તાઇવાનમાં ભૂકંપ:ઘણા મકાનોને નુકસાન થયું ; સુનામીની ચેતવણી જારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:52:53

આજે સવારે તાઈવાનના દક્ષિણપૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકથી રસ્તાને નુકશાન 

વિવારે તાઈવાનના દક્ષિણપૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તાઈવાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું, જ્યાં શનિવારે સાંજે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, જેની નીચે ઘણા લોકો દટાયા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાઈવાન રેલ્વેએ જણાવ્યું હતું કે પૂર્વી તાઈવાનના ડોંગલી સ્ટેશન પર પ્લેટફોર્મનો એક ભાગ તૂટી પડતાં ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, તેમાં સવાર 20 જેટલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.


હવામાન વિભાગે જણાવ્યું કે સમગ્ર તાઈવાનમાં આંચકા અનુભવાઈ શકે છે. તેમણે કહ્યું કે ભૂકંપથી રાજધાની તાઈપેઈમાં ઈમારતો હચમચી ગઈ હતી પરંતુ તેની વધુ અસર થઈ નથી. જોકે, ચેતવણી જારી કરવામાં આવી છે.


સુનામીની ચેતવણી જારી

Magnitude 6.8 quake hits southeast Taiwan, tsunami warning issued

યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે ભૂકંપ બાદ તાઈવાનમાં ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું કે તાઈવાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિમીની અંદર સુનામી આવી શકે છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ ઓકિનાવા પ્રીફેક્ચરના ભાગ માટે 1-મીટર સુનામીની ચેતવણી જારી કરી હતી.

તાઇવાનમાં ભૂકંપનું જોખમ

Over 100 missing, 14 dead as strong quake rattles Taiwan

તાઈવાન 2016માં આવેલા ભૂકંપની તસવીર 

1999 earthquake remains a grim reminder for Turkey | Daily Sabah

તાઈવાન 1999માં આવેલા ભૂકંપની તસવીર 

તમને જણાવી દઈએ કે તાઈવાનમાં હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. 2016માં તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2,000થી વધુ લોકોના મોત થયા હતા.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .