તાઇવાનમાં ભૂકંપ:ઘણા મકાનોને નુકસાન થયું ; સુનામીની ચેતવણી જારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:52:53

આજે સવારે તાઈવાનના દક્ષિણપૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકથી રસ્તાને નુકશાન 

વિવારે તાઈવાનના દક્ષિણપૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, જેની નીચે ઘણા લોકો દટાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાઈવાન રેલ્વેએ જણાવ્યું હતું કે પૂર્વી તાઈવાનના ડોંગલી સ્ટેશન પર પ્લેટફોર્મનો એક ભાગ તૂટી પડતાં ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, તેમાં સવાર 20 જેટલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


હવામાન વિભાગે જણાવ્યું કે સમગ્ર તાઈવાનમાં આંચકા અનુભવાઈ શકે છે. તેમણે કહ્યું કે ભૂકંપથી રાજધાની તાઈપેઈમાં ઈમારતો હચમચી ગઈ હતી પરંતુ તેની વધુ અસર થઈ નથી. જોકે, ચેતવણી જારી કરવામાં આવી છે.


સુનામીની ચેતવણી જારી

Magnitude 6.8 quake hits southeast Taiwan, tsunami warning issued

યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે ભૂકંપ બાદ તાઈવાનમાં ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું કે તાઈવાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિમીની અંદર સુનામી આવી શકે છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ ઓકિનાવા પ્રીફેક્ચરના ભાગ માટે 1-મીટર સુનામીની ચેતવણી જારી કરી હતી.

તાઇવાનમાં ભૂકંપનું જોખમ

Over 100 missing, 14 dead as strong quake rattles Taiwan

તાઈવાન 2016માં આવેલા ભૂકંપની તસવીર 

1999 earthquake remains a grim reminder for Turkey | Daily Sabah

તાઈવાન 1999માં આવેલા ભૂકંપની તસવીર 

તમને જણાવી દઈએ કે તાઈવાનમાં હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. 2016માં તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2,000થી વધુ લોકોના મોત થયા હતા.




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે