પોલિટિકલ ફંડ અંગે ચૂંટણી પંચ એક્શનમાં, દાનની મર્યાદા 20 હજારથી ઘટાડીને 2 હજાર કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 15:14:36

ચૂંટણી પંચે કાળા નાણાનાં દુષણને સાફ કરવા માટે રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા રોકડ દાન  ₹20,000 થી ઘટાડીને ₹2,000 કરવાનો નિર્ણય કર્યો છે તે ઉપરાંત ચૂંટણી પંચે રોકડ દાનને 20% અથવા વધુમાં વધુ ₹20 કરોડ કરવાની દરખાસ્ત કરી છે.


ECએ કેન્દ્રીય કાયદા પ્રધાનને લખ્યો પત્ર


પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોક પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સુધારાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, પંચની ભલામણોનો હેતુ રાજકીય પાર્ટીઓને ફંડ આપવાની પ્રણાલીમાં સુધારો અને પારદર્શિતા લાવવાનો છે. કમિશને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ રજિસ્ટર્ડ લિસ્ટમાંથી એવી 284 પાર્ટીઓને હટાવી દીધી છે જે નિયમોનું પાલન નહોતી કરી રહી હતી. આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરીના આરોપસર આવા અનેક રાજકીય એકમોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 


ચૂંટણીઓમાં પારદર્શિતા વધશે


સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને 2 હજાર રૂપિયા કરવાની હિમાયત કરી છે. હાલના નિયમો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ 20,000 રૂપિયાથી વધુનું તમામ દાન જાહેર કરવું પડશે. આ અંગેનો અહેવાલ પંચ સમક્ષ રજૂ કરવાનો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલયની મંજૂરી મળી જાય તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોએ કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે.


સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવે તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે. કમિશને એવી પણ ભલામણ કરી છે કે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા મળેલા કુલ દાનના મહત્તમ 20% અથવા 20 કરોડ રૂપિયા રોકડ હોવી જોઈએ. ચૂંટણી પંચ એવું પણ ઈચ્છે છે કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ ચૂંટણી માટે એક અલગ બેંક ખાતું ખોલાવવું જોઈએ અને આ ખાતામાંથી તમામ વ્યવહારો કરવા જોઈએ અને આ માહિતી ચૂંટણી ખર્ચની વિગતોમાં પણ આપવી જોઈએ.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.