દેશમાં ગમે ત્યાંથી મતદાન કરી શકાશે, ચૂંટણી પંચના આ પ્લાનથી બદલાઈ જશે વોટિંગ સિસ્ટમ


  • Published By :
  • Published Date : 2022-12-29 14:11:11

પરપ્રાંતિય મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે નવી પહેલ કરી છે. ચૂંટણી પંચ રિમોટ વોટિંગની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. રિમોટ વોટિંગના કારણે પરપ્રાંતિય મતદારોને મતદાન કરવા માટે તેમના ગૃહ રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. ચૂંટણી પંચે રિમોટ ઈવીએમનો ખાસ પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. RVMની સૌથી મોટી વિશેષતા એ છે કે એક જ પોલિંગ બુથથી 72 અલગ-અલગ ચૂંટણી વિસ્તારોમાં આ મશીનથી મતદાન કરાઈ શકાય છે. 


રાજકીય પાર્ટીઓ સામે થશે ડેમો


ચૂંટણી પંચે 16મી જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષો માટે આ મશીનનો લાઈવ ડેમો પણ રાખ્યો છે. પ્રોટોટાઈપ RVMના ટેસ્ટિંગ માટે દેશની 8 રાષ્ટ્રિય પાર્ટીઓ અને 57 સ્થાનિક પાર્ટીઓને જાણકારી આપવામાં આવી છે. આ દરમિયાન આ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ પણ હાજર રહેશે. જો ડેમો દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ પણ આશંકા રહેશે તો તે દુર કરવામાં આવશે.


પ્રોટોટાઈપ RVM શા માટે? 


દેશમાં દરેક ચૂંટણીમાં મતદાન સતત ઘટી રહ્યું છે, તેનું એક કારણ લોકોનું સ્થળાંતર પણ છે. મતદારો રોજી રોટી માટે અન્ય રાજ્યોમાં જતા હોવાથી અને ચૂંટણી વખતે તેમના ગૃહ રાજ્યમાં અસમર્થ હોવાથી મતદાન કરી શકતા ન હતા.  પ્રોટોટાઈપ RVM આ લોકો માટે આશિર્વાદરૂપ બનશે તેવું મનાય છે. ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું હતું કે 2019ની સામાન્ય ચૂંટણીમાં 67.4% મતદાન થયું હતું. 30 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.