ક્રિપ્ટો એક્સચેન્જ EDનો સપાટો, PMLA હેઠળ રૂ. 907 કરોડની સંપત્તિ જપ્ત


  • Published By :
  • Published Date : 2022-12-19 19:20:09

EDએ ક્રિપ્ટો એક્સચેન્જ સામે કડક કાર્યવાહી કરી છે, એજન્સીએ ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા મની લોન્ડ્રિંગના કેસમાં 907 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. ઈડીએ ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. ક્રિપ્ટો એક્સચેન્જને લઈ એક સવાલનો જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી.


સેન્ટ્રલ GSTએ ચોરી પકડી


સેન્ટ્રલ જીએસટીએ 12 ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા 87.60 કરોડ રૂપિયાના મૂલ્યના જીએસટીની ચોરી શોધી કાઢી છે. તેમણે જણાવ્યું કે વ્યાજ અને દંડ સહિત 110.97 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે 8  કેસમાં હજુ પણ કેટલાક લોકો સામે તપાસ ચાલી રહી છે. ત્યાંજ વ્યાજ અને દંડ સહિત ટેક્સની ચૂકવણી બાદ ચાર કેસ બંધ કરાયા છે. 


કોની સામે થઈ કાર્યવાહી?


મંત્રી પંકજ ચૌધરીઓ જણાવ્યું કે WazirXના નામથી લોકપ્રિય ક્રિપ્ટો એક્સચેન્જ Zanmai Labs Pvt Ltdના કેસમાં કંપની અને તેના ડાયરેક્ટર્સની 289.68 કરોડ રૂપિયાના મુલ્યની એસેટ્સને જપ્ત કરી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈના ઉલ્લંઘનને લઈ કંપની અને તેના ડાયરેક્ટક્સ સામે આ કાર્યવાહી કરી છે. 


ભારતમાં ક્રિપ્ટો એસેટ્સ અનરેગ્યુલેટેડ


વર્તમનામાં દેશમાં ક્રિપ્ટો એસેટ્સ પર કોઈ નિયમનકારી ઓથોરીટી નથી. અમેરિકાના ફેડ રિઝર્વની કાર્યવાહીથી ગ્રોથની સંભાવના નબળી પડી છે.  દેશમાં અન્ય રિસ્કી એસેટ્સની જેમ ક્રિપ્ટો ટોકનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.