યુરોપિયન સંસદે રશિયાને ‘આતંકવાદ ફેલાવતો દેશ’ જાહેર કર્યો, યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયને આવકાર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 10:25:30

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ યાલી રહ્યું છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાને કારણે વિશ્વના તમામ દેશો બે ભાગોમાં વેચાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બધા વચ્ચે યુરોપિયન સંસદે રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરી દીધો છે. યુરોપિન સંસદે આ માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકેની ઘોષણા કરવામાં આવી હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયનું સમર્થન કર્યું 

રશિયાને આતંકવાદ સ્પોનસર દેશ તરીકેની જાહેરાત થતા યુક્રેનના રાષ્ટ્રપતિએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે હું યુરોપિયન સંસદ દ્વારા રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરવાના નિર્ણયનું સ્વાગત કરું છું. રશિયાને તમામ સ્તરે અલગ-અલગ કરી દેવું જોઈએ. અને યુક્રેન તેમજ દુનિયાભરમાં આતંકવાદ માટે તેમને જવાબદાર ગણાવવા જોઈએ.  


રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો છે - યુરોપિયન સંસદ 

યુરોપિયન સંસદ સભ્યોનું કહેવું છે કે યુક્રેનની નાગરિક વસતી પર રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો હતો. અને અત્યાચાર પણ ગુજાર્યું હતું. ઉપરાંત સભ્યોનું કહેવું છે કે મોસ્કોએ આંતરરાષ્ટ્રીય કાયદા વિરૂદ્ધ યુદ્ધ કર્યું છે ઉપરાંત નાગરિક બુનિયાદી ઢાંચાનો વિનાશ કર્યો છે અને માનવાધિકારીઓનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..