વિપક્ષો પર ED-CBIના દરોડા, તો શું ભાજપના નેતાઓ દુધે ધોયેલા છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:03:09

દેશની રાજનિતીમાં  ED,CBI અને IB સહિતની તપાસ એજન્સીઓનો શાસક પક્ષ દ્વારા દુરપયોગએ કોઈ નવી બાબત નથી, પરંતુ 2014માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારથી વિપક્ષી નેતાઓ જાણે દુશ્મન હોય તે રીતે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાનો ભાજપ પર આરોપ લાગી રહ્યો છે, શરૂઆતમાં તો માત્ર કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર સિકંજો કસવામાં આવતો હતો, જો કે હવે તો આમ આદમી પાર્ટી,રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચા,તૃણમુલ કોંગ્રેસ,NCP અને શિવસેનાના નેતાઓ પર પણ ધોંસ વધી છે. 

ભાજપની સાથે નહીં તે સામે 

ભ્રષ્ટાચાર,છેતરપિંડી અને મની લોન્ડ્રીંગના કેસ સરકારનું મુખ્ય હથિયાર બન્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉત, આપના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા,આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન,TMC નેતા અભિષેક બેનર્જી, પાર્થો ચેટર્જી,NCP નેતા અનિલ દેશમુખ,નવાબ મલિક, અને હવે ઝારખંડ મુક્તી મોરચા તથા RJDના કેટલાક નેતાઓ પર પણ ઈડીની રેડ પડી છે. વિપક્ષી નેતાના ઘરે પડતા દરોડા ચર્ચાનો વિષય બન્યો છે.

વિપક્ષોની એકતા માટે હાકલ 

વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓને થતી હેરાનગતીને લઈ મમતા બેનર્જી તથા શરદ પવાર પણ અનેક વખત વિપક્ષી એકતા માટે હાકલ કરી ચુંક્યા છે, ભાજપની પંજાબમાં થયેલી હાર બાદ ઈડી અને સીબીઆઈની ધોંસ વધી રહી છે, ચૂંટણી નજીક છે ત્યારે આપના નેતાઓને ખાસ નિશાન બનાવવામાં આવે છે,ઈડી અને સીબીઆઈના દરોડા વિપક્ષી નેતાઓની છબી ખરડવામાં ઉપયોગી બને છે.

ભાજપના નેતાઓ કેટલા પ્રામાણિક?

વિપક્ષો પર વધી રહેલી સીબીઆઈ અને ઈડીની તપાસે હવે ભાજપના નેતાઓની ઈમાનદારી અંગે પણ ચર્ચા જગાવી છે, ભાજપના નેતાઓ ગંગામાં નાહ્યેલા છે તેવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે,  UPAના શાસનમાં અમિત શાહ, બી એસ યદીયુરપ્પા,શિવરાજ સિંહ ચૌહાણ,નિતીન ગડકરી, નારાયણ રાણે, હેમંત બિસ્વા શર્મા સહિતના નેતાઓ પણ સીબીઆઈ અને ઈડીના દરોડાનો સામનો કરી ચુક્યા છે. જો કે હાલ તેમના પર થયેલા કેસની શું સ્થિતી છે તે સૌ કોઈ જાણે છે, આમ જે પાર્ટી સત્તામાં આવે ત્યારે તેના નેતાઓ રાતોરાત ઈમાનદાર બની જાય છે. જો કે આ પરિસ્થતિ લોકશાહી માટે તો ચોક્કસપણે ખતરનાક જ છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .