Banaskanthaમાં ફરી યોજાશે ચૂંટણી, આ વખતે ધારાસભ્યએ રાજીનામું નથી આપ્યું,પરંતુ ધારાસભ્ય સાંસદ બની ગયા એટલે...! જાણો વિગતમાં


  • Published By :
  • Published Date : 2024-06-06 15:02:40

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. લોકસભાની 26એ 26 બેઠકો ગુજરાતની ભાજપના ફાળે હતી.. બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેની ઠાકોરની ભવ્ય જીત થઈ છે. ગેનીબેન વાવના ધારાસભ્ય હતા. પરંતુ હવે તે દિલ્હી જશે. જેને કારણે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે.. વાવના મતદાતાઓને ફરી એક વખત મત આપવો પડશે.. વિધાનસભાના ધારાસભ્યના રાજીનામાં બાદ છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવી ફરજીયાત હોય છે.

ગેનીબેન ઠાકોરે રોક્યો ભાજપનો વિજય રથ

મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું પરિણામ આવ્યું.. 26માંથી 25 બેઠકો ભાજપના ખાતામાં ગઈ જ્યારે એક બેઠક પર ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો.. ભાજપના નેતાઓને લાગતું હશે કે આ વખતે પણ 26એ 26 બેઠકો પર તેમના ઉમેદવારનો વિજય થશે પરંતુ બનાસની બેન એવા ગેનીબેને ભાજપના વિજય રથનો રોકી દીધો છે.. જે દિવસે પરિણામ આવ્યું તે વખતે સૌ કોઈની નજર બનાસકાંઠા બેઠક પર હતી. આ બેઠક પર ભાજપે તેમજ ઈન્ડિ ગઠબંધને મહિલા ઉમેદવારને ટિકીટ આપી હતી.. જ્યારે પરિણામ આવ્યું ત્યારે પણ રસાકસી જોવા મળી હતી.



બેન અને દીકરી વચ્ચે જામ્યો હતો ખરાખરીનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠક એટલા માટે રસપ્રદ હતી કારણ કે બંને પાર્ટી દ્વારા મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને જ્યારે ઈન્ડિ ગઠબંધને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી. પ્રચાર દરમિયાન એક એ પોતાને બનાસની બેન તરીકે પ્રસ્તાપિત કર્યા તો એક એ બનાસની દીકરી તીરકે પોતાને પ્રસ્થાપિત કર્યા. બનાસકાંઠામાં બેન અને દીકરી વચ્ચે જંગ જોવા મળ્યો હતો. ગેનીબેન ઠાકોરે લોકો પાસેથી ફંડ એકત્રિત કર્યું અને ચૂંટણી લડ્યા. ગેનીબેન ઠાકોરે ચૂંટણી વખતે માહોલ જબરદસ્ત બનાવ્યો હતો.. આ બેઠક પર ગેનીબેન ટફ ફાઈટ આપી શકે છે તેવું લાગતું હતું અને પરિણામ પણ એવું દેખાયું જ.


ધારાસભ્યમાંથી સાંસદ બન્યા ગેનીબેન... 

પરિણામો જ્યારે આવતા હતા અનેક બેઠકો એવી હતી જે એક તરફી હતી પરંતુ પાટણ  અને બનાસકાંઠા બેઠક એવી હતી જ્યાં ઉમેદવારો આગળ પાછળ થતા રહેતા હતા. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ હોય તો કોઈ વખત રેખા ચૌધરી આગળ હોય, રસાકસી છેક સુધી જોવા મળી હતી.. અને અંતે ગેનીબેન ઠાકોરનો વિજય થયો. હવે તે ધારાસભ્યમાંથી સાંસદ બની ગયા છે. 


વાવ વિધાનસભા બેઠક માટે યોજાશે પેટા ચૂંટણી 

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા તેમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું પડશે.. ધારાસભ્ય પદ પરથી તે રાજીનામું આપશે એટલે વાવ માટે પેટા ચૂંટણી યોજાશે. હવે પેટા ચૂંટણી માટે કોને ઉમેદવાર બનાવવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.. ઉમેદવારોને લઈ અટકળો લગાવવામાં આવી રહી છે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.