એલોન મસ્કે ટ્વિટર માટે નવા CEOની કરી નિમણૂંક! હવે મહિલા સંભાળશે ટ્વિટરની કમાન! જાણો એલોન મસ્કે જાણકારી આપતા શું કરી ટ્વિટ?


  • Published By :
  • Published Date : 2023-05-12 10:50:46

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટર પર અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટર માટે એવા અનેક નિર્ણયો લીધા જેને કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે એલોન મસ્કે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેને લઈ હાલ ચર્ચા થઈ રહી છે. એલોન મસ્કે લખ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓનું પદ છોડવા જઈ રહ્યા છે. નવા સીઈઓ આગામી 6 અઠવાડિયામાં ટ્વિટરની કમાન સંભાળશે. ટ્વિટરના નવા સીઈઓ કોણ હશે તેની જાણકારી આપી નથી નામ જાહેર નથી કર્યું.


એલોન મસ્ક સીઈઓ પદ છોડશે!       

ટ્વિટરના સીઈઓનું પદ એલોન મસ્ક ટૂંક સમયમાં છોડવાના છે. આ અંગેની માહિતી ટ્વિટર પર તેમણે આપી હતી. ટ્વિરમાં તેમણે જણાવ્યું કે ટ્વિટરની આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એક મહિલા હશે. પણ કોણ હશે તેની જાણ તેમણે કરી નથી. મહત્વનું છે કે જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અનેક એવા નિર્ણયો લીધા છે જેને કારણે તેઓ હમેશાં ચર્ચામાં રહે છે. બ્લુ ટીકને હટાવી દીધી હતી. ઉપરાંત Paid Subscription જેવા અનેક નિર્ણયો લીધા હતા. 


એલોન મસ્ક દ્વારા ટ્વિટરમાં કરાયા અનેક ફેરફાર!

ટ્વિટર દ્વારા મળતી સુવિધામાં વધારો કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના વેરિફાઈડ યુઝર્સને એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજની વહેલી સુવિધામ મળશે. બ્લુ ટીક ઉપરાંત ગોલ્ડન અને બ્રાઉન ટીકની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્ર્મ્પનું એકાઉન્ટ પણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે એલોન મસ્ક બાદ ટ્વિટરની કમાન કોને મળે છે?     



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?