Chinaમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે દિલ્હીની ધરા પણ ધ્રુજી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-23 11:31:54

ચીનમાં અતિતીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. ચીનના કિર્ગિસ્તાન- શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે જોરદાર તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. અતી તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ચીનમાં 7.2 તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.. આ આંચકા એટલા જોરદાર હતા કે ભારતના દિલ્હીમાં પણ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. મોડી રાતથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો અને સવારે 8 વાગ્યા સુધીમાં 40 જેટલા આંચકા આવી ગયા હતા. 

Earthquake of magnitude 7.2 hits China's Xinjiang, tremors felt in  Delhi-NCR - India Today


ચીનમાં આવ્યો 7.2 તીવ્રતા વાળો ભૂકંપ 

ચીનના કિર્ગિસ્તાન-શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો પડી હોવાની તેમજ ભૂસ્ખલન થવાની ઘટનાઓ પણ બની છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા સવારે 2 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર લેટીટ્યૂડ 40.96 અને લંબાઇ 78.30, ઊંડાઇ 80 કિમી રહી હતી. આ ભૂકંપ એટલો બધો જોરદાર હતો કે દિલ્હીમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. 

Strong earthquake and several aftershocks reported in western Afghanistan

  

ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો થયો અનુભવ

એક વાર નહીં પરંતુ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થવાથી લોકોમાં ડરનો મોહાલ વ્યાપી ઉઠ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં ધરતીકંપના 40 જેટલા ઝટકા મહેસૂસ થયા હતા. ભૂકંપને કારણે અનેક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી છે કે અનેક ઘરો પડી ગયા છે. દિલ્હી સહિત ભારત દેશના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે.     



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?