ક્રિપ્ટો એક્સચેન્જ EDનો સપાટો, PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-19 19:20:09

EDએ ક્રિપ્ટો એક્સચેન્જ સામે કડક કાર્યવાહી કરી છે, એજન્સીએ ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા મની લોન્ડ્રિંગના કેસમાં 907 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. ઈડીએ ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. ક્રિપ્ટો એક્સચેન્જને લઈ એક સવાલનો જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી.


સેન્ટ્રલ GSTએ ચોરી પકડી


સેન્ટ્રલ જીએસટીએ 12 ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા 87.60 કરોડ રૂપિયાના મૂલ્યના જીએસટીની ચોરી શોધી કાઢી છે. તેમણે જણાવ્યું કે વ્યાજ અને દંડ સહિત 110.97 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે 8  કેસમાં હજુ પણ કેટલાક લોકો સામે તપાસ ચાલી રહી છે. ત્યાંજ વ્યાજ અને દંડ સહિત ટેક્સની ચૂકવણી બાદ ચાર કેસ બંધ કરાયા છે. 


કોની સામે થઈ કાર્યવાહી?


મંત્રી પંકજ ચૌધરીઓ જણાવ્યું કે WazirXના નામથી લોકપ્રિય ક્રિપ્ટો એક્સચેન્જ Zanmai Labs Pvt Ltdના કેસમાં કંપની અને તેના ડાયરેક્ટર્સની 289.68 કરોડ રૂપિયાના મુલ્યની એસેટ્સને જપ્ત કરી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈના ઉલ્લંઘનને લઈ કંપની અને તેના ડાયરેક્ટક્સ સામે આ કાર્યવાહી કરી છે. 


ભારતમાં ક્રિપ્ટો એસેટ્સ અનરેગ્યુલેટેડ


વર્તમનામાં દેશમાં ક્રિપ્ટો એસેટ્સ પર કોઈ નિયમનકારી ઓથોરીટી નથી. અમેરિકાના ફેડ રિઝર્વની કાર્યવાહીથી ગ્રોથની સંભાવના નબળી પડી છે.  દેશમાં અન્ય રિસ્કી એસેટ્સની જેમ ક્રિપ્ટો ટોકનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.