Chinaમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે દિલ્હીની ધરા પણ ધ્રુજી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-23 11:31:54

ચીનમાં અતિતીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. ચીનના કિર્ગિસ્તાન- શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે જોરદાર તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. અતી તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ચીનમાં 7.2 તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.. આ આંચકા એટલા જોરદાર હતા કે ભારતના દિલ્હીમાં પણ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. મોડી રાતથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો અને સવારે 8 વાગ્યા સુધીમાં 40 જેટલા આંચકા આવી ગયા હતા. 

Earthquake of magnitude 7.2 hits China's Xinjiang, tremors felt in  Delhi-NCR - India Today


ચીનમાં આવ્યો 7.2 તીવ્રતા વાળો ભૂકંપ 

ચીનના કિર્ગિસ્તાન-શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો પડી હોવાની તેમજ ભૂસ્ખલન થવાની ઘટનાઓ પણ બની છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા સવારે 2 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર લેટીટ્યૂડ 40.96 અને લંબાઇ 78.30, ઊંડાઇ 80 કિમી રહી હતી. આ ભૂકંપ એટલો બધો જોરદાર હતો કે દિલ્હીમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. 

Strong earthquake and several aftershocks reported in western Afghanistan

  

ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો થયો અનુભવ

એક વાર નહીં પરંતુ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થવાથી લોકોમાં ડરનો મોહાલ વ્યાપી ઉઠ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં ધરતીકંપના 40 જેટલા ઝટકા મહેસૂસ થયા હતા. ભૂકંપને કારણે અનેક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી છે કે અનેક ઘરો પડી ગયા છે. દિલ્હી સહિત ભારત દેશના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.