અભિનેત્રી રકુલ પ્રીત સિંહને EDએ પાઠવ્યા સમન્સ, ડ્ર્ગ્સ અને મની લોન્ડ્રરિંગ કેસમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-12-16 21:58:47

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી છે. ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેને સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ રકુલને 19 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા રકુલ પ્રીતની 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂછપરછ કરવામાં આવી હતી.


ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી  રકુલ પ્રીત સિંહને બે અલગ-અલગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. આ મામલામાં અધિકારીઓનું કહેવું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રકુલ પ્રીતને ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે.


આ સાથે જ અધિકારીઓએ તે પણ જણાવ્યું છે કે એજન્સીએ અગાઉ આ મામલે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. આ પછી અભિનેત્રીને બોલાવવામાં આવી છે. તે ઉપરાંત, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેઓ તાજેતરમાં થયેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસમાં ફરિયાદી હતા.


શું છે સમગ્ર મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો 4 વર્ષ જૂના ડ્રગ્સ કેસનો છે. આ કેસમાં અન્ય ઘણા કલાકારોને પણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તેલંગાણા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે વર્ષ 2017માં 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ મામલે 12 કેસ નોંધ્યા હતા.


આ કેસમાં અધિકારીઓએ 11 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ડ્રગ્સની દાણચોરી કરનારા 8 લોકોના નામ છે. તેમાંથી મોટાભાગના નીચા સ્તરના ડ્રગ સ્મગલરો છે. એક્સાઇઝ પછી, જ્યારે EDએ આ મામલાની તપાસ કરી તો તેને મની લોન્ડરિંગની શંકા ગઈ હતી.


તેમણે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ મુમૈત ખાન, તનિશ, નંદુ, તરુણ અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી જેવી ટોલીવુડ સેલિબ્રિટીઓને પણ ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.