મ્યાનમારમાં જમીની આફત!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 14:13:06

ભૂકંપની તીવ્રતા  7.7ની હોવાથી ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

શુક્રવારે બપોરે સાડા ૧૨ વાગે આવેલા ભૂકંપનું એપી સેન્ટર સાગાઇંગ શહેરથી 16 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં 10 કિલોમીટર નીચે હતું.  ભૂકંપ થી મ્યાનમાર,બેન્કોક અને થાઇલેન્ડમાં ભારી નુકશાન થયું છે.ઘરોમાં બારીઓ, પંખાથી લઈને ટ્યુબલાઈટ સુધી બધું જ ધ્રુજવા લાગ્યું. મ્યાનમારમાં ઘણી જગ્યાએ બહુમાળી ઇમારતો ધરાશાયી થવાના, પુલ તૂટી પડવાના અને લોકોના કાટમાળ નીચે દટાયા છે. 

આ ભૂકંપની સૌથી વધુ અસર થાઇલેન્ડમાં જોવા મળી રહી છે. બેંગકોકમાં બહુમાળી ઇમારત ધરાશાયી થયા બાદ 43 લોકો કાટમાળ નીચે દટાયા હોવાના સમાચાર પણ છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ગુજરાતમાં પણ ૨૦૦૧માં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો . ભૂકંપની તીવ્રત્તા એ રીકટર સ્કેલમાં મપાય છે. જોકે હાલમાં તો મ્યાનમારમાં તો મિલિટરી રુલ છે તો આશા છે કે બચાવ કામગીરી પીડિતો સુધી પહોંચશે 

અત્યાર સુધીમાં બચાવ કામગીરી ચાલી રહી છે...  મ્યાનમાર સહિત દિલ્હી એન.સી.આરમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મ્યાનમારથી 16 કિમી ઉત્તર-પશ્ચિમ શહેરથી દુર છે. મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હોવાથી તેના આંચકા બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા હતા.

આ ભૂકંપના આંચકા પડોશી દેશો બાંગ્લાદેશ, ચીન, લાઓસ અને થાઈલેન્ડ અને દેશમાં પણ અનુભવાયા હતા.કોલકાતા અને ઇમ્ફાલમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં કોલકાતાના રહેવાસીઓએ દિવાલ પર સજાવેલી વસ્સ્તું પડય હતા. પીટીઆઈએ શહેરમાં કોઈ મિલકતને નુકસાન થયું નથી કે જાનહાનિ થઈ નથી. મણિપુરના ઇમ્ફાલમાં, ભૂકંપથી ગભરાટ ફેલાયો હતો, ખાસ કરીને થંગલ બજારમાં, જ્યાં ઘણી જૂની બહુમાળી ઇમારતો આવેલી છે.

બેઇજિંગની ભૂકંપ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીનના દક્ષિણ પશ્ચિમ યુનાન પ્રાંતમાં પણ ભૂકંપની અસરો નોંધાઈ હતી.

સ્થાનિક અહેવાલો અનુસાર, બેંગકોકમાં ભૂકંપ દરમિયાન બાંધકામ હેઠળની એક ગગનચુંબી ઇમારત ધરાશાયી થઈ ગઈ. બેંગકોકમાં એક ટાવર ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 40 થી વધુ લોકો ગુમ થયા છે.મધ્ય મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ થાઈ પ્રધાનમંત્રીએ કટોકટી બેઠક બોલાવી હતી. શક્તિશાળી ભૂકંપ બાદ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. ભૂકંપ પછી, તેમણે દક્ષિણ ટાપુ ફુકેટની તેમની સત્તાવાર મુલાકાત મુલતવી રાખી છે. આજે મ્યાનમારમાં 7.7 અને 6.4ની તીવ્રતાના સતત બે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેના જોરદાર ભૂકંપની અસર થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ અનુભવાઈ હતી. મ્યાનમારના મંડલેમાં આવેલ પ્રખ્યાત બ્રિજ ભૂકંપને કારણે ઇરાવદી નદીમાં તૂટી પડ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. ભૂકંપથી બેંગકોકમાં ઘણો વિનાશ થયો હતો.



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .