તાઇવાનમાં ભૂકંપ:ઘણા મકાનોને નુકસાન થયું ; સુનામીની ચેતવણી જારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:52:53

આજે સવારે તાઈવાનના દક્ષિણપૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકથી રસ્તાને નુકશાન 

વિવારે તાઈવાનના દક્ષિણપૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, જેની નીચે ઘણા લોકો દટાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાઈવાન રેલ્વેએ જણાવ્યું હતું કે પૂર્વી તાઈવાનના ડોંગલી સ્ટેશન પર પ્લેટફોર્મનો એક ભાગ તૂટી પડતાં ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, તેમાં સવાર 20 જેટલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


હવામાન વિભાગે જણાવ્યું કે સમગ્ર તાઈવાનમાં આંચકા અનુભવાઈ શકે છે. તેમણે કહ્યું કે ભૂકંપથી રાજધાની તાઈપેઈમાં ઈમારતો હચમચી ગઈ હતી પરંતુ તેની વધુ અસર થઈ નથી. જોકે, ચેતવણી જારી કરવામાં આવી છે.


સુનામીની ચેતવણી જારી

Magnitude 6.8 quake hits southeast Taiwan, tsunami warning issued

યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે ભૂકંપ બાદ તાઈવાનમાં ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું કે તાઈવાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિમીની અંદર સુનામી આવી શકે છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ ઓકિનાવા પ્રીફેક્ચરના ભાગ માટે 1-મીટર સુનામીની ચેતવણી જારી કરી હતી.

તાઇવાનમાં ભૂકંપનું જોખમ

Over 100 missing, 14 dead as strong quake rattles Taiwan

તાઈવાન 2016માં આવેલા ભૂકંપની તસવીર 

1999 earthquake remains a grim reminder for Turkey | Daily Sabah

તાઈવાન 1999માં આવેલા ભૂકંપની તસવીર 

તમને જણાવી દઈએ કે તાઈવાનમાં હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. 2016માં તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2,000થી વધુ લોકોના મોત થયા હતા.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.