ઈજિપ્તના રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું ભારતનું આમંત્રણ, ગણતંત્ર દિવસે અબ્દેલ ફતાહ બનશે મુખ્ય અતિથી


  • Published By :
  • Published Date : 2022-11-27 14:22:46

આપણે ત્યાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અનેક વખત ગણતંત્ર દિવસે વિદેશી નેતાઓ આપણા મહેમાન બનતા હોય છે. ત્યારે આ વખતે ગણતંત્ર દિવસે ભારતના મુખ્ય અતિથી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે.      

Egypt's president boosts exceptional ration card support for the most needy  - EgyptToday

પ્રજાસત્તાક દિવસે આપણે ત્યાં પરેડ યોજાતી હોય છે. આ પરેડમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. વિદેશી નેતાઓ આપણા મુખ્ય મહેમાનો બનતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી થવાની છે. આ ઉજવણીમાં ભારતના મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.