ટ્વિટરમાં એલોન મસ્કે કર્યો મોટો ફેરફાર! ટ્વિટરની ઓળખાણ બની ગયેલી ચકલીના લોગોને બદલી નાખ્યો


  • Published By :
  • Published Date : 2023-04-04 08:49:25

જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટ્વિટરના લોગોને બદલી દેવામાં આવ્યો છે. જી હા, ટ્વિટર પર વાદળી રંગમાં દેખાતી ચકલીની જગ્યાએ હવે ડોગી જોવા મળશે. મતલબ કે હવે ટ્વિટરના લોગો પર જોવા મળતી ચકલીની બદલીમાં હવે ડોગી જોવા મળશે. એલોન મસ્કના આ નિર્ણયથી અનેક યુઝર્સ હેરાન થઈ ગયા છે.

 


એલોન મસ્કે ટ્વિટરનો લોગો કર્યો ચેન્જ! 

કંપનીનો લોગો કંપનીની ઓળખાણ સમાન બની જતો હોય છે. લોગો કંપનની ઓળખાણનો પર્યાય બની જતો હોય છે. લોગો જોઈ આપણને કંપની યાદ આવતી હોય છે. લોગો મહત્વની ભૂમિકા ભજવે છે. વાદળી રંગમાં આવતી ચકલી ટ્વિટરનો લોગો હતી. આ લોગોથી યુઝર્સ ટ્વિટરને ઓળખતા હતા પરંતુ એલન મસ્ક દ્વારા ટ્વિટરનો લોગો બદલી દેવામાં આવ્યો છે. હવેથી એક ડોગી ટ્વિટરનો લોગો બન્યો છે. ઉલ્લેખનિય છે કે ડોગીનો ફોટો જોવા મળતા યુઝર્સ અચાનક અચંબિત થઈ ગયા હતા. હેરાન થઈ ગયા હતા.     


મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કરાયો 

એલોન મસ્ક દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. મસ્કે ટ્વિટ કરી હતી જેમાં એક પોલીસ કર્મચારી પણ દેખાય છે. કારની ડ્રાઈવીંગ સીટ પર એક કૂતરો બેઠેલો દેખાય છે અને તે ટ્રાફિક પોલીસને પોતાનું ડાઈવિંગ લાઈસન્સ બતાવે છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં વાદળી રંગના પક્ષીનો ફોટો હોય છે. જે બાદ ડોગી કહી રહ્યો છે આ મારો જૂનો ફોટો છે.  જે ડોગીને લોગો તરીકે વાપરવામાં આવ્યો છે તેનો ઉપયોગ મીમમાં થતો હોય છે. મહત્વનું છે કે ટ્વિટરે મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કર્યા. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?