ઈજિપ્તના રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું ભારતનું આમંત્રણ, ગણતંત્ર દિવસે અબ્દેલ ફતાહ બનશે મુખ્ય અતિથી


  • Published By :
  • Published Date : 2022-11-27 14:22:46

આપણે ત્યાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અનેક વખત ગણતંત્ર દિવસે વિદેશી નેતાઓ આપણા મહેમાન બનતા હોય છે. ત્યારે આ વખતે ગણતંત્ર દિવસે ભારતના મુખ્ય અતિથી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે.      

Egypt's president boosts exceptional ration card support for the most needy  - EgyptToday

પ્રજાસત્તાક દિવસે આપણે ત્યાં પરેડ યોજાતી હોય છે. આ પરેડમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. વિદેશી નેતાઓ આપણા મુખ્ય મહેમાનો બનતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી થવાની છે. આ ઉજવણીમાં ભારતના મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.