ચૂંટણી પંચે ‘એક વ્યક્તિ, એક બેઠક’પર ચૂંટણી લડે તે માટે કાયદા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 19:28:51

નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આવ્યા બાદ ‘એક વ્યક્તિ એક સીટ’ નિયમ લાગુ કરવાના પ્રસ્તાવ પર ચૂંટણી પંચે ખૂબ ભાર મુક્યો છે. પહેલી વખત 2004માં આ પ્રસ્તાવ ઈલેક્શન કમિશને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો પરંતુ 18 વર્ષમાં આ નિયમને લાગુ કરવાના સંબંધમાં અમુક પ્રગતિ થઈ શકી નહોતી. હવે એકવાર ફરી ચૂંટણી પંચે નવી રીતે આ નિયમને લાગુ કરાવવા પર જોર આપવાનુ શરૂ કર્યુ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એકવાર ફરી આ પ્રસ્તાવ વિચાર માટે કેન્દ્રની પાસે મોકલ્યો છે. સાથે જ કેન્દ્રીય કાયદા મંત્રાલયની સાથે આ મુદ્દે ઈલેક્શન કમિશનની ચર્ચા ચાલુ છે. 


ચૂંટણીમાં ‘એક વ્યક્તિ એક સીટ’ નિયમ લાગુ કરવા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (Representation of the People Act, 1951) માં પરિવર્તન કરવું પડશે. વર્તમાનમાં જનપ્રતિનિધિત્વ કાનૂનના સેક્શન 33 (7)માં હાજર નિયમો અનુસાર એક વ્યક્તિ બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. 


પેટા ચૂંટણી કરાવવામાં ખોટો ખર્ચ


જ્યારે 2004માં પહેલીવાર ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે એક વ્યક્તિ એક બેઠકનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને તર્ક આપ્યો હતો કે જો એક વ્યક્તિ 2 બેઠકો પર ચૂંટણી લડે છે અને બંને જગ્યાએથી જીત્યા બાદ એક સીટ ખાલી કરે છે તો પેટા ચૂંટણી કરાવવામાં ખોટો ખર્ચો થાય છે. એક રીતે આ રૂપિયાનો દુરુપયોગ છે. આને જોતા સીટ છોડનાર ચૂંટાયેલા ઉમેદવારે સરકારના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવા માટે નિયમ બનાવવાની ભલામણ ચૂંટણી પંચે કરી હતી.


સુપ્રીમમાં પણ ECએ‘એક ઉમેદવાર-એક સીટ’ પ્રસ્તાવનું કર્યું હતું સમર્થન


એક વ્યક્તિ એક સીટના પ્રસ્તાવ પાછળ ચૂંટણી પંચનો તર્ક એ છે કે આનાથી પેટા ચૂંટણીની સ્થિતિ ઉભી થશે નહીં અને સરકારી ખજાના પર પડનારો નાણાકીય બોજો ઓછો કરી શકાશે. અમુક વર્ષ પહેલા કોઈ પણ ઉમેદવારનુ એકથી વધારે સીટ પરથી ચૂંટણી લડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર પોતાનો પક્ષ મૂકતા ચૂંટણી પંચે એક ઉમેદવાર-એક સીટ પર ચૂંટણી લડવાનુ સમર્થન કર્યુ હતુ.


કાયદા પંચે પણ 2015ના રિપોર્ટમાં આ સૂચન કર્યું હતું


વર્ષ 1996 પહેલા, ઉમેદવાર ગમે તેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકતો હતો, જે પાછળથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો કરીને બે બેઠકો સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો. માર્ચ 2015માં કાયદા પંચે ચૂંટણી સુધારણા અંગેના તેના 211 પાનાના 255મા રિપોર્ટમાં અનેક પગલાં સૂચવ્યા હતા. તેમાં એક કરતાં વધુ બેઠકો પરથી ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી પર પ્રતિબંધ મૂકવાનું સૂચન સામેલ છે. વર્તમાન વ્યવસ્થામાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે, જેમાંથી મોટાભાગના ડમી ઉમેદવારો છે અને તેમાંથી ઘણા એક જ નામના હોય છે, જેનો હેતુ મતદારોમાં ભ્રમ ફેલાવવાનો છે. આ પહેલા પણ ચૂંટણી સુધારણા અંગેના કાયદા પંચે રાજકારણના અપરાધીકરણને રોકવા માટે કલંકિત લોકોને ચૂંટણીથી દૂર રાખવા અંગે વધુ એક રિપોર્ટ આપ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.