ફિલ્મોમાં થઈ રાજકારણની એન્ટ્રી! મધ્યપ્રદેશ બાદ આ રાજ્યની સરકારે ફિલ્મને કરી ટેક્સ ફ્રી! આ ફિલ્મોનો નેતાઓએ કર્યો પ્રચાર!


  • Published By :
  • Published Date : 2023-05-09 12:25:01

ભારે વિવાદો વચ્ચે ધી કેરાલા સ્ટોરી શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકો તરફ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે આ ફિલ્મે સારૂ ઓપનિંગ કર્યું હતું. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા આ ફિલ્મમાં રાજકારણ ઘૂસી ગયું હતું. અનેક રાજ્યો દ્વારા તેમજ અનેક નેતાઓ દ્વારા આ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ધી કેરાલા સ્ટોરીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત મધ્યપ્રદેશ દ્વારા આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે જ્યારે આ જ લાઈનમાં ઉત્તરપ્રદેશ સરકાર પણ છે. યોગી સરકાર દ્વારા પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે. તે ઉપરાંત ગુજરાતના જૂનાગઢના સાંસદે પણ આ ફિલ્મને લઈ જાહેરાત કરી છે. જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજય કોરડિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમાએ ફિલ્મ મહિલાઓ અને દીકરીઓને વિનામૂલ્યે બતાવવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન 11 મેના રોજ કરવામાં આવ્યું છે.  


ભાજપના નેતાઓ કરી રહ્યા છે ફિલ્મનો પ્રચાર! 

અનેક એવી ફિલ્મો છે જેને લઈ વિવાદ સર્જાતો હોય છે. થોડા સમય પહેલા કાશ્મીર ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો ત્યારે હવે ધ કેરલા સ્ટોરી ફિલ્મને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો બીજા રાજ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. ફિલ્મને રીલીઝ થયા પછી લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે. દેશમાં ભાજપના નેતાઓ, હિંદુવાદી સંગઠનો અને અન્ય કેટલીક સંસ્થાઓ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ માટે મફતમાં શો જોવાની વ્યવસ્થા કરાવી રહી છે. આવું જ આયોજન જુનાગઢના સાંસદ અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આના પહેલા મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે, વિશ્વ હિંદુ પરિષદે તથા વાસણા વિસ્તારના સનાતન સેવા મિત્ર મંડળે આવા શોનું આયોજન કર્યું હતું. 


આની પહેલા પણ આ ફિલ્મને લઈ નેતા દ્વારા કરવામાં આવ્યું છે પ્રમોશન!  

આ પહેલી વાર નથી બની રહ્યું કે ભાજપના નેતાઓ આવી કોઈ ફિલ્મને પ્રમોટ કરી રહ્યા હોય. આની પહેલા પણ ધ કાશ્મીર ફાઇલ્સને પણ આવી રીતે અલગ અલગ જગ્યાઓ પર ફ્રીમાં બતાવવામાં આવી હતી અને હવે ફરી ધ કેરાલા સ્ટોરી આવી રીતે બતાવવમાં આવે છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ અલગ અલગ રાજ્યોમાં બીજેપી લીડર દ્વારા ફ્રી કરવામાં આવે છે  


આ ફિલ્મોને લઈ સર્જાયો હતો વિવાદ! 

કહેવાય છે કે ફિલ્મો એ આપણા સમાજનો અરીસો છે અને આપણે મોટાં ભાગે ત્યાંથી ઘણું બધુ શીખીએ છીએ. ધ કાશ્મીર ફાઇલ્સ પર રાજનીતિ થઈ હવે ધ કેરલા સ્ટોરી પર થઈ રહી છે પણ ભારતમાં ફિલ્મ તથા રાજકારણનો વિવાદ નવો નથી. ઘણીવાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો ઘણી વાર તેને પ્રમોટ કરવામાં આવે છે. ભારતમાં પહેલી વાર રાજકીય કારણોસર જો કોઈ ફિલ્મ બેન થઈ હોય તો તે 'ગોકુલ શંકર' હતી. 1963માં બનેલી આ ફિલ્મમાં મહાત્મા ગાંધી તથા નથુરામ ગોડસેની વાત હતી. ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ભાગલા પર બનેલી બલરાજ સાહનીની ફિલ્મ 'ગરમ હવા' પર 1973માં બેન મૂકવામાં આવ્યો હતો.1977 પછી અનેક સરકારોએ અથવા વડાપ્રધાને સેન્સરમાં ફસાયેલી ફિલ્મને રિલીઝ કરવાની ભલામણ કરી હતી. જોકે,કાશ્મીર ફાઇલ્સ જ્યારે આવ્યું ત્યારે 75 વર્ષમાં પહેલી વાર એવું થયું કે દેશના વડાપ્રધાન એક ફિલ્મના પ્રચારમાં સામે આવ્યા હોય.'


કઈ ફિલ્મોને કરાઈ હતી બેન!

આ ફિલ્મમાં એક મુસ્લિમ પરિવારની વાત કરવામાં આવી હતી અને પછી વિવાદ શરૂ થયો હતો. ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી તે દરમિયાન 1975માં ગુલઝારની ફિલ્મ 'આંધી' પર બૅન મૂકવામાં આવ્યો હતો. જોકે, 1977માં જનતા પાર્ટી સત્તામાં આવી તો તેમણે માત્ર બેન જ ના હટાવ્યો, પરંતુ ફિલ્મને પ્રમોટ પણ કરી હતી. પક્ષો ફિલ્મને આટલું પ્રમોટ કરે છે તેના પાછળ પણ એક તથ્ય છે. એક મીડિયા અહેવાલ મુજબ ફિલ્મ લોકોની રાજકીય વિચારધારા પર અસર કરે છે.કઈ રીતે તો થોડા વર્ષો પહેલા  2012માં અમેરિકામાં ફિલ્મ 'આર્ગો' તથા 'ઝીરો ડાર્ક થર્ટી' પર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને તેના પરિણામો પરથી ખ્યાલ આવ્યો કે ફિલ્મ જોયા પહેલાં 25% લોકોને લાગતું હતું કે તેમની સરકાર પોતાના દેશને યોગ્ય દિશામાં લઈ જઈ રહી છે. ફિલ્મ જોયા બાદ આ આંકડો વધીને 28% થયો હતો.


ફિલ્મનો ઉપયોગ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે!

એટલે સ્પષ્ટ છે કે સિનેમા માત્ર સમાજની અસલિયત જ નથી બતાવતું, પરંતુ લોકોના વિચારો પર પણ અસર કરે છે. આથી જ દુનિયાભરની સરકારો પોતાના એજન્ડાને આગળ વધારવા માટે ફિલ્મનો ઉપયોગ કરે છે. ત્યારે આ ફિલ્મનો ઉપયોગ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મના ક્રૂ મેમ્બર્સને ધમકી મળી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.