Banaskanthaમાં ફરી યોજાશે ચૂંટણી, આ વખતે ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું,પરંતુ ધારાસભ્ય સાંસદ બની ગયા એટલે...! જાણો વિગતમાં


  • Published By :
  • Published Date : 2024-06-06 15:02:40

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. લોકસભાની 26એ 26 બેઠકો ગુજરાતની ભાજપના ફાળે હતી.. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેની ઠાકોરની ભવ્ય જીત થઈ છે. ગેનીબેન વાવના ધારાસભ્ય હતા. પરંતુ હવે તે દિલ્હી જશે. જેને કારણે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે.. વાવના મતદાતાઓને ફરી એક વખત મત આપવો પડશે.. વિધાનસભાના ધારાસભ્યના રાજીનામાં બાદ છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી ફરજીયાત હોય છે.

ગેનીબેન ઠાકોરે રોક્યો ભાજપનો વિજય રથ

મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવ્યું.. 26માંથી 25 બેઠકો ભાજપના ખાતામાં ગઈ જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો.. ભાજપના નેતાઓને લાગતું હશે કે આ વખતે પણ 26એ 26 બેઠકો પર તેમના ઉમેદવારનો વિજય થશે પરંતુ બનાસની બેન એવા ગેનીબેને ભાજપના વિજય રથનો રોકી દીધો છે.. જે દિવસે પરિણામ આવ્યું તે વખતે સૌ કોઈની નજર બનાસકાંઠા બેઠક પર હતી. આ બેઠક પર ભાજપે તેમજ ઈન્ડિ ગઠબંધને મહિલા ઉમેદવારને ટિકીટ આપી હતી.. જ્યારે પરિણામ આવ્યું ત્યારે પણ રસાકસી જોવા મળી હતી.



બેન અને દીકરી વચ્ચે જામ્યો હતો ખરાખરીનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠક એટલા માટે રસપ્રદ હતી કારણ કે બંને પાર્ટી દ્વારા મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને જ્યારે ઈન્ડિ ગઠબંધને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી. પ્રચાર દરમિયાન એક એ પોતાને બનાસની બેન તરીકે પ્રસ્તાપિત કર્યા તો એક એ બનાસની દીકરી તીરકે પોતાને પ્રસ્થાપિત કર્યા. બનાસકાંઠામાં બેન અને દીકરી વચ્ચે જંગ જોવા મળ્યો હતો. ગેનીબેન ઠાકોરે લોકો પાસેથી ફંડ એકત્રિત કર્યું અને ચૂંટણી લડ્યા. ગેનીબેન ઠાકોરે ચૂંટણી વખતે માહોલ જબરદસ્ત બનાવ્યો હતો.. આ બેઠક પર ગેનીબેન ટફ ફાઈટ આપી શકે છે તેવું લાગતું હતું અને પરિણામ પણ એવું દેખાયું જ.


ધારાસભ્યમાંથી સાંસદ બન્યા ગેનીબેન... 

પરિણામો જ્યારે આવતા હતા અનેક બેઠકો એવી હતી જે એક તરફી હતી પરંતુ પાટણ  અને બનાસકાંઠા બેઠક એવી હતી જ્યાં ઉમેદવારો આગળ પાછળ થતા રહેતા હતા. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ હોય તો કોઈ વખત રેખા ચૌધરી આગળ હોય, રસાકસી છેક સુધી જોવા મળી હતી.. અને અંતે ગેનીબેન ઠાકોરનો વિજય થયો. હવે તે ધારાસભ્યમાંથી સાંસદ બની ગયા છે. 


વાવ વિધાનસભા બેઠક માટે યોજાશે પેટા ચૂંટણી 

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા તેમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું પડશે.. ધારાસભ્ય પદ પરથી તે રાજીનામું આપશે એટલે વાવ માટે પેટા ચૂંટણી યોજાશે. હવે પેટા ચૂંટણી માટે કોને ઉમેદવાર બનાવવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.. ઉમેદવારોને લઈ અટકળો લગાવવામાં આવી રહી છે.   



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.