ફરી એક વખત તુર્કીમાં આવ્યો ભૂકંપ, ધરતીકંપને કારણે ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-02-21 08:58:32

થોડા દિવસો પહેલા તુર્કીમાં મહાવિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે સોમવાર રાત્રે ફરી એક વખત તુર્કીમાં 6.4 તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીક્લ સેન્ટરના અહેવાલ પ્રમાણે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમીની ઊંડાઈએ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને કારણે દક્ષિણી પ્રાંત હેતાયમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.


ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત 

તુર્કી અને સિરીયામાં 6 ફેબ્રુઆરીએ ધરતીકંપના આંચકા આવ્યા હતા જેને કારણે હજારો લોકો મોતને ભેટ્યા છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થયા હતા. ત્યારે ફરી એક વખત તીવ્ર ભૂકંપનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ધરતીકંપના આંચકાની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. તુર્કીના ગૃહમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં આવેલા ભૂકંપને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા બાદ ડરથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂંકપને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે.

    

પાંચ મિનીટની અંદર બે વખત ધ્રુજી ધરા   

મળતી માહિતી અનુસાર હટાય પ્રાંતમાં 6.4 અને 5.8 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ધરતીકંપના આંચકાનો અનુભવ લેબનોનની રાજધાની બેરૂતમાં પણ થયો હતો. તુર્કી-સીરિયન સરહદ પર ભૂકંપને પગલે ઈમારતો ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલા 6.4 તીવ્રતા વાળા ભૂકંપનો આંચકો આવ્યો જ્યારે તેની ત્રણ મિનીટ બાદ 5.8 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારે નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.