Banaskanthaમાં ફરી યોજાશે ચૂંટણી, આ વખતે ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું,પરંતુ ધારાસભ્ય સાંસદ બની ગયા એટલે...! જાણો વિગતમાં


  • Published By :
  • Published Date : 2024-06-06 15:02:40

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. લોકસભાની 26એ 26 બેઠકો ગુજરાતની ભાજપના ફાળે હતી.. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેની ઠાકોરની ભવ્ય જીત થઈ છે. ગેનીબેન વાવના ધારાસભ્ય હતા. પરંતુ હવે તે દિલ્હી જશે. જેને કારણે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે.. વાવના મતદાતાઓને ફરી એક વખત મત આપવો પડશે.. વિધાનસભાના ધારાસભ્યના રાજીનામાં બાદ છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી ફરજીયાત હોય છે.

ગેનીબેન ઠાકોરે રોક્યો ભાજપનો વિજય રથ

મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવ્યું.. 26માંથી 25 બેઠકો ભાજપના ખાતામાં ગઈ જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો.. ભાજપના નેતાઓને લાગતું હશે કે આ વખતે પણ 26એ 26 બેઠકો પર તેમના ઉમેદવારનો વિજય થશે પરંતુ બનાસની બેન એવા ગેનીબેને ભાજપના વિજય રથનો રોકી દીધો છે.. જે દિવસે પરિણામ આવ્યું તે વખતે સૌ કોઈની નજર બનાસકાંઠા બેઠક પર હતી. આ બેઠક પર ભાજપે તેમજ ઈન્ડિ ગઠબંધને મહિલા ઉમેદવારને ટિકીટ આપી હતી.. જ્યારે પરિણામ આવ્યું ત્યારે પણ રસાકસી જોવા મળી હતી.



બેન અને દીકરી વચ્ચે જામ્યો હતો ખરાખરીનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠક એટલા માટે રસપ્રદ હતી કારણ કે બંને પાર્ટી દ્વારા મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને જ્યારે ઈન્ડિ ગઠબંધને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી. પ્રચાર દરમિયાન એક એ પોતાને બનાસની બેન તરીકે પ્રસ્તાપિત કર્યા તો એક એ બનાસની દીકરી તીરકે પોતાને પ્રસ્થાપિત કર્યા. બનાસકાંઠામાં બેન અને દીકરી વચ્ચે જંગ જોવા મળ્યો હતો. ગેનીબેન ઠાકોરે લોકો પાસેથી ફંડ એકત્રિત કર્યું અને ચૂંટણી લડ્યા. ગેનીબેન ઠાકોરે ચૂંટણી વખતે માહોલ જબરદસ્ત બનાવ્યો હતો.. આ બેઠક પર ગેનીબેન ટફ ફાઈટ આપી શકે છે તેવું લાગતું હતું અને પરિણામ પણ એવું દેખાયું જ.


ધારાસભ્યમાંથી સાંસદ બન્યા ગેનીબેન... 

પરિણામો જ્યારે આવતા હતા અનેક બેઠકો એવી હતી જે એક તરફી હતી પરંતુ પાટણ  અને બનાસકાંઠા બેઠક એવી હતી જ્યાં ઉમેદવારો આગળ પાછળ થતા રહેતા હતા. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ હોય તો કોઈ વખત રેખા ચૌધરી આગળ હોય, રસાકસી છેક સુધી જોવા મળી હતી.. અને અંતે ગેનીબેન ઠાકોરનો વિજય થયો. હવે તે ધારાસભ્યમાંથી સાંસદ બની ગયા છે. 


વાવ વિધાનસભા બેઠક માટે યોજાશે પેટા ચૂંટણી 

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા તેમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું પડશે.. ધારાસભ્ય પદ પરથી તે રાજીનામું આપશે એટલે વાવ માટે પેટા ચૂંટણી યોજાશે. હવે પેટા ચૂંટણી માટે કોને ઉમેદવાર બનાવવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.. ઉમેદવારોને લઈ અટકળો લગાવવામાં આવી રહી છે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.