Earthquake in Nepal : વિનાશકારી ભૂકંપમાં અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-04 10:59:53

નેપાળમાં ભૂકંપે તારાજી સર્જી છે. શુક્રવાર રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ નેપાળના પશ્ચિમી વિસ્તારમાં ભારે તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં અંદાજીત 128 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણ અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. ભૂકંપ બાદ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હતી.

  

ઉત્તરભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

3 નવેમ્બરના રોજ નેપાળમાં ગંભીર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ ભૂંકપનો અનુભવ થયો હતો, જેમાં 128 લોકોના મોત થયા છે. જ્યારે 150 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. નેપાળની સેના અને પોલીસ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના ઝાટકા એટલા બધા તીવ્ર હતા કે ભૂકંપના ઝાટકાનો અનુભવ ઉત્તરભારતના બિહાર, દિલ્હી, એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં પણ અનુભવાયા.40 સેકેન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં જમીનની નીચે 10 કિલોમીટર નીચેનું માનવામાં આવે છે, ન માત્ર નેપાળમાં પરંતુ ભારત તેમજ ચીનમાં પણ આ ભૂકંપને કારણે આંચકાનો અહેસાસ થયો હતો. ભૂકંપ બાદ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો. 


પ્રભાવિત ક્ષેત્રોની પીએમ લેશે મુલાકાત 

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે. નેપાળના પીએમઓ દ્વારા ઘટનાને લઈ ટ્વિટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે પીએમએ શુક્રવાર રાત્રે જાજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપને કારણે થયેલી માનવીય અને ઘરોની ક્ષતિ પર દુખ વ્યક્ત કર્યું છે. ઘાયલોના બચાવ માટે સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત મળતી માહિતી અનુસાર પીએમ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેવા રવાના પણ થઈ ગયા છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે