ટ્વિટરના માલિક એલન મસ્કે ટ્વિટરના યુઝર્સને આપ્યો મોટો ઝટકો, યુઝર્સના ટ્વીટ જોવા પર લગાવી લિમિટ


  • Published By :
  • Published Date : 2023-07-02 11:23:26

ટ્વિટરના માલિક એલન મસ્કે ટ્વિટરના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના બોસ એલન મસ્કે યુઝર્સ માટે કેટલાક રિસ્ટ્રિક્શનની જાહેરાત કરી છે. આ નિર્ણય અંતર્ગત ટ્વિટરે તેનું એકાઉન્ટ ન ધરાવતા લોકો માટે વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધું છે. તેમણે ટ્વીટ જોવા પહેલા તેમનું એકાઉન્ટ બનાવવું પડશે. એલન મસ્કે આ નિર્ણયની પાછળ ડેટા સ્ક્રેપિંગનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ડેટા સ્ક્રેપિંગના કારણે કઠોર કાર્યવાહી જરૂરી હતી. મસ્કે ટ્વિટ કરીને વધુમાં જણાવ્યું કે, અમે ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે. 


હવે મર્યાદિત ટ્વીટ વાંચી શકાશે


એલન મસ્કે 1 જુલાઈએ એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વીટ્સની સંખ્યા અંગે મોટી જાહેરાત કરી હતી. એલન મસ્કે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી અને છેલ્લે વેરીફાઇડ એકાઉન્ટ્સ (વપરાશકર્તાઓ) એક દિવસમાં 10, 000 પોસ્ટ્સ (વાંચવા માટે) સુધી મર્યાદિત છે. અનવેરિફાઈડ એકાઉન્ટ્સ 1, 000 પોસ્ટ્સ વાંચી શકશે અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ 500 પોસ્ટ્સ વાંચી શકશે તેવું જણાવ્યું હતું. ટુંકમાં યુઝર્સ હવે અમર્યાદિત ટ્વિટ વાંચી શકશે નહીં.


ડેટા સ્ક્રેપિંગ શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે ડેટા સ્ક્રેપિંગને વેબ સ્ક્રેપિંગ પણ કહેવાય છે. તે એક એવી પ્રક્રિયા છે. જેમાં સોફ્ટવેર પ્રોગ્રામ અન્ય વેબસાઈટમાંથી તેમની પોતાની ફાઈલોમાં ડેટા ઈમ્પોર્ટ કરે છે. આ પર્સનલ યુઝ માટે અથવા અન્ય વેબસાઇટ્સ પર ઉપયોગ માટે હોઈ શકે છે. એવા ઘણા સોફ્ટવેર છે જે આપમેળે ડેટા સ્ક્રેપિંગ કરે છે.


મસ્કે કહ્યું- અમારો ડેટા લૂંટાઈ રહ્યો છે


ટ્વિટરના માલિક મસ્કે પોસ્ટ કર્યું, અમારો ડેટા એટલો લૂંટાઈ રહ્યો છે કે તે સામાન્ય યુઝર્સે માટે અપમાનજનક સર્વિસ હતી. એઆઈ પર કામ કરતી લગભગ દરેક કંપની, સ્ટાર્ટઅપ્સથી લઈને પૃથ્વી પરની કેટલીક સૌથી મોટા કોર્પોરેશનો સુધી, મોટા પ્રમાણમાં ડેટાને સ્ક્રેપ કરી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટરના તાજેતરના ઘણા ફેરફારોની જેમ, આ નવીનતમ પગલું પણ ઉલટું પડી શકે છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.