અભિનેત્રી રકુલ પ્રીત સિંહને EDએ પાઠવ્યા સમન્સ, ડ્ર્ગ્સ અને મની લોન્ડ્રરિંગ કેસમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-12-16 21:58:47

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી છે. ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેને સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ રકુલને 19 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા રકુલ પ્રીતની 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂછપરછ કરવામાં આવી હતી.


ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી  રકુલ પ્રીત સિંહને બે અલગ-અલગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. આ મામલામાં અધિકારીઓનું કહેવું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રકુલ પ્રીતને ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે.


આ સાથે જ અધિકારીઓએ તે પણ જણાવ્યું છે કે એજન્સીએ અગાઉ આ મામલે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. આ પછી અભિનેત્રીને બોલાવવામાં આવી છે. તે ઉપરાંત, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેઓ તાજેતરમાં થયેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસમાં ફરિયાદી હતા.


શું છે સમગ્ર મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો 4 વર્ષ જૂના ડ્રગ્સ કેસનો છે. આ કેસમાં અન્ય ઘણા કલાકારોને પણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તેલંગાણા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે વર્ષ 2017માં 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ મામલે 12 કેસ નોંધ્યા હતા.


આ કેસમાં અધિકારીઓએ 11 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ડ્રગ્સની દાણચોરી કરનારા 8 લોકોના નામ છે. તેમાંથી મોટાભાગના નીચા સ્તરના ડ્રગ સ્મગલરો છે. એક્સાઇઝ પછી, જ્યારે EDએ આ મામલાની તપાસ કરી તો તેને મની લોન્ડરિંગની શંકા ગઈ હતી.


તેમણે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ મુમૈત ખાન, તનિશ, નંદુ, તરુણ અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી જેવી ટોલીવુડ સેલિબ્રિટીઓને પણ ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.