ઈજિપ્તના રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું ભારતનું આમંત્રણ, ગણતંત્ર દિવસે અબ્દેલ ફતાહ બનશે મુખ્ય અતિથી


  • Published By :
  • Published Date : 2022-11-27 14:22:46

આપણે ત્યાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અનેક વખત ગણતંત્ર દિવસે વિદેશી નેતાઓ આપણા મહેમાન બનતા હોય છે. ત્યારે આ વખતે ગણતંત્ર દિવસે ભારતના મુખ્ય અતિથી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે.      

Egypt's president boosts exceptional ration card support for the most needy  - EgyptToday

પ્રજાસત્તાક દિવસે આપણે ત્યાં પરેડ યોજાતી હોય છે. આ પરેડમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. વિદેશી નેતાઓ આપણા મુખ્ય મહેમાનો બનતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી થવાની છે. આ ઉજવણીમાં ભારતના મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.