કર્ણાટકમાં જામ્યો ચૂંટણી પ્રચાર! મલ્લિકાર્જુન ખડગેના 'ઝેરી સાપ'ના જવાબમાં BJP ધારાસભ્યએ સોનિયા ગાંધીને કહ્યું 'વિષકન્યા'!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:34:30

કર્ણાટકમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધ પોતાની ચરમ સીમા પર આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા એક જાહેર સભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઝેરી સાપ શબ્દ વાપરયો હતો. આ વિવાદ હજી શાંત નથી થતો ત્યારે ભાજપના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. કર્ણાટકની બીજેપીના ધારાસભ્ય બાસનગૌડાએ શુક્રવારે સોનિયા ગાંધી વિશે ટિપ્પણી કરી હતી અને સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.

  

સોનિયા ગાંધીને ભાજપના ધારાસભ્યે વિષકન્યા કહ્યા!

થોડા દિવસ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.પોતાના નિવેદનમાં ઝેરી સાપ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વિવાદ વધતાં તેમણે આ મામલે ખુલાસો પણ આપ્યો હતો. આ મામલે ભાજપના અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે કર્ણાટકના ભાજપ ધારાસભ્ય બાસનગૌડાએ સોનિયા ગાંધીને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.


ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરે છે! 

એક જાહેર સભામાં બાસનગૌડાએ કહ્યું હતું કે હવે ખડગે પીએમની તુલના કોબરા સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તઓ ઝેર ઓકશે. પરંતુ જે પાર્ટીમાં તમે નાચી રહ્યા છો  તે પાર્ટીમાં શું સોનિયા ગાંધી વિષકન્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ ચીન અને પાકિસ્તાન સાથે તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે દરેક લોકો પોતાની સીમાની અંદર રહીને નિવેદનો આપે, પરંતુ જે પક્ષમાંથી ખડગે આવે છે એ પાર્ટીના નેતાઓ મોદીને ક્યારેક મૌત કા સોદાગર, ક્યારેક દુર્યોધન, ક્યારેક ગટરનો કીડો તો ક્યારેક સામાન્ય ચાવાળો કહે છે. લોકશાહીમાં આવા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહી. 


ભૂપેશ બધેલે આપ્યું નિવેદન!

સોનિયા ગાંધી વિશે કરવામાં આવેલા નિવેદન બાદ સીએમ ભૂપેશ બધેલે નિવેદન આપ્યું થે. તેમણે કહ્યું કે અમારા કોંગ્રેસના કાર્યકરો એફઆઈઆર નોંધાવશે. સોનિયા ગાંધીને વિષકન્યા કહેવામાં આવી રહ્યા છે, હવે આ નિવેદન પર મોદી શાહ શું કહેશે? 


નિમ્ન સ્તરની થઈ રહી છે રાજનીતિ!

ત્યારે પ્રશ્ન એ છે કે શું આટલી નીચલા સ્તરે રાજનીતિ આવી ગઈ છે કે એક બીજા પર પ્રહાર કરવા માટે રાજનેતાઓ કોઈ પણ હદે જશે? આવા નિવેદનો પર તમારૂ શું કહેવું છે?       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.