Banaskanthaમાં ફરી યોજાશે ચૂંટણી, આ વખતે ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું,પરંતુ ધારાસભ્ય સાંસદ બની ગયા એટલે...! જાણો વિગતમાં


  • Published By :
  • Published Date : 2024-06-06 15:02:40

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. લોકસભાની 26એ 26 બેઠકો ગુજરાતની ભાજપના ફાળે હતી.. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેની ઠાકોરની ભવ્ય જીત થઈ છે. ગેનીબેન વાવના ધારાસભ્ય હતા. પરંતુ હવે તે દિલ્હી જશે. જેને કારણે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે.. વાવના મતદાતાઓને ફરી એક વખત મત આપવો પડશે.. વિધાનસભાના ધારાસભ્યના રાજીનામાં બાદ છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી ફરજીયાત હોય છે.

ગેનીબેન ઠાકોરે રોક્યો ભાજપનો વિજય રથ

મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવ્યું.. 26માંથી 25 બેઠકો ભાજપના ખાતામાં ગઈ જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો.. ભાજપના નેતાઓને લાગતું હશે કે આ વખતે પણ 26એ 26 બેઠકો પર તેમના ઉમેદવારનો વિજય થશે પરંતુ બનાસની બેન એવા ગેનીબેને ભાજપના વિજય રથનો રોકી દીધો છે.. જે દિવસે પરિણામ આવ્યું તે વખતે સૌ કોઈની નજર બનાસકાંઠા બેઠક પર હતી. આ બેઠક પર ભાજપે તેમજ ઈન્ડિ ગઠબંધને મહિલા ઉમેદવારને ટિકીટ આપી હતી.. જ્યારે પરિણામ આવ્યું ત્યારે પણ રસાકસી જોવા મળી હતી.



બેન અને દીકરી વચ્ચે જામ્યો હતો ખરાખરીનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠક એટલા માટે રસપ્રદ હતી કારણ કે બંને પાર્ટી દ્વારા મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને જ્યારે ઈન્ડિ ગઠબંધને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી. પ્રચાર દરમિયાન એક એ પોતાને બનાસની બેન તરીકે પ્રસ્તાપિત કર્યા તો એક એ બનાસની દીકરી તીરકે પોતાને પ્રસ્થાપિત કર્યા. બનાસકાંઠામાં બેન અને દીકરી વચ્ચે જંગ જોવા મળ્યો હતો. ગેનીબેન ઠાકોરે લોકો પાસેથી ફંડ એકત્રિત કર્યું અને ચૂંટણી લડ્યા. ગેનીબેન ઠાકોરે ચૂંટણી વખતે માહોલ જબરદસ્ત બનાવ્યો હતો.. આ બેઠક પર ગેનીબેન ટફ ફાઈટ આપી શકે છે તેવું લાગતું હતું અને પરિણામ પણ એવું દેખાયું જ.


ધારાસભ્યમાંથી સાંસદ બન્યા ગેનીબેન... 

પરિણામો જ્યારે આવતા હતા અનેક બેઠકો એવી હતી જે એક તરફી હતી પરંતુ પાટણ  અને બનાસકાંઠા બેઠક એવી હતી જ્યાં ઉમેદવારો આગળ પાછળ થતા રહેતા હતા. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ હોય તો કોઈ વખત રેખા ચૌધરી આગળ હોય, રસાકસી છેક સુધી જોવા મળી હતી.. અને અંતે ગેનીબેન ઠાકોરનો વિજય થયો. હવે તે ધારાસભ્યમાંથી સાંસદ બની ગયા છે. 


વાવ વિધાનસભા બેઠક માટે યોજાશે પેટા ચૂંટણી 

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા તેમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું પડશે.. ધારાસભ્ય પદ પરથી તે રાજીનામું આપશે એટલે વાવ માટે પેટા ચૂંટણી યોજાશે. હવે પેટા ચૂંટણી માટે કોને ઉમેદવાર બનાવવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.. ઉમેદવારોને લઈ અટકળો લગાવવામાં આવી રહી છે.   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.