પોલિટિકલ ફંડ અંગે ચૂંટણી પંચ એક્શનમાં, દાનની મર્યાદા 20 હજારથી ઘટાડીને 2 હજાર કરવાની દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 15:14:36

ચૂંટણી પંચે કાળા નાણાનાં દુષણને સાફ કરવા માટે રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા રોકડ દાન  ₹20,000 થી ઘટાડીને ₹2,000 કરવાનો નિર્ણય કર્યો છે તે ઉપરાંત ચૂંટણી પંચે રોકડ દાનને 20% અથવા વધુમાં વધુ ₹20 કરોડ કરવાની દરખાસ્ત કરી છે.


ECએ કેન્દ્રીય કાયદા પ્રધાનને લખ્યો પત્ર


પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોક પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સુધારાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, પંચની ભલામણોનો હેતુ રાજકીય પાર્ટીઓને ફંડ આપવાની પ્રણાલીમાં સુધારો અને પારદર્શિતા લાવવાનો છે. કમિશને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ રજિસ્ટર્ડ લિસ્ટમાંથી એવી 284 પાર્ટીઓને હટાવી દીધી છે જે નિયમોનું પાલન નહોતી કરી રહી હતી. આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરીના આરોપસર આવા અનેક રાજકીય એકમોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. 


ચૂંટણીઓમાં પારદર્શિતા વધશે


સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને 2 હજાર રૂપિયા કરવાની હિમાયત કરી છે. હાલના નિયમો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ 20,000 રૂપિયાથી વધુનું તમામ દાન જાહેર કરવું પડશે. આ અંગેનો અહેવાલ પંચ સમક્ષ રજૂ કરવાનો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલયની મંજૂરી મળી જાય તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોએ કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે.


સૂત્રોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવે તો 2000 રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે. કમિશને એવી પણ ભલામણ કરી છે કે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા મળેલા કુલ દાનના મહત્તમ 20% અથવા 20 કરોડ રૂપિયા રોકડ હોવી જોઈએ. ચૂંટણી પંચ એવું પણ ઈચ્છે છે કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ ચૂંટણી માટે એક અલગ બેંક ખાતું ખોલાવવું જોઈએ અને આ ખાતામાંથી તમામ વ્યવહારો કરવા જોઈએ અને આ માહિતી ચૂંટણી ખર્ચની વિગતોમાં પણ આપવી જોઈએ.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .