યુરોપિયન સંસદે રશિયાને ‘આતંકવાદ ફેલાવતો દેશ’ જાહેર કર્યો, યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયને આવકાર્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 10:25:30

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ યાલી રહ્યું છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાને કારણે વિશ્વના તમામ દેશો બે ભાગોમાં વેચાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બધા વચ્ચે યુરોપિયન સંસદે રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરી દીધો છે. યુરોપિન સંસદે આ માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકેની ઘોષણા કરવામાં આવી હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયનું સમર્થન કર્યું 

રશિયાને આતંકવાદ સ્પોનસર દેશ તરીકેની જાહેરાત થતા યુક્રેનના રાષ્ટ્રપતિએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે હું યુરોપિયન સંસદ દ્વારા રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરવાના નિર્ણયનું સ્વાગત કરું છું. રશિયાને તમામ સ્તરે અલગ-અલગ કરી દેવું જોઈએ. અને યુક્રેન તેમજ દુનિયાભરમાં આતંકવાદ માટે તેમને જવાબદાર ગણાવવા જોઈએ.  


રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો છે - યુરોપિયન સંસદ 

યુરોપિયન સંસદ સભ્યોનું કહેવું છે કે યુક્રેનની નાગરિક વસતી પર રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો હતો. અને અત્યાચાર પણ ગુજાર્યું હતું. ઉપરાંત સભ્યોનું કહેવું છે કે મોસ્કોએ આંતરરાષ્ટ્રીય કાયદા વિરૂદ્ધ યુદ્ધ કર્યું છે ઉપરાંત નાગરિક બુનિયાદી ઢાંચાનો વિનાશ કર્યો છે અને માનવાધિકારીઓનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .