ચૂંટણી પંચે ‘એક વ્યક્તિ, એક બેઠક’પર ચૂંટણી લડે તે માટે કાયદા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 19:28:51

નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આવ્યા બાદ ‘એક વ્યક્તિ એક સીટ’ નિયમ લાગુ કરવાના પ્રસ્તાવ પર ચૂંટણી પંચે ખૂબ ભાર મુક્યો છે. પહેલી વખત 2004માં આ પ્રસ્તાવ ઈલેક્શન કમિશને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો પરંતુ 18 વર્ષમાં આ નિયમને લાગુ કરવાના સંબંધમાં અમુક પ્રગતિ થઈ શકી નહોતી. હવે એકવાર ફરી ચૂંટણી પંચે નવી રીતે આ નિયમને લાગુ કરાવવા પર જોર આપવાનુ શરૂ કર્યુ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એકવાર ફરી આ પ્રસ્તાવ વિચાર માટે કેન્દ્રની પાસે મોકલ્યો છે. સાથે જ કેન્દ્રીય કાયદા મંત્રાલયની સાથે આ મુદ્દે ઈલેક્શન કમિશનની ચર્ચા ચાલુ છે. 


ચૂંટણીમાં ‘એક વ્યક્તિ એક સીટ’ નિયમ લાગુ કરવા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (Representation of the People Act, 1951) માં પરિવર્તન કરવું પડશે. વર્તમાનમાં જનપ્રતિનિધિત્વ કાનૂનના સેક્શન 33 (7)માં હાજર નિયમો અનુસાર એક વ્યક્તિ બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. 


પેટા ચૂંટણી કરાવવામાં ખોટો ખર્ચ


જ્યારે 2004માં પહેલીવાર ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે એક વ્યક્તિ એક બેઠકનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને તર્ક આપ્યો હતો કે જો એક વ્યક્તિ 2 બેઠકો પર ચૂંટણી લડે છે અને બંને જગ્યાએથી જીત્યા બાદ એક સીટ ખાલી કરે છે તો પેટા ચૂંટણી કરાવવામાં ખોટો ખર્ચો થાય છે. એક રીતે આ રૂપિયાનો દુરુપયોગ છે. આને જોતા સીટ છોડનાર ચૂંટાયેલા ઉમેદવારે સરકારના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવા માટે નિયમ બનાવવાની ભલામણ ચૂંટણી પંચે કરી હતી.


સુપ્રીમમાં પણ ECએ‘એક ઉમેદવાર-એક સીટ’ પ્રસ્તાવનું કર્યું હતું સમર્થન


એક વ્યક્તિ એક સીટના પ્રસ્તાવ પાછળ ચૂંટણી પંચનો તર્ક એ છે કે આનાથી પેટા ચૂંટણીની સ્થિતિ ઉભી થશે નહીં અને સરકારી ખજાના પર પડનારો નાણાકીય બોજો ઓછો કરી શકાશે. અમુક વર્ષ પહેલા કોઈ પણ ઉમેદવારનુ એકથી વધારે સીટ પરથી ચૂંટણી લડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર પોતાનો પક્ષ મૂકતા ચૂંટણી પંચે એક ઉમેદવાર-એક સીટ પર ચૂંટણી લડવાનુ સમર્થન કર્યુ હતુ.


કાયદા પંચે પણ 2015ના રિપોર્ટમાં આ સૂચન કર્યું હતું


વર્ષ 1996 પહેલા, ઉમેદવાર ગમે તેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકતો હતો, જે પાછળથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો કરીને બે બેઠકો સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો. માર્ચ 2015માં કાયદા પંચે ચૂંટણી સુધારણા અંગેના તેના 211 પાનાના 255મા રિપોર્ટમાં અનેક પગલાં સૂચવ્યા હતા. તેમાં એક કરતાં વધુ બેઠકો પરથી ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી પર પ્રતિબંધ મૂકવાનું સૂચન સામેલ છે. વર્તમાન વ્યવસ્થામાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે, જેમાંથી મોટાભાગના ડમી ઉમેદવારો છે અને તેમાંથી ઘણા એક જ નામના હોય છે, જેનો હેતુ મતદારોમાં ભ્રમ ફેલાવવાનો છે. આ પહેલા પણ ચૂંટણી સુધારણા અંગેના કાયદા પંચે રાજકારણના અપરાધીકરણને રોકવા માટે કલંકિત લોકોને ચૂંટણીથી દૂર રાખવા અંગે વધુ એક રિપોર્ટ આપ્યો હતો.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.