દેશમાં ગમે ત્યાંથી મતદાન કરી શકાશે, ચૂંટણી પંચના આ પ્લાનથી બદલાઈ જશે વોટિંગ સિસ્ટમ


  • Published By :
  • Published Date : 2022-12-29 14:11:11

પરપ્રાંતિય મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે નવી પહેલ કરી છે. ચૂંટણી પંચ રિમોટ વોટિંગની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. રિમોટ વોટિંગના કારણે પરપ્રાંતિય મતદારોને મતદાન કરવા માટે તેમના ગૃહ રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. ચૂંટણી પંચે રિમોટ ઈવીએમનો ખાસ પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. RVMની સૌથી મોટી વિશેષતા એ છે કે એક જ પોલિંગ બુથથી 72 અલગ-અલગ ચૂંટણી વિસ્તારોમાં આ મશીનથી મતદાન કરાઈ શકાય છે. 


રાજકીય પાર્ટીઓ સામે થશે ડેમો


ચૂંટણી પંચે 16મી જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષો માટે આ મશીનનો લાઈવ ડેમો પણ રાખ્યો છે. પ્રોટોટાઈપ RVMના ટેસ્ટિંગ માટે દેશની 8 રાષ્ટ્રિય પાર્ટીઓ અને 57 સ્થાનિક પાર્ટીઓને જાણકારી આપવામાં આવી છે. આ દરમિયાન આ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ પણ હાજર રહેશે. જો ડેમો દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ પણ આશંકા રહેશે તો તે દુર કરવામાં આવશે.


પ્રોટોટાઈપ RVM શા માટે? 


દેશમાં દરેક ચૂંટણીમાં મતદાન સતત ઘટી રહ્યું છે, તેનું એક કારણ લોકોનું સ્થળાંતર પણ છે. મતદારો રોજી રોટી માટે અન્ય રાજ્યોમાં જતા હોવાથી અને ચૂંટણી વખતે તેમના ગૃહ રાજ્યમાં અસમર્થ હોવાથી મતદાન કરી શકતા ન હતા.  પ્રોટોટાઈપ RVM આ લોકો માટે આશિર્વાદરૂપ બનશે તેવું મનાય છે. ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું હતું કે 2019ની સામાન્ય ચૂંટણીમાં 67.4% મતદાન થયું હતું. 30 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.