Earthquake in Nepal : વિનાશકારી ભૂકંપમાં અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-04 10:59:53

નેપાળમાં ભૂકંપે તારાજી સર્જી છે. શુક્રવાર રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ નેપાળના પશ્ચિમી વિસ્તારમાં ભારે તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં અંદાજીત 128 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણ અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. ભૂકંપ બાદ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હતી.

  

ઉત્તરભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

3 નવેમ્બરના રોજ નેપાળમાં ગંભીર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ ભૂંકપનો અનુભવ થયો હતો, જેમાં 128 લોકોના મોત થયા છે. જ્યારે 150 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. નેપાળની સેના અને પોલીસ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના ઝાટકા એટલા બધા તીવ્ર હતા કે ભૂકંપના ઝાટકાનો અનુભવ ઉત્તરભારતના બિહાર, દિલ્હી, એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં પણ અનુભવાયા.40 સેકેન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં જમીનની નીચે 10 કિલોમીટર નીચેનું માનવામાં આવે છે, ન માત્ર નેપાળમાં પરંતુ ભારત તેમજ ચીનમાં પણ આ ભૂકંપને કારણે આંચકાનો અહેસાસ થયો હતો. ભૂકંપ બાદ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો. 


પ્રભાવિત ક્ષેત્રોની પીએમ લેશે મુલાકાત 

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે. નેપાળના પીએમઓ દ્વારા ઘટનાને લઈ ટ્વિટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે પીએમએ શુક્રવાર રાત્રે જાજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપને કારણે થયેલી માનવીય અને ઘરોની ક્ષતિ પર દુખ વ્યક્ત કર્યું છે. ઘાયલોના બચાવ માટે સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત મળતી માહિતી અનુસાર પીએમ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેવા રવાના પણ થઈ ગયા છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.