ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા, 5.4ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-24 16:32:24

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ સહિત દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ધરતીકંપનું કેન્દ્રબિંદુ નેપાળ-ચીન બોર્ડર નજીક હોવાનું જણાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 ની હતી. જો કે ધરતીકંપના ઝટકાના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાનીનાં સમાચાર નથી. 


30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા


ઉત્તરભારતમાં અને  તેમાં પણ દિલ્હી-એનસીઆર ઉપરાંત લખનઉ, બરેલી, મુરાદાબાદ, પીલીભીત, અયોધ્યા, ગોરખપુર સહિતના લગભગ તમામ શહેરોમાં લોકોએ 30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા. લોકો ભૂકંપના ઝટકા ગભરાઈને ઘરની બહાર દોડી આવ્ય હતા. તે જ પ્રકારે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસના ધાબા ઉપર ચઢી ગયા હતા. ભૂકંપના આ ઝટકા મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.


ભૂકંપના ઝટકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા


ભૂકંપના આ ઝટકા સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યા છે. ટ્વીટર પર #earthquake ટ્રેન્ડ થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અનેક નેતાઓએ પણ વીડિયો ટ્વીટર પર શેર કર્યા હતા. આ વીડિયોમાં ભૂકંપના ઝટકાની અસર સ્પષ્ટ જોવા મળી હતી.  






અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.