નેપાળમાં ગંભીર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ ભૂંકપનો અનુભવ થયો હતો, જેમાં 128 લોકોના મોત થયા છે. જ્યારે 150 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. નેપાળની સેના અને પોલીસ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના ઝાટકા એટલા બધા તીવ્ર હતા કે ભૂકંપના ઝાટકાનો અનુભવ ઉત્તરભારતના બિહાર, દિલ્હી, એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં પણ અનુભવાયા.40 સેકેન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં જમીનની નીચે 10 કિલોમીટર નીચેનું માનવામાં આવે છે, ન માત્ર નેપાળમાં પરંતુ ભારત તેમજ ચીનમાં પણ આ ભૂકંપને કારણે આંચકાનો અહેસાસ થયો હતો. ભૂકંપ બાદ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો. 


પ્રભાવિત ક્ષેત્રોની પીએમ લેશે મુલાકાત 

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે. નેપાળના પીએમઓ દ્વારા ઘટનાને લઈ ટ્વિટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે પીએમએ શુક્રવાર રાત્રે જાજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપને કારણે થયેલી માનવીય અને ઘરોની ક્ષતિ પર દુખ વ્યક્ત કર્યું છે. ઘાયલોના બચાવ માટે સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત મળતી માહિતી અનુસાર પીએમ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેવા રવાના પણ થઈ ગયા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.