Chinaમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે દિલ્હીની ધરા પણ ધ્રુજી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-23 11:31:54

ચીનમાં અતિતીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. ચીનના કિર્ગિસ્તાન- શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે જોરદાર તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. અતી તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ચીનમાં 7.2 તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.. આ આંચકા એટલા જોરદાર હતા કે ભારતના દિલ્હીમાં પણ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. મોડી રાતથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો અને સવારે 8 વાગ્યા સુધીમાં 40 જેટલા આંચકા આવી ગયા હતા. 

Earthquake of magnitude 7.2 hits China's Xinjiang, tremors felt in  Delhi-NCR - India Today


ચીનમાં આવ્યો 7.2 તીવ્રતા વાળો ભૂકંપ 

ચીનના કિર્ગિસ્તાન-શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો પડી હોવાની તેમજ ભૂસ્ખલન થવાની ઘટનાઓ પણ બની છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા સવારે 2 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર લેટીટ્યૂડ 40.96 અને લંબાઇ 78.30, ઊંડાઇ 80 કિમી રહી હતી. આ ભૂકંપ એટલો બધો જોરદાર હતો કે દિલ્હીમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. 

Strong earthquake and several aftershocks reported in western Afghanistan

  

ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો થયો અનુભવ

એક વાર નહીં પરંતુ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થવાથી લોકોમાં ડરનો મોહાલ વ્યાપી ઉઠ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં ધરતીકંપના 40 જેટલા ઝટકા મહેસૂસ થયા હતા. ભૂકંપને કારણે અનેક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી છે કે અનેક ઘરો પડી ગયા છે. દિલ્હી સહિત ભારત દેશના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.