એલોન મસ્કે ટ્વિટર માટે નવા CEOની કરી નિમણૂંક! હવે મહિલા સંભાળશે ટ્વિટરની કમાન! જાણો એલોન મસ્કે જાણકારી આપતા શું કરી ટ્વિટ?


  • Published By :
  • Published Date : 2023-05-12 10:50:46

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટર પર અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટર માટે એવા અનેક નિર્ણયો લીધા જેને કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે એલોન મસ્કે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેને લઈ હાલ ચર્ચા થઈ રહી છે. એલોન મસ્કે લખ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓનું પદ છોડવા જઈ રહ્યા છે. નવા સીઈઓ આગામી 6 અઠવાડિયામાં ટ્વિટરની કમાન સંભાળશે. ટ્વિટરના નવા સીઈઓ કોણ હશે તેની જાણકારી આપી નથી નામ જાહેર નથી કર્યું.


એલોન મસ્ક સીઈઓ પદ છોડશે!       

ટ્વિટરના સીઈઓનું પદ એલોન મસ્ક ટૂંક સમયમાં છોડવાના છે. આ અંગેની માહિતી ટ્વિટર પર તેમણે આપી હતી. ટ્વિરમાં તેમણે જણાવ્યું કે ટ્વિટરની આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એક મહિલા હશે. પણ કોણ હશે તેની જાણ તેમણે કરી નથી. મહત્વનું છે કે જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અનેક એવા નિર્ણયો લીધા છે જેને કારણે તેઓ હમેશાં ચર્ચામાં રહે છે. બ્લુ ટીકને હટાવી દીધી હતી. ઉપરાંત Paid Subscription જેવા અનેક નિર્ણયો લીધા હતા. 


એલોન મસ્ક દ્વારા ટ્વિટરમાં કરાયા અનેક ફેરફાર!

ટ્વિટર દ્વારા મળતી સુવિધામાં વધારો કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના વેરિફાઈડ યુઝર્સને એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજની વહેલી સુવિધામ મળશે. બ્લુ ટીક ઉપરાંત ગોલ્ડન અને બ્રાઉન ટીકની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્ર્મ્પનું એકાઉન્ટ પણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે એલોન મસ્ક બાદ ટ્વિટરની કમાન કોને મળે છે?     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.