ઈજિપ્તના રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું ભારતનું આમંત્રણ, ગણતંત્ર દિવસે અબ્દેલ ફતાહ બનશે મુખ્ય અતિથી


  • Published By :
  • Published Date : 2022-11-27 14:22:46

આપણે ત્યાં ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અનેક વખત ગણતંત્ર દિવસે વિદેશી નેતાઓ આપણા મહેમાન બનતા હોય છે. ત્યારે આ વખતે ગણતંત્ર દિવસે ભારતના મુખ્ય અતિથી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે.      

Egypt's president boosts exceptional ration card support for the most needy  - EgyptToday

પ્રજાસત્તાક દિવસે આપણે ત્યાં પરેડ યોજાતી હોય છે. આ પરેડમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. વિદેશી નેતાઓ આપણા મુખ્ય મહેમાનો બનતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે છેલ્લા અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા ગણતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી થવાની છે. આ ઉજવણીમાં ભારતના મહેમાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહા બનવાના છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.