ક્રિપ્ટો એક્સચેન્જ EDનો સપાટો, PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-19 19:20:09

EDએ ક્રિપ્ટો એક્સચેન્જ સામે કડક કાર્યવાહી કરી છે, એજન્સીએ ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા મની લોન્ડ્રિંગના કેસમાં 907 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. ઈડીએ ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. ક્રિપ્ટો એક્સચેન્જને લઈ એક સવાલનો જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી.


સેન્ટ્રલ GSTએ ચોરી પકડી


સેન્ટ્રલ જીએસટીએ 12 ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા 87.60 કરોડ રૂપિયાના મૂલ્યના જીએસટીની ચોરી શોધી કાઢી છે. તેમણે જણાવ્યું કે વ્યાજ અને દંડ સહિત 110.97 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે 8  કેસમાં હજુ પણ કેટલાક લોકો સામે તપાસ ચાલી રહી છે. ત્યાંજ વ્યાજ અને દંડ સહિત ટેક્સની ચૂકવણી બાદ ચાર કેસ બંધ કરાયા છે. 


કોની સામે થઈ કાર્યવાહી?


મંત્રી પંકજ ચૌધરીઓ જણાવ્યું કે WazirXના નામથી લોકપ્રિય ક્રિપ્ટો એક્સચેન્જ Zanmai Labs Pvt Ltdના કેસમાં કંપની અને તેના ડાયરેક્ટર્સની 289.68 કરોડ રૂપિયાના મુલ્યની એસેટ્સને જપ્ત કરી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈના ઉલ્લંઘનને લઈ કંપની અને તેના ડાયરેક્ટક્સ સામે આ કાર્યવાહી કરી છે. 


ભારતમાં ક્રિપ્ટો એસેટ્સ અનરેગ્યુલેટેડ


વર્તમનામાં દેશમાં ક્રિપ્ટો એસેટ્સ પર કોઈ નિયમનકારી ઓથોરીટી નથી. અમેરિકાના ફેડ રિઝર્વની કાર્યવાહીથી ગ્રોથની સંભાવના નબળી પડી છે.  દેશમાં અન્ય રિસ્કી એસેટ્સની જેમ ક્રિપ્ટો ટોકનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.