અભિનેત્રી રકુલ પ્રીત સિંહને EDએ પાઠવ્યા સમન્સ, ડ્ર્ગ્સ અને મની લોન્ડ્રરિંગ કેસમાં થશે પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-12-16 21:58:47

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની મુશ્કેલી વધી છે. ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેને સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ રકુલને 19 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા રકુલ પ્રીતની 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂછપરછ કરવામાં આવી હતી.


ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી  રકુલ પ્રીત સિંહને બે અલગ-અલગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. આ મામલામાં અધિકારીઓનું કહેવું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રકુલ પ્રીતને ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યા છે.


આ સાથે જ અધિકારીઓએ તે પણ જણાવ્યું છે કે એજન્સીએ અગાઉ આ મામલે તેલુગુ ફિલ્મ ઉદ્યોગના અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી. આ પછી અભિનેત્રીને બોલાવવામાં આવી છે. તે ઉપરાંત, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ધારાસભ્ય પાયલોટ રોહિત રેડ્ડીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેઓ તાજેતરમાં થયેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસમાં ફરિયાદી હતા.


શું છે સમગ્ર મામલો?


અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલો 4 વર્ષ જૂના ડ્રગ્સ કેસનો છે. આ કેસમાં અન્ય ઘણા કલાકારોને પણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તેલંગાણા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે વર્ષ 2017માં 30 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આ મામલે 12 કેસ નોંધ્યા હતા.


આ કેસમાં અધિકારીઓએ 11 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ડ્રગ્સની દાણચોરી કરનારા 8 લોકોના નામ છે. તેમાંથી મોટાભાગના નીચા સ્તરના ડ્રગ સ્મગલરો છે. એક્સાઇઝ પછી, જ્યારે EDએ આ મામલાની તપાસ કરી તો તેને મની લોન્ડરિંગની શંકા ગઈ હતી.


તેમણે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ મુમૈત ખાન, તનિશ, નંદુ, તરુણ અને બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતી જેવી ટોલીવુડ સેલિબ્રિટીઓને પણ ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.