કર્ણાટકમાં જામ્યો ચૂંટણી પ્રચાર! મલ્લિકાર્જુન ખડગેના 'ઝેરી સાપ'ના જવાબમાં BJP ધારાસભ્યએ સોનિયા ગાંધીને કહ્યું 'વિષકન્યા'!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:34:30

કર્ણાટકમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધ પોતાની ચરમ સીમા પર આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા એક જાહેર સભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઝેરી સાપ શબ્દ વાપરયો હતો. આ વિવાદ હજી શાંત નથી થતો ત્યારે ભાજપના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. કર્ણાટકની બીજેપીના ધારાસભ્ય બાસનગૌડાએ શુક્રવારે સોનિયા ગાંધી વિશે ટિપ્પણી કરી હતી અને સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.

  

સોનિયા ગાંધીને ભાજપના ધારાસભ્યે વિષકન્યા કહ્યા!

થોડા દિવસ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.પોતાના નિવેદનમાં ઝેરી સાપ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વિવાદ વધતાં તેમણે આ મામલે ખુલાસો પણ આપ્યો હતો. આ મામલે ભાજપના અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે કર્ણાટકના ભાજપ ધારાસભ્ય બાસનગૌડાએ સોનિયા ગાંધીને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.


ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરે છે! 

એક જાહેર સભામાં બાસનગૌડાએ કહ્યું હતું કે હવે ખડગે પીએમની તુલના કોબરા સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તઓ ઝેર ઓકશે. પરંતુ જે પાર્ટીમાં તમે નાચી રહ્યા છો  તે પાર્ટીમાં શું સોનિયા ગાંધી વિષકન્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ ચીન અને પાકિસ્તાન સાથે તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે દરેક લોકો પોતાની સીમાની અંદર રહીને નિવેદનો આપે, પરંતુ જે પક્ષમાંથી ખડગે આવે છે એ પાર્ટીના નેતાઓ મોદીને ક્યારેક મૌત કા સોદાગર, ક્યારેક દુર્યોધન, ક્યારેક ગટરનો કીડો તો ક્યારેક સામાન્ય ચાવાળો કહે છે. લોકશાહીમાં આવા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહી. 


ભૂપેશ બધેલે આપ્યું નિવેદન!

સોનિયા ગાંધી વિશે કરવામાં આવેલા નિવેદન બાદ સીએમ ભૂપેશ બધેલે નિવેદન આપ્યું થે. તેમણે કહ્યું કે અમારા કોંગ્રેસના કાર્યકરો એફઆઈઆર નોંધાવશે. સોનિયા ગાંધીને વિષકન્યા કહેવામાં આવી રહ્યા છે, હવે આ નિવેદન પર મોદી શાહ શું કહેશે? 


નિમ્ન સ્તરની થઈ રહી છે રાજનીતિ!

ત્યારે પ્રશ્ન એ છે કે શું આટલી નીચલા સ્તરે રાજનીતિ આવી ગઈ છે કે એક બીજા પર પ્રહાર કરવા માટે રાજનેતાઓ કોઈ પણ હદે જશે? આવા નિવેદનો પર તમારૂ શું કહેવું છે?       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.