ફરી એક વખત તુર્કીમાં આવ્યો ભૂકંપ, ધરતીકંપને કારણે ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-21 08:58:32

થોડા દિવસો પહેલા તુર્કીમાં મહાવિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે સોમવાર રાત્રે ફરી એક વખત તુર્કીમાં 6.4 તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીક્લ સેન્ટરના અહેવાલ પ્રમાણે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમીની ઊંડાઈએ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને કારણે દક્ષિણી પ્રાંત હેતાયમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.


ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત 

તુર્કી અને સિરીયામાં 6 ફેબ્રુઆરીએ ધરતીકંપના આંચકા આવ્યા હતા જેને કારણે હજારો લોકો મોતને ભેટ્યા છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થયા હતા. ત્યારે ફરી એક વખત તીવ્ર ભૂકંપનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ધરતીકંપના આંચકાની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. તુર્કીના ગૃહમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં આવેલા ભૂકંપને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા બાદ ડરથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂંકપને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે.

    

પાંચ મિનીટની અંદર બે વખત ધ્રુજી ધરા   

મળતી માહિતી અનુસાર હટાય પ્રાંતમાં 6.4 અને 5.8 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ધરતીકંપના આંચકાનો અનુભવ લેબનોનની રાજધાની બેરૂતમાં પણ થયો હતો. તુર્કી-સીરિયન સરહદ પર ભૂકંપને પગલે ઈમારતો ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલા 6.4 તીવ્રતા વાળા ભૂકંપનો આંચકો આવ્યો જ્યારે તેની ત્રણ મિનીટ બાદ 5.8 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારે નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.   



ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે.

દાહોદ લોકસભા બેઠકના પરથમપુરના બુથ નંબર 220થી એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિે બૂથ કેપ્ચર કર્યું. સાથે સાથે ઈન્સ્ટા લાઈવ પણ કર્યું.. વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં આવતી કાલે મતદાન થવાનું છે.

ઈફ્કોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે હવે ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે.. સતત બીજી વખત ચેરમેન તરીકે તેમની નિયુક્તિ થઈ છે. સાથે સાથે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો છે.