પોલિટિકલ ફંડ અંગે ચૂંટણી પંચ એક્શનમાં, દાનની મર્યાદા 20 હજારથી ઘટાડીને 2 હજાર કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 15:14:36

ચૂંટણી પંચે કાળા નાણાનાં દુષણને સાફ કરવા માટે રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા રોકડ દાન  ₹20,000 થી ઘટાડીને ₹2,000 કરવાનો નિર્ણય કર્યો છે તે ઉપરાંત ચૂંટણી પંચે રોકડ દાનને 20% અથવા વધુમાં વધુ ₹20 કરોડ કરવાની દરખાસ્ત કરી છે.


ECએ કેન્દ્રીય કાયદા પ્રધાનને લખ્યો પત્ર


પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોક પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સુધારાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, પંચની ભલામણોનો હેતુ રાજકીય પાર્ટીઓને ફંડ આપવાની પ્રણાલીમાં સુધારો અને પારદર્શિતા લાવવાનો છે. કમિશને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ રજિસ્ટર્ડ લિસ્ટમાંથી એવી 284 પાર્ટીઓને હટાવી દીધી છે જે નિયમોનું પાલન નહોતી કરી રહી હતી. આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરીના આરોપસર આવા અનેક રાજકીય એકમોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 


ચૂંટણીઓમાં પારદર્શિતા વધશે


સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને 2 હજાર રૂપિયા કરવાની હિમાયત કરી છે. હાલના નિયમો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ 20,000 રૂપિયાથી વધુનું તમામ દાન જાહેર કરવું પડશે. આ અંગેનો અહેવાલ પંચ સમક્ષ રજૂ કરવાનો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલયની મંજૂરી મળી જાય તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોએ કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે.


સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવે તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે. કમિશને એવી પણ ભલામણ કરી છે કે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા મળેલા કુલ દાનના મહત્તમ 20% અથવા 20 કરોડ રૂપિયા રોકડ હોવી જોઈએ. ચૂંટણી પંચ એવું પણ ઈચ્છે છે કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ ચૂંટણી માટે એક અલગ બેંક ખાતું ખોલાવવું જોઈએ અને આ ખાતામાંથી તમામ વ્યવહારો કરવા જોઈએ અને આ માહિતી ચૂંટણી ખર્ચની વિગતોમાં પણ આપવી જોઈએ.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.