ફરી એક વખત તુર્કીમાં આવ્યો ભૂકંપ, ધરતીકંપને કારણે ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-02-21 08:58:32

થોડા દિવસો પહેલા તુર્કીમાં મહાવિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે સોમવાર રાત્રે ફરી એક વખત તુર્કીમાં 6.4 તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીક્લ સેન્ટરના અહેવાલ પ્રમાણે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમીની ઊંડાઈએ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને કારણે દક્ષિણી પ્રાંત હેતાયમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.


ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત 

તુર્કી અને સિરીયામાં 6 ફેબ્રુઆરીએ ધરતીકંપના આંચકા આવ્યા હતા જેને કારણે હજારો લોકો મોતને ભેટ્યા છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થયા હતા. ત્યારે ફરી એક વખત તીવ્ર ભૂકંપનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ધરતીકંપના આંચકાની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. તુર્કીના ગૃહમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં આવેલા ભૂકંપને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા બાદ ડરથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂંકપને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે.

    

પાંચ મિનીટની અંદર બે વખત ધ્રુજી ધરા   

મળતી માહિતી અનુસાર હટાય પ્રાંતમાં 6.4 અને 5.8 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ધરતીકંપના આંચકાનો અનુભવ લેબનોનની રાજધાની બેરૂતમાં પણ થયો હતો. તુર્કી-સીરિયન સરહદ પર ભૂકંપને પગલે ઈમારતો ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલા 6.4 તીવ્રતા વાળા ભૂકંપનો આંચકો આવ્યો જ્યારે તેની ત્રણ મિનીટ બાદ 5.8 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારે નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.   



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.