ટ્વિટરના માલિક એલન મસ્કે ટ્વિટરના યુઝર્સને આપ્યો મોટો ઝટકો, યુઝર્સના ટ્વીટ જોવા પર લગાવી લિમિટ


  • Published By :
  • Published Date : 2023-07-02 11:23:26

ટ્વિટરના માલિક એલન મસ્કે ટ્વિટરના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના બોસ એલન મસ્કે યુઝર્સ માટે કેટલાક રિસ્ટ્રિક્શનની જાહેરાત કરી છે. આ નિર્ણય અંતર્ગત ટ્વિટરે તેનું એકાઉન્ટ ન ધરાવતા લોકો માટે વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધું છે. તેમણે ટ્વીટ જોવા પહેલા તેમનું એકાઉન્ટ બનાવવું પડશે. એલન મસ્કે આ નિર્ણયની પાછળ ડેટા સ્ક્રેપિંગનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ડેટા સ્ક્રેપિંગના કારણે કઠોર કાર્યવાહી જરૂરી હતી. મસ્કે ટ્વિટ કરીને વધુમાં જણાવ્યું કે, અમે ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે. 


હવે મર્યાદિત ટ્વીટ વાંચી શકાશે


એલન મસ્કે 1 જુલાઈએ એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વીટ્સની સંખ્યા અંગે મોટી જાહેરાત કરી હતી. એલન મસ્કે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી અને છેલ્લે વેરીફાઇડ એકાઉન્ટ્સ (વપરાશકર્તાઓ) એક દિવસમાં 10, 000 પોસ્ટ્સ (વાંચવા માટે) સુધી મર્યાદિત છે. અનવેરિફાઈડ એકાઉન્ટ્સ 1, 000 પોસ્ટ્સ વાંચી શકશે અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ 500 પોસ્ટ્સ વાંચી શકશે તેવું જણાવ્યું હતું. ટુંકમાં યુઝર્સ હવે અમર્યાદિત ટ્વિટ વાંચી શકશે નહીં.


ડેટા સ્ક્રેપિંગ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે ડેટા સ્ક્રેપિંગને વેબ સ્ક્રેપિંગ પણ કહેવાય છે. તે એક એવી પ્રક્રિયા છે. જેમાં સોફ્ટવેર પ્રોગ્રામ અન્ય વેબસાઈટમાંથી તેમની પોતાની ફાઈલોમાં ડેટા ઈમ્પોર્ટ કરે છે. આ પર્સનલ યુઝ માટે અથવા અન્ય વેબસાઇટ્સ પર ઉપયોગ માટે હોઈ શકે છે. એવા ઘણા સોફ્ટવેર છે જે આપમેળે ડેટા સ્ક્રેપિંગ કરે છે.


મસ્કે કહ્યું- અમારો ડેટા લૂંટાઈ રહ્યો છે


ટ્વિટરના માલિક મસ્કે પોસ્ટ કર્યું, અમારો ડેટા એટલો લૂંટાઈ રહ્યો છે કે તે સામાન્ય યુઝર્સે માટે અપમાનજનક સર્વિસ હતી. એઆઈ પર કામ કરતી લગભગ દરેક કંપની, સ્ટાર્ટઅપ્સથી લઈને પૃથ્વી પરની કેટલીક સૌથી મોટા કોર્પોરેશનો સુધી, મોટા પ્રમાણમાં ડેટાને સ્ક્રેપ કરી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરના તાજેતરના ઘણા ફેરફારોની જેમ, આ નવીનતમ પગલું પણ ઉલટું પડી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.