ટ્વિટરમાં એલોન મસ્કે કર્યો મોટો ફેરફાર! ટ્વિટરની ઓળખાણ બની ગયેલી ચકલીના લોગોને બદલી નાખ્યો


  • Published By :
  • Published Date : 2023-04-04 08:49:25

જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટ્વિટરના લોગોને બદલી દેવામાં આવ્યો છે. જી હા, ટ્વિટર પર વાદળી રંગમાં દેખાતી ચકલીની જગ્યાએ હવે ડોગી જોવા મળશે. મતલબ કે હવે ટ્વિટરના લોગો પર જોવા મળતી ચકલીની બદલીમાં હવે ડોગી જોવા મળશે. એલોન મસ્કના આ નિર્ણયથી અનેક યુઝર્સ હેરાન થઈ ગયા છે.

 


એલોન મસ્કે ટ્વિટરનો લોગો કર્યો ચેન્જ! 

કંપનીનો લોગો કંપનીની ઓળખાણ સમાન બની જતો હોય છે. લોગો કંપનની ઓળખાણનો પર્યાય બની જતો હોય છે. લોગો જોઈ આપણને કંપની યાદ આવતી હોય છે. લોગો મહત્વની ભૂમિકા ભજવે છે. વાદળી રંગમાં આવતી ચકલી ટ્વિટરનો લોગો હતી. આ લોગોથી યુઝર્સ ટ્વિટરને ઓળખતા હતા પરંતુ એલન મસ્ક દ્વારા ટ્વિટરનો લોગો બદલી દેવામાં આવ્યો છે. હવેથી એક ડોગી ટ્વિટરનો લોગો બન્યો છે. ઉલ્લેખનિય છે કે ડોગીનો ફોટો જોવા મળતા યુઝર્સ અચાનક અચંબિત થઈ ગયા હતા. હેરાન થઈ ગયા હતા.     


મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કરાયો 

એલોન મસ્ક દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. મસ્કે ટ્વિટ કરી હતી જેમાં એક પોલીસ કર્મચારી પણ દેખાય છે. કારની ડ્રાઈવીંગ સીટ પર એક કૂતરો બેઠેલો દેખાય છે અને તે ટ્રાફિક પોલીસને પોતાનું ડાઈવિંગ લાઈસન્સ બતાવે છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં વાદળી રંગના પક્ષીનો ફોટો હોય છે. જે બાદ ડોગી કહી રહ્યો છે આ મારો જૂનો ફોટો છે.  જે ડોગીને લોગો તરીકે વાપરવામાં આવ્યો છે તેનો ઉપયોગ મીમમાં થતો હોય છે. મહત્વનું છે કે ટ્વિટરે મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કર્યા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .