એશા દેઓલ અને ભરત તખ્તાનીના 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, છૂટાછેડા અંગે બંનેએ શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-07 16:26:58

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી એશા દેઓલે પતિ ભરત તખ્તાનીથી અલગ થવાની જાહેરાત કરી છે. ઘણા સમયથી એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે કપલ અલગ થઈ ગયું છે. સોશિયલ મીડિયા યુઝર્સે એ પણ નોંધ્યું હતું કે ઈશા અને ભરત લાંબા સમયથી કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા નથી. હવે અફવાઓને સમર્થન આપતા, કપલે જાહેરાત કરી છે કે તેઓ અલગ થઈ ગયા છે. આ બધું બંનેની પરસ્પર સંમતિથી થયું છે.


ઈશા-ભરતના છૂટાછેડા?


અલગ થવા અંગે દંપતીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું, 'અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં અમે અમારા બંને બાળકોના હિતનો વિચાર કર્યો છે. તે બંને અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહેશે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો.


સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ હતી 


જાન્યુઆરી 2024માં ઈશા અને ભરતના છૂટાછેડા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એશા દેઓલ અને ભરત તખ્તાની વચ્ચેના તૂટેલા સંબંધો વિશે બોલિવૂડમાં ઘણી ગપસપ થઈ રહી હતી. તેની શરૂઆત Reddit પર વાયરલ પોસ્ટને કારણે થઈ હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે કપલ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ પછી, યુઝર્સે જોયું કે વર્ષ 2023 થી શરૂ થતી તહેવારોની સીઝનમાં, એશા દેઓલ ફક્ત તેની માતા હેમા માલિની સાથે જોવા મળી હતી. આમિર ખાનની દીકરી આયરા ખાનના રિસેપ્શનમાં પણ ઈશા માતા હેમા સાથે આવી હતી.


વર્ષ 2012માં થયા હતા લગ્ન  


એશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેઓલ પરિવારની ખુશી જોવા જેવી હતી. દીકરીને જતી જોઈને ધર્મેન્દ્રના આંસુ વહી ગયા. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દંપતીને આ લગ્નથી રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ છે.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.