ટ્વિટરમાં એલોન મસ્કે કર્યો મોટો ફેરફાર! ટ્વિટરની ઓળખાણ બની ગયેલી ચકલીના લોગોને બદલી નાખ્યો


  • Published By :
  • Published Date : 2023-04-04 08:49:25

જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ટ્વિટરના લોગોને બદલી દેવામાં આવ્યો છે. જી હા, ટ્વિટર પર વાદળી રંગમાં દેખાતી ચકલીની જગ્યાએ હવે ડોગી જોવા મળશે. મતલબ કે હવે ટ્વિટરના લોગો પર જોવા મળતી ચકલીની બદલીમાં હવે ડોગી જોવા મળશે. એલોન મસ્કના આ નિર્ણયથી અનેક યુઝર્સ હેરાન થઈ ગયા છે.

 


એલોન મસ્કે ટ્વિટરનો લોગો કર્યો ચેન્જ! 

કંપનીનો લોગો કંપનીની ઓળખાણ સમાન બની જતો હોય છે. લોગો કંપનની ઓળખાણનો પર્યાય બની જતો હોય છે. લોગો જોઈ આપણને કંપની યાદ આવતી હોય છે. લોગો મહત્વની ભૂમિકા ભજવે છે. વાદળી રંગમાં આવતી ચકલી ટ્વિટરનો લોગો હતી. આ લોગોથી યુઝર્સ ટ્વિટરને ઓળખતા હતા પરંતુ એલન મસ્ક દ્વારા ટ્વિટરનો લોગો બદલી દેવામાં આવ્યો છે. હવેથી એક ડોગી ટ્વિટરનો લોગો બન્યો છે. ઉલ્લેખનિય છે કે ડોગીનો ફોટો જોવા મળતા યુઝર્સ અચાનક અચંબિત થઈ ગયા હતા. હેરાન થઈ ગયા હતા.     


મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કરાયો 

એલોન મસ્ક દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. મસ્કે ટ્વિટ કરી હતી જેમાં એક પોલીસ કર્મચારી પણ દેખાય છે. કારની ડ્રાઈવીંગ સીટ પર એક કૂતરો બેઠેલો દેખાય છે અને તે ટ્રાફિક પોલીસને પોતાનું ડાઈવિંગ લાઈસન્સ બતાવે છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં વાદળી રંગના પક્ષીનો ફોટો હોય છે. જે બાદ ડોગી કહી રહ્યો છે આ મારો જૂનો ફોટો છે.  જે ડોગીને લોગો તરીકે વાપરવામાં આવ્યો છે તેનો ઉપયોગ મીમમાં થતો હોય છે. મહત્વનું છે કે ટ્વિટરે મોબાઈલ એપમાં કોઈ ફેરફાર નથી કર્યા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.