એલોન મસ્કે ટ્વિટર માટે નવા CEOની કરી નિમણૂંક! હવે મહિલા સંભાળશે ટ્વિટરની કમાન! જાણો એલોન મસ્કે જાણકારી આપતા શું કરી ટ્વિટ?


  • Published By :
  • Published Date : 2023-05-12 10:50:46

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટર પર અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટરની કમાન સંભાળતા જ ટ્વિટર માટે એવા અનેક નિર્ણયો લીધા જેને કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે એલોન મસ્કે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેને લઈ હાલ ચર્ચા થઈ રહી છે. એલોન મસ્કે લખ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓનું પદ છોડવા જઈ રહ્યા છે. નવા સીઈઓ આગામી 6 અઠવાડિયામાં ટ્વિટરની કમાન સંભાળશે. ટ્વિટરના નવા સીઈઓ કોણ હશે તેની જાણકારી આપી નથી નામ જાહેર નથી કર્યું.


એલોન મસ્ક સીઈઓ પદ છોડશે!       

ટ્વિટરના સીઈઓનું પદ એલોન મસ્ક ટૂંક સમયમાં છોડવાના છે. આ અંગેની માહિતી ટ્વિટર પર તેમણે આપી હતી. ટ્વિરમાં તેમણે જણાવ્યું કે ટ્વિટરની આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એક મહિલા હશે. પણ કોણ હશે તેની જાણ તેમણે કરી નથી. મહત્વનું છે કે જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અનેક એવા નિર્ણયો લીધા છે જેને કારણે તેઓ હમેશાં ચર્ચામાં રહે છે. બ્લુ ટીકને હટાવી દીધી હતી. ઉપરાંત Paid Subscription જેવા અનેક નિર્ણયો લીધા હતા. 


એલોન મસ્ક દ્વારા ટ્વિટરમાં કરાયા અનેક ફેરફાર!

ટ્વિટર દ્વારા મળતી સુવિધામાં વધારો કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના વેરિફાઈડ યુઝર્સને એન્ક્રિપ્ટેડ ડાયરેક્ટ મેસેજની વહેલી સુવિધામ મળશે. બ્લુ ટીક ઉપરાંત ગોલ્ડન અને બ્રાઉન ટીકની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ઉપરાંત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્ર્મ્પનું એકાઉન્ટ પણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે એલોન મસ્ક બાદ ટ્વિટરની કમાન કોને મળે છે?     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.