Entertainment : દરિયો, દોસ્તી અને દારૂ કેટલું લાગશે સારું ? | ગુજરાતી ફિલ્મ સમંદરનો રિવ્યુ


  • Published By :
  • Published Date : 2024-05-23 19:46:43

દરિયાનો અને કિનારાનો એક નિયમ છે,

દરિયાને કિનારા વગર ન ચાલે અને કિનારાને દરિયા વગર.


એમ આવીજ જબરી દોસ્તી રજૂ કરતી ફિલ્મ સમંદરમાં બે મિત્રો વચ્ચે છે જેઓનું નામ છે "ઉદય અને સલમાન",

જેને પણ એકબીજા વગર નથી ચાલતું.  


આટલી વાતો આપણે ફિલ્મ સમંદરના ટ્રેલર અને તેનાં કેટલાંક ગીતો પરથી નક્કી કરી લીધી હતી.


હવે રાહ હતી સંપૂર્ણ ફિલ્મના પડદે ચડવાની,

તો આ ફિલ્મ 17 May 2024ના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ છે.


તો ચાલો જાણીએ કે જેવી રાહ હતી એવી ફિલ્મ ફળી કે નહીં ? 


ફિલ્મની સ્ટોરી ભોગોલિક દ્રષ્ટીએ ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુઘી બનેલી મોટા ભાગની વાર્તાઓ કરતાં જુદી છે, અહીં દરિયાને ખુબ સારી રીતે રજૂ કર્યો છે.

દરિયાના મોજાથી શરૂ થયેલી ફિલ્મ દરિયાના મોજાની સાથે પૂરી થાય.

જેમ દરિયાના મોજા આવે અને જાય એમ આ ફિલ્મને story સાથે સરખાવતાં screen play અને story flow પણ આવે અને જાય આવું ઘણી વખત જોવાં મળે છે.

આમાં દિગ્દર્શકએ પોતાની હોડીને ઘણાં હલેસાં માર્યા હોવાં છતાં હોડી પુરે પૂરી કાંઠે આવી ન કહેવાય...

એટલે કપ્તાન વિશાલ વડા વાળાએ હોડીને મધદરિયે રાખી છે એવું તો બિલકુલ નથી, હોડીનું લંગર નાખ્યું હોય એની લગોલગ હોડી ભલે ન ઉભી હોય પણ આ હોડી લંગરની આસપાસ કહેવાય.


આ હોડીને કાંઠાની નજીક લાવવાના હલેસાંમાં મયુર ચૌહાણ AKA માઈકલ, જગજીતસિંહ વાઢેર, ધર્મેન્દ્ર ગોહીલ, ચેતન ભગત સહિત અનેક ખલાસીઓએ બળુકા હલેસાં માર્યા છે. એમાં પણ આ હોડીના પાવરફૂલ હલેસાં એટલે Kedar-Bhargavના ગીતો, Background Score, BGM અને B Praak તેમજ આદિત્ય ગઢવી સહિતના કલાકારોએ ગાયેલાં ગીતો છે.


આ ખલાસીઓમાં જગજીતસિંહ વાઢેરનું હલેસું ક્યાંક થાપ ખાઈ રહ્યું હોય એવું દેખાય છે, તમને વિશ્વાસના હોય તો વિઠ્ઠલ તિડી કે કસુંબો સાથે compare કરી લેવું, પછી તમે જ કહેશો કે આ ખલાસીઓના બાવડા તો મજબૂત છે, જો જોર આપ્યું હોત તો હોડી થોડી વધુ સારી રીતે તરતી દેખાત.


બાકી કેટલીક જીણી જીણી બાબતોનું Direction એ  life time favorite બની જાય એવું છે, જેમ કે એકબીજાને સિગરેટ પાસ કરવી, સ્કૂટરમાં હરતો ફરતો મિની દારુ બાર હોવો, ઉદય અને સલમાનને follow કરવાનાં ચશ્માં પહેરીને timing સાથે હાસ્ય પીરસતીએ નાના જુવાનિયાઓની ત્રિપુટી, 

એન્ડમાં બે હોડીની ચાર સીટમાં ઉદય અને સલમાનની point to point ફિલ્મના conclusionનો હિસાબ સમજાવતી વાતો પણ સારી રીતે રજૂ થઈ છે.


ફિલ્મ સમંદરએ દરીયા જેવી વિશાળ છે, એટલે અહીં સમયની દ્રષ્ટિએ વાત થઈ રહી છે.

આમ Screen running time 2 કલાક 52 મિનિટનો છે, તેનાથી કોઈ મતલબ નથી પણ આ ફિલ્મ થોડી ખેંચાઈ હોય તેવું દરેક લોકોને લાગી શકે છે... 


હવે વાત કરીએ OVERALL FILMની તો ફિલ્મ સારી છે, કેમકે કેટલાંક ખાસ મેસેજ એટલા સારા અને સાચા છે, જેમાં fact of politics and both side of "દોસ્તી". આ બંને વિષયનાં મેસેજને જાણવા જવું જોઇએ.


ખેર ચૂંટણી પહેલા આ ફિલ્મ કોઇ કારણોસર ન જોઈ શક્યા, બાકી જનતાને રાજકારણની ખૂબ નજીકથી ઓળખાણ મળી રહેત.

પણ હવે રિલીઝ થઈ છે તો આ વાસ્તવિકતા જોવાં જવાનું ભૂલતા નહીં. 


#(હેષટેગ)નું Viral List કહું તો....

...તો પહેલાં નંબરે #SuperDirection રહ્યું છે.

તેનાં પછી #Awesomestory, #GreatAction & #Wowmusic આવેલાં છે.


આ #(હેષટેગ)Listમાં #Boaring કે #Timepass Tag આ લાઈનમાં થોડાં નીચે જોવાં મળે છે.

#unnecessary_Story_Stretch એટલે કે picture થોડી ખેંચાઈ છે એ વાસ્તવિકતા અનુભવાઈ છે.જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને ફિલ્મ કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો... 


(Review by - Yash)



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.