અભિનેત્રી રકુલ પ્રીત સિંહને EDએ પાઠવ્યા સમન્સ, ડ્ર્ગ્સ અને મની લોન્ડ્રરિંગ કેસમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-12-16 21:58:47

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી છે. ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેને સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ રકુલને 19 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા રકુલ પ્રીતની 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂછપરછ કરવામાં આવી હતી.


ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી  રકુલ પ્રીત સિંહને બે અલગ-અલગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. આ મામલામાં અધિકારીઓનું કહેવું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રકુલ પ્રીતને ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે.


આ સાથે જ અધિકારીઓએ તે પણ જણાવ્યું છે કે એજન્સીએ અગાઉ આ મામલે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. આ પછી અભિનેત્રીને બોલાવવામાં આવી છે. તે ઉપરાંત, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેઓ તાજેતરમાં થયેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસમાં ફરિયાદી હતા.


શું છે સમગ્ર મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો 4 વર્ષ જૂના ડ્રગ્સ કેસનો છે. આ કેસમાં અન્ય ઘણા કલાકારોને પણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તેલંગાણા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે વર્ષ 2017માં 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ મામલે 12 કેસ નોંધ્યા હતા.


આ કેસમાં અધિકારીઓએ 11 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ડ્રગ્સની દાણચોરી કરનારા 8 લોકોના નામ છે. તેમાંથી મોટાભાગના નીચા સ્તરના ડ્રગ સ્મગલરો છે. એક્સાઇઝ પછી, જ્યારે EDએ આ મામલાની તપાસ કરી તો તેને મની લોન્ડરિંગની શંકા ગઈ હતી.


તેમણે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ મુમૈત ખાન, તનિશ, નંદુ, તરુણ અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી જેવી ટોલીવુડ સેલિબ્રિટીઓને પણ ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે.



કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેટને કારણે આ કિસ્સાઓમાં વધારો કર્યા છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા પહેલા ગામડે ગામડે જઈ વિરોધ કરતા હતા પરંતુ હવે તેમણે રણનીતિ બદલી છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.