યુરોપિયન સંસદે રશિયાને ‘આતંકવાદ ફેલાવતો દેશ’ જાહેર કર્યો, યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયને આવકાર્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 10:25:30

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ યાલી રહ્યું છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાને કારણે વિશ્વના તમામ દેશો બે ભાગોમાં વેચાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બધા વચ્ચે યુરોપિયન સંસદે રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરી દીધો છે. યુરોપિન સંસદે આ માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકેની ઘોષણા કરવામાં આવી હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયનું સમર્થન કર્યું 

રશિયાને આતંકવાદ સ્પોનસર દેશ તરીકેની જાહેરાત થતા યુક્રેનના રાષ્ટ્રપતિએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે હું યુરોપિયન સંસદ દ્વારા રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરવાના નિર્ણયનું સ્વાગત કરું છું. રશિયાને તમામ સ્તરે અલગ-અલગ કરી દેવું જોઈએ. અને યુક્રેન તેમજ દુનિયાભરમાં આતંકવાદ માટે તેમને જવાબદાર ગણાવવા જોઈએ.  


રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો છે - યુરોપિયન સંસદ 

યુરોપિયન સંસદ સભ્યોનું કહેવું છે કે યુક્રેનની નાગરિક વસતી પર રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો હતો. અને અત્યાચાર પણ ગુજાર્યું હતું. ઉપરાંત સભ્યોનું કહેવું છે કે મોસ્કોએ આંતરરાષ્ટ્રીય કાયદા વિરૂદ્ધ યુદ્ધ કર્યું છે ઉપરાંત નાગરિક બુનિયાદી ઢાંચાનો વિનાશ કર્યો છે અને માનવાધિકારીઓનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.