ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા, 5.4ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-24 16:32:24

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ સહિત દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ધરતીકંપનું કેન્દ્રબિંદુ નેપાળ-ચીન બોર્ડર નજીક હોવાનું જણાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 ની હતી. જો કે ધરતીકંપના ઝટકાના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાનીનાં સમાચાર નથી. 


30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા


ઉત્તરભારતમાં અને  તેમાં પણ દિલ્હી-એનસીઆર ઉપરાંત લખનઉ, બરેલી, મુરાદાબાદ, પીલીભીત, અયોધ્યા, ગોરખપુર સહિતના લગભગ તમામ શહેરોમાં લોકોએ 30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા. લોકો ભૂકંપના ઝટકા ગભરાઈને ઘરની બહાર દોડી આવ્ય હતા. તે જ પ્રકારે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસના ધાબા ઉપર ચઢી ગયા હતા. ભૂકંપના આ ઝટકા મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.


ભૂકંપના ઝટકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા


ભૂકંપના આ ઝટકા સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યા છે. ટ્વીટર પર #earthquake ટ્રેન્ડ થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અનેક નેતાઓએ પણ વીડિયો ટ્વીટર પર શેર કર્યા હતા. આ વીડિયોમાં ભૂકંપના ઝટકાની અસર સ્પષ્ટ જોવા મળી હતી.  






રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.