દેશમાં ગમે ત્યાંથી મતદાન કરી શકાશે, ચૂંટણી પંચના આ પ્લાનથી બદલાઈ જશે વોટિંગ સિસ્ટમ


  • Published By :
  • Published Date : 2022-12-29 14:11:11

પરપ્રાંતિય મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે નવી પહેલ કરી છે. ચૂંટણી પંચ રિમોટ વોટિંગની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. રિમોટ વોટિંગના કારણે પરપ્રાંતિય મતદારોને મતદાન કરવા માટે તેમના ગૃહ રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. ચૂંટણી પંચે રિમોટ ઈવીએમનો ખાસ પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. RVMની સૌથી મોટી વિશેષતા એ છે કે એક જ પોલિંગ બુથથી 72 અલગ-અલગ ચૂંટણી વિસ્તારોમાં આ મશીનથી મતદાન કરાઈ શકાય છે. 


રાજકીય પાર્ટીઓ સામે થશે ડેમો


ચૂંટણી પંચે 16મી જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષો માટે આ મશીનનો લાઈવ ડેમો પણ રાખ્યો છે. પ્રોટોટાઈપ RVMના ટેસ્ટિંગ માટે દેશની 8 રાષ્ટ્રિય પાર્ટીઓ અને 57 સ્થાનિક પાર્ટીઓને જાણકારી આપવામાં આવી છે. આ દરમિયાન આ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ પણ હાજર રહેશે. જો ડેમો દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ પણ આશંકા રહેશે તો તે દુર કરવામાં આવશે.


પ્રોટોટાઈપ RVM શા માટે? 


દેશમાં દરેક ચૂંટણીમાં મતદાન સતત ઘટી રહ્યું છે, તેનું એક કારણ લોકોનું સ્થળાંતર પણ છે. મતદારો રોજી રોટી માટે અન્ય રાજ્યોમાં જતા હોવાથી અને ચૂંટણી વખતે તેમના ગૃહ રાજ્યમાં અસમર્થ હોવાથી મતદાન કરી શકતા ન હતા.  પ્રોટોટાઈપ RVM આ લોકો માટે આશિર્વાદરૂપ બનશે તેવું મનાય છે. ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું હતું કે 2019ની સામાન્ય ચૂંટણીમાં 67.4% મતદાન થયું હતું. 30 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે