કર્ણાટકમાં જામ્યો ચૂંટણી પ્રચાર! મલ્લિકાર્જુન ખડગેના 'ઝેરી સાપ'ના જવાબમાં BJP ધારાસભ્યએ સોનિયા ગાંધીને કહ્યું 'વિષકન્યા'!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:34:30

કર્ણાટકમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધ પોતાની ચરમ સીમા પર આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા એક જાહેર સભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઝેરી સાપ શબ્દ વાપરયો હતો. આ વિવાદ હજી શાંત નથી થતો ત્યારે ભાજપના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. કર્ણાટકની બીજેપીના ધારાસભ્ય બાસનગૌડાએ શુક્રવારે સોનિયા ગાંધી વિશે ટિપ્પણી કરી હતી અને સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.

  

સોનિયા ગાંધીને ભાજપના ધારાસભ્યે વિષકન્યા કહ્યા!

થોડા દિવસ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.પોતાના નિવેદનમાં ઝેરી સાપ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વિવાદ વધતાં તેમણે આ મામલે ખુલાસો પણ આપ્યો હતો. આ મામલે ભાજપના અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે કર્ણાટકના ભાજપ ધારાસભ્ય બાસનગૌડાએ સોનિયા ગાંધીને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.


ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરે છે! 

એક જાહેર સભામાં બાસનગૌડાએ કહ્યું હતું કે હવે ખડગે પીએમની તુલના કોબરા સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તઓ ઝેર ઓકશે. પરંતુ જે પાર્ટીમાં તમે નાચી રહ્યા છો  તે પાર્ટીમાં શું સોનિયા ગાંધી વિષકન્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ ચીન અને પાકિસ્તાન સાથે તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે દરેક લોકો પોતાની સીમાની અંદર રહીને નિવેદનો આપે, પરંતુ જે પક્ષમાંથી ખડગે આવે છે એ પાર્ટીના નેતાઓ મોદીને ક્યારેક મૌત કા સોદાગર, ક્યારેક દુર્યોધન, ક્યારેક ગટરનો કીડો તો ક્યારેક સામાન્ય ચાવાળો કહે છે. લોકશાહીમાં આવા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહી. 


ભૂપેશ બધેલે આપ્યું નિવેદન!

સોનિયા ગાંધી વિશે કરવામાં આવેલા નિવેદન બાદ સીએમ ભૂપેશ બધેલે નિવેદન આપ્યું થે. તેમણે કહ્યું કે અમારા કોંગ્રેસના કાર્યકરો એફઆઈઆર નોંધાવશે. સોનિયા ગાંધીને વિષકન્યા કહેવામાં આવી રહ્યા છે, હવે આ નિવેદન પર મોદી શાહ શું કહેશે? 


નિમ્ન સ્તરની થઈ રહી છે રાજનીતિ!

ત્યારે પ્રશ્ન એ છે કે શું આટલી નીચલા સ્તરે રાજનીતિ આવી ગઈ છે કે એક બીજા પર પ્રહાર કરવા માટે રાજનેતાઓ કોઈ પણ હદે જશે? આવા નિવેદનો પર તમારૂ શું કહેવું છે?       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.