વિશ્વના અનેક દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-11 12:03:29

તુર્કીના દક્ષિણ વિસ્તારમાં ગુરૂવાર મોડી રાત્રે એક ભયંકર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. આદિયામાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

જાપાનમાં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા 

જાપાનમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જર્મનીમાં આવેલા ભૂકંપની તીવ્રતા તુર્કી કરતા પણ વધારે નોંધાઈ હતી. જાપાનના હોક્કાઇડોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં, કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી. મહત્વનું છે કે અનેક દેશોમાં આવેલા ભૂકંપના આંચકાને કારણે અનેક વખત મોટા પાયે ઈમારતોને નુકસાન પહોંચ્યું છે અને અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આ બંને દેશોમાંથી હજી સુધી કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.