ટ્વિટરમાં એલોન મસ્કે કર્યો મોટો ફેરફાર! ટ્વિટરની ઓળખાણ બની ગયેલી ચકલીના લોગોને બદલી નાખ્યો


  • Published By :
  • Published Date : 2023-04-04 08:49:25

જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટ્વિટરના લોગોને બદલી દેવામાં આવ્યો છે. જી હા, ટ્વિટર પર વાદળી રંગમાં દેખાતી ચકલીની જગ્યાએ હવે ડોગી જોવા મળશે. મતલબ કે હવે ટ્વિટરના લોગો પર જોવા મળતી ચકલીની બદલીમાં હવે ડોગી જોવા મળશે. એલોન મસ્કના આ નિર્ણયથી અનેક યુઝર્સ હેરાન થઈ ગયા છે.

 


એલોન મસ્કે ટ્વિટરનો લોગો કર્યો ચેન્જ! 

કંપનીનો લોગો કંપનીની ઓળખાણ સમાન બની જતો હોય છે. લોગો કંપનની ઓળખાણનો પર્યાય બની જતો હોય છે. લોગો જોઈ આપણને કંપની યાદ આવતી હોય છે. લોગો મહત્વની ભૂમિકા ભજવે છે. વાદળી રંગમાં આવતી ચકલી ટ્વિટરનો લોગો હતી. આ લોગોથી યુઝર્સ ટ્વિટરને ઓળખતા હતા પરંતુ એલન મસ્ક દ્વારા ટ્વિટરનો લોગો બદલી દેવામાં આવ્યો છે. હવેથી એક ડોગી ટ્વિટરનો લોગો બન્યો છે. ઉલ્લેખનિય છે કે ડોગીનો ફોટો જોવા મળતા યુઝર્સ અચાનક અચંબિત થઈ ગયા હતા. હેરાન થઈ ગયા હતા.     


મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કરાયો 

એલોન મસ્ક દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. મસ્કે ટ્વિટ કરી હતી જેમાં એક પોલીસ કર્મચારી પણ દેખાય છે. કારની ડ્રાઈવીંગ સીટ પર એક કૂતરો બેઠેલો દેખાય છે અને તે ટ્રાફિક પોલીસને પોતાનું ડાઈવિંગ લાઈસન્સ બતાવે છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં વાદળી રંગના પક્ષીનો ફોટો હોય છે. જે બાદ ડોગી કહી રહ્યો છે આ મારો જૂનો ફોટો છે.  જે ડોગીને લોગો તરીકે વાપરવામાં આવ્યો છે તેનો ઉપયોગ મીમમાં થતો હોય છે. મહત્વનું છે કે ટ્વિટરે મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કર્યા. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.