દેશમાં ગમે ત્યાંથી મતદાન કરી શકાશે, ચૂંટણી પંચના આ પ્લાનથી બદલાઈ જશે વોટિંગ સિસ્ટમ


  • Published By :
  • Published Date : 2022-12-29 14:11:11

પરપ્રાંતિય મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે નવી પહેલ કરી છે. ચૂંટણી પંચ રિમોટ વોટિંગની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. રિમોટ વોટિંગના કારણે પરપ્રાંતિય મતદારોને મતદાન કરવા માટે તેમના ગૃહ રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. ચૂંટણી પંચે રિમોટ ઈવીએમનો ખાસ પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. RVMની સૌથી મોટી વિશેષતા એ છે કે એક જ પોલિંગ બુથથી 72 અલગ-અલગ ચૂંટણી વિસ્તારોમાં આ મશીનથી મતદાન કરાઈ શકાય છે. 


રાજકીય પાર્ટીઓ સામે થશે ડેમો


ચૂંટણી પંચે 16મી જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષો માટે આ મશીનનો લાઈવ ડેમો પણ રાખ્યો છે. પ્રોટોટાઈપ RVMના ટેસ્ટિંગ માટે દેશની 8 રાષ્ટ્રિય પાર્ટીઓ અને 57 સ્થાનિક પાર્ટીઓને જાણકારી આપવામાં આવી છે. આ દરમિયાન આ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ પણ હાજર રહેશે. જો ડેમો દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ પણ આશંકા રહેશે તો તે દુર કરવામાં આવશે.


પ્રોટોટાઈપ RVM શા માટે? 


દેશમાં દરેક ચૂંટણીમાં મતદાન સતત ઘટી રહ્યું છે, તેનું એક કારણ લોકોનું સ્થળાંતર પણ છે. મતદારો રોજી રોટી માટે અન્ય રાજ્યોમાં જતા હોવાથી અને ચૂંટણી વખતે તેમના ગૃહ રાજ્યમાં અસમર્થ હોવાથી મતદાન કરી શકતા ન હતા.  પ્રોટોટાઈપ RVM આ લોકો માટે આશિર્વાદરૂપ બનશે તેવું મનાય છે. ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું હતું કે 2019ની સામાન્ય ચૂંટણીમાં 67.4% મતદાન થયું હતું. 30 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું. ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.