બેંગ્લુરૂથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 137 યાત્રિકો સવાર હતા


  • Published By :
  • Published Date : 2023-04-04 14:11:57

ઈન્ડિગોની ફ્લાઈટ (6E897)નું ઈમરજન્સી લેન્ડિંગ શમશાબાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ 6E897 સવારે 5.10 વાગ્યે બેંગ્લોરથી વારાણસી જવા રવાના થઈ હતી, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે એરક્રાફ્ટને શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં કુલ 137 લોકો મુસાફરી કરી રહ્યા હતા. DCGAના જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં યાત્રા કરી રહેલા તમામ મુસાફરો સુરક્ષીત છે. જો કે ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ગરબડને લઈ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તમામ મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 


ફ્લાઈટનાં ઈમરજન્સી લેન્ડિંગને લઈ વિવિધ આશંકા


ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાછળ વિવિધ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કહ્યું કે તમામ 137 મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટ બેંગ્લોરથી વારાણસી માટે ઉડાન ભરી હતી. આ પહેલા 1 એપ્રિલે દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન સાથે એક પક્ષી અથડાયું હતું. એલર્ટ જારી કર્યા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પક્ષી અથડાવાને કારણે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. જોકે, થોડા સમય બાદ પ્લેન ફરી ટેક ઓફ થયું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.